________________
૫૬૪
*
*
*
*
*
*
*
*
શ્રી સંભવ લબ્ધિ જૈન મંદિર વિજયનગર, બેંગ્લોર ઉપાશ્રય દાનદાતા.
શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ બેંગ્લોર, અનેક લાભ. શ્રી પાર્શ્વનાથ લબ્ધિધામ, બેંગ્લોર સ્વાધ્યાય રૂમ, જાગૃતિ કક્ષ અને અનેક લાભ.
શ્રી શિવકમલા ભવન, પોલારપુર (સૌરાષ્ટ્ર) મુખ્યદાતા. શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ કૃષ્ણગિરિ સામૂહિક મૂર્તિ ભરાવવાનો તથા પ્રતિષ્ઠાનો સામુહિક લાભ.
શ્રી આદિનાથ જૈન ટેમ્પલના જીર્ણોદ્ધારના એક સ્તંભના લાભાર્થી
શ્રી ગાંધીનગર જયનગર, રાજાજીનગર, ઓકલીપુરમ્ ઉપાશ્રયમાં યથાશક્તિ યોગદાન આપેલ.
મહાવીર આઈ હોસ્પિટલ દર વરસે એક આંખના ઓપરેશનના કાયમી લાભાર્થી.
અનેક જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠામાં અને વિદ્યાર્થીઓને આર્થિક લાભ સહાય, સાધર્મિક મદદ તથા નાનાં મોટાં દરેક પ્રકારનાં સુકુતોમાં ઉત્સાહપૂર્વક કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર યોગદાન આપી રહ્યા છે.
માંગલિક જૈનધર્મમાં પરિવારના સૌએ સાથે જોડીને એક એક ક્ષણે પારમાર્થિક ભાવનાનો વિચાર કરતા રહીને તેમના તેના નક્કર કાર્યોને સાકાર કરવા ઉદાર હાથે ફાળો આપવાની ઉજ્જ્વળ પ્રણાલિકા પ્રસ્થાપીને કાર્યદક્ષતા, ભલાઈ અને ખાનદાનીના ઉત્તમોત્તમ ગુણોને વધારી જાણનાર, કર્ણસમા દિલાવર દાનવીર શ્રી મનહરભાઈ માતાપિતાના સંસ્કારોને ઉજળા કરી બતાવ્યા છે. તેના દીર્ધાયુ માટે ‘શત’ જીવ શરદઃની શુભ કામના પ્રગટ કરીએ છીએ.
ધર્મે દીધેલા ધન સ્વજન, હું ધર્મ ને ચરણે ધરું શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વિસરું હો ધર્મમય મુજ જિંદગી હો ધર્મમય પલ આખરી પ્રભુ આટલું જનમો જનમ દેજે મને કરુણાકારી. ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ
માત્ર
શ્રી રાજેન્દ્રભાઈ દલાલનું નામ આજે સિકન્દ્રાબાદમાં જ નહીં, ભારતભરમાં જ નહીં, પણ અમેરિકાના નગરેનગરમાં ઝળહળ જ્યોતની જેમ પ્રકાશી રહ્યું છે.
Jain Education International
એમના
પ્રથમ
પરિચયે જ પ્રતીત થાય
છે. એમનું સાત્ત્વિક છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ જોતાં જ આપણા હૃદયમાં પડઘો પડે કે આ વ્યક્તિની આસપાસ ધર્મપ્રભાવનાનું આભામંડળ રચાયું છે. અહીં પુણ્યશાળી
અને પ્રવૃત્તિઓનો
પાવનકારી
પ્રતાપ ઝળહળે છે. આ
lill le
પ્રતાપી વ્યક્તિમત્તા નવ ખંડ ધરતી અને સાત સમુદ્રો પાર પોતાનો પ્રભાવ પાથર્યા વગર નહીં રહે, સૂર્યકિરણો જેમ સકલ વિશ્વમાં વ્યાપી વળશે. અહીં પુણ્યકાર્ય કરવા માટે જ જેઓ જન્મ લેતા હોય છે, રાજેન્દ્રભાઈ એમાંના જીવ છે. નહીંતર, જન્મભૂમિ અમદાવાદ, કર્મભૂમિ સિકન્દ્રાબાદ અને શાસનપ્રભાવક કાર્યોની ભવ્ય હારમાળા ભારતભરમાં અને છેક અમેરિકા સુધી પ્રસરે એવું ના બને. માતા જાસુદબહેન અને પિતા અમૃતલાલભાઈને બાળવયે અમદાવાદના આંગણે રમતા રાજેન્દ્રભાઈને જોઈને એવી કલ્પના નહીં હોય, પણ સંસ્કારી માતાપિતાને ત્યાં જન્મ મળવો એ પણ મોટું સદ્ભાગ્ય છે. બીજરૂપ સંસ્કાર હોય તો જ સમર્થ ગુરુકૃપાનું સિંચન થાય અને તો જ આગળ જતાં એ બીજ અનેક શાખા-પ્રશાખા ફેલાવી શકે, રાજેન્દ્રભાઈમાં એવી પાત્રતા જોવા મળે છે. અમદાવાદમાં શિક્ષણ લઈને તેઓ યુવાનવયે બેંગ્લોર અને સિકન્દ્રાબાદને પોતાની કર્મભૂમિ બનાવે છે અને જોતજોતાંમાં રિદ્ધિ-સિદ્ધિનાં શિખરો સર કરે છે. તીવ્ર બુદ્ધિમતા, સમર્થ સંકલ્પશક્તિ, અડગ આત્મવિશ્વાસ, પ્રચંડ કાર્યશીલતા, અદમ્ય ઉત્સાહ અભય સાહસિકતાને લીધે તેઓ સિકન્દ્રાબાદમાં કાપડ બજારના અગ્રણી વેપારી તરીકે પ્રતિષ્ઠિત થઈ શક્યા છે. મિલનસાર સ્વભાવ અને હસમુખા વ્યવહારથી તેઓ આબાલવૃદ્ધ સૌમાં આદરપાત્ર રહ્યા છે. ધંધાકીય સૂઝ-સમજ અને અથાક પરિશ્રમના ફળસ્વરૂપે તેઓ આજે અનેક દુકાનો—શો રૂમોની માલિકી ધરાવે છે. માત્ર આંધ્રપ્રદેશમાં જ નહીં, પણ પ્રીમિયર મિલન-કોઈમ્બતૂર અને અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે.
હાલમાં એમના સુપુત્રો-સુનીલભાઈ અને સંઘેશભાઈ આ
For Private & Personal Use Only
www.jainelibrary.org