________________
સ્વપ્ન શિલ્પીઓ
વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત મુાતીઓ
-કૃષ્ણકાંત વખારિયા
ઇતિહાસકારોની નજર જેટલી દૂર દૂર ગઈ છે તેટલી કાળની ગતિને આંબીને માનવસંસ્કૃતિના અવશેષોને ખોતર્યા છે. ઇ.સ. પૂર્વેના અનેકાનેક વર્ષોમાં માનવજીવનના બદલાવને જોવા–તપાસવાના પ્રયત્નો થયા છે એ બધામાં એટલું તો નિર્વિવાદ સાબિત થયું છે કે આ પૃથ્વી પર એવો કોઈ દેશ નથી કે જ્યાં ગુજરાતીમાડુ ન પહોંચ્યો હોય! સૂરજનાં કિરણ સાથે ટીંગાઈને આફ્રિકાના જંગલમાં, વહાણના સઢમાં પવન ભરીને દક્ષિણ પૂર્વનાં ટાપુઓમાં અને હાથી ઘોડા ઊંટ પર એશિયા યુરોપના દેશોમાં ગુજરાતી પહોંચ્યો જ સમજો. અને કામ? કામકાજ વેપાર. સાહસિક વેપારીઓ એ ગુજરાતનું ઉજ્જ્વળ પ્રકરણ છે. જે તે દેશની સંસ્કૃતિને વિકસાવવામાં અનેરો ભાગ ભજવ્યો છે. આજે તો વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાને દેશ દેશના સીમાડા ભૂંસી નાખ્યા છે, પણ તોય સમાજ-જીવનના વિવિધ પાસાઓ જેવાં કે, વેપાર ઉદ્યોગ, શિક્ષણ કળાકારીગરી, ધર્મનીતિ, સેવાસુશ્રુષા વગેરેમાં ગુજરાતી પ્રજાની નામના છે. એટલે જ ચંદ્રકાન્ત બક્ષીએ એને ‘ગુજરાતી મહાજાતિ’ તરીકે ઓળખાવેલ છે.
૫૭૫
પશ્ચિમના સાગરથી નીકળેલા સાહસિક ગુજરાતીઓએ એક બાજુ અખાતના પ્રદેશો, આફ્રિકા, પશ્ચિમ એશિયાના દેશો તો બીજી બાજુ શ્રીલંકા, જાવા, સુમાત્રા, બાલી, મલાયા, જંગબાર જેવા ટાપુઓ પર સંસ્કૃતિ અને વ્યાપારના ધ્વજ ફરકાવ્યાની વિગતો મળે છે. જાવાના એક વિખ્યાત બોરોબુદુર મંદિરની દિવાલ પર ગુજરાતનું વહાણ કોતરેલું છે. બાલી ટાપુ હજુ વૈદિક ધર્મ પાળે છે. ચીન-જાપાનની વહાણવટા પરંપરામાં પણ ગુજરાતી પરંપરાની છાપ જોવા મળે છે. લંકાથી મોતી, બ્રહ્મદેશથી માણેક, જાવા સુમાત્રાથી રત્નો ભરીભરીને વહાણો ગુજરાતનાં બંદરોએ ઠલવાતાં, આફ્રિકાથી વહાણો ભરીને હાથીદાંત આવતા, જંગબાર કે મસ્કત જેવાં નગરોની બાંધણી આપણાં માંડવી કે સલાયા જેવી લાગે. ગુજરાતના સંખ્યાબંધ બંદરો દરપાયારના દેશો સાથેના સંબંધોના સાક્ષી છે. દક્ષિણઆફ્રિકાની રંગભેદની નીતિ માટે લડત આપવામાં ગુજરાતીઓ મોખરે હતા. દરિયાપારના દેશોમાં વગર તલવારે સંસ્કૃતિ અને વ્યાપારનું સામ્રાજ્ય સ્થાપવામાં ગુજરાતીઓ જ મુખ્ય છે. ભાષા, પોશાક, રીતરિવાજ, શિક્ષણ ધર્મ, કલા વગેરેમાં ગુજરાત હોય, એવા દૃષ્ટાંતો શ્રીલંકા, જાવા, સુમાત્રા, આફ્રિકા, મોરિશિયસ કે જાપાન સુધી શોધવા જનારને સહજરૂપે મળી આવશે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી કૃષ્ણકાંત વખારીયાનો પરિચય પણ જોઈએ ઃ
ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત વખારિયા બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે. જાણીતા ધારાશાસ્ત્રી, સામાજિક કાર્યકર, ટ્રેડ યુનિયનિસ્ટ, વિદ્યાર્થી નેતા અને અન્ય ઘણી પ્રવૃત્તિઓથી ભરપૂર તેમનું વ્યક્તિત્વ છે. તેઓ ઘણીબધી સામાજિક, શૈક્ષણિક-આરોગ્ય-હોસ્પિટલ જેવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેની પ્રતિભા અનેક ક્ષેત્રે પ્રખર બુદ્ધિશાલી છે. ગુજરાતમાં દુષ્કાળ કે ભૂકંપ જેવી આપત્તિઓમાં હંમેશા અસરગ્રસ્ત પરિવારો સાથે ઊભા રહ્યા છે. ઇ.સ. ૧૯૯૪ થી વિશ્વગુજરાતી સમાજના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો તે પછી ભારે કાઠું કાઢીને સમાજ માટે સંતોષપ્રદ કામ કર્યું છે. ત્રણ આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદો, ઘણા પરિસંવાદો અને બીજા કાર્યક્રમો થયા છે. સૌને સંગઠિત કરવામાં શ્રી વખારિયાનો અમૂલ્ય ફાળો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org