SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ મહાગ્રંથ નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે. દીદી અભ્યાસનિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, અધ્યાત્મ, જ્યોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્ત્વ અને સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્યકલાઓ છે આ અને આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે એવું ગૌરવવંતું છે. વિવિધ ભાષાઓની એમની જબરી જાણકારી છે. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, મણિપુરની મૈતેયી, સહિતની ભાષાઓ પર દીદીએ પ્રભુત્વ મેળવેલ છે. જેઠવાઓની રાજધાની ‘ધૂમલી’ ઉપર વિસ્તૃત સંશોધન ચલાવીને દીદીએ લખેલો ‘ઘૂમલી' પરનો શોધનિબંધ ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતાં અભ્યાસીઓ દ્વારા પ્રશંસા પામ્યો છે. આમ સવિતાદીદી આપણી કલા પરંપરાનું કીર્તિમંદિર છે. પૂ. દીદીનું જીવન જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણીસંગમ સમું હતું. દાનમાર્ગનાં સાધિકા, કલાનાં ઉપાસિકા, ગુરુકુળ તપોભૂમિનાં સર્જક પૂ. દીદીનું સમગ્ર જીવન મહાયજ્ઞ સમું હતું. ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા આશીર્વચન આપતાં એક નોંધમાં લખે છે “પરમ ચૈતન્યશક્તિ કોઈ વિશેષ કાર્ય માટે કોઈ વ્યક્તિની અંદર પોતાનો વિશેષ અંશ મૂકી એને પ્રગટ કરે છે. મા સરસ્વતીએ પોતાની વીણાના સૂર અને નુપૂરના લય, તેમજ તનના સૌષ્ઠવ અને મનના સૌંદર્યને લઈને એક મૂર્તિ ઘડી એ સૌનાં આદરણીયા સવિતાદીદીના નામે પ્રસિદ્ધ થઈ. “સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલા હીરા જેવી હતી. મુખ્યત્વે એમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ તરીકે, નારીસ્વાતંત્ર્યતાનાં મશાલચી તરીકે, સ્ત્રીશિક્ષણના પ્રસારક અને પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય,ધર્મ, સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવન ધર્મસંસ્કૃતિના પરિવ્રાજક તરીકે શિષ્ટમાન બન્યું છે. આ ચારેય પાસાંઓમાં દીદીજીનું ચોથું પાસું અતિવ્યાપક અને વૈવિધ્યસભર હતું. દીદી જે ઊંચી પીઠ પર ઊભાં હતાં ત્યાં પહોંચવા માટે કઠોર પરિશ્રમ અને જીવંત સાધના કરેલી. “તેઓ ઉત્તમ વિચારક, પ્રભાવશાળી વક્તા હતા. અત્યારસુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ તેમણે જે પ્રવચનો આપ્યાં તે મુદ્રિત સ્વરુપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરના મહાગ્રંથોનું નિર્માણ થઈ શકે તેવી વિપુલ સામગ્રી તેમાં પડી છે. વિવિધભાષાઓની તેમને જબરી જાણકારી હતી. પૂ. સવિતાદીદી અધ્યાત્મપંથના જે જે યાત્રીઓને મળ્યાં, સાધુસંતોને, વિદ્વાનોને એ બધા પર એમના વ્યક્તિત્વની ઊંડી Jain Education Intemational ૫૫૩ અમીટ છાપ પડી હતી. અનેક પ્રકારની સિદ્ધિઓનાં પ્રલોભનો પણ મળ્યાં પરંતુ દીદી પોતાની સાધનામાં અડગ રહ્યાં અને પરબ્રહ્મ સાથેની એકતાનો જ માર્ગ પસંદ કર્યો-જનમોજનમની આગમપથની યાત્રા. આ જન્મમાં જ અગમપથની યાત્રાનું સર્વોચ્ચશિખર કે જ્યાં પરબ્રહ્મ પોતે વિલસી રહ્યા છે ત્યાં પહોંચીને તેમાં વિલીન થઈ જવું અને એ જ એમની અગમપથની યાત્રાની સમાપ્તિ હશે. નમન છે આ દીદીસ્વરૂપા સરસ્વતીને.....'' પ્રેરણાપુંજ અને પ્રકાશસ્તંભ ‘મણિજી' ‘કર્મ એ જ કામધેનુ' અને ‘પ્રાર્થના એ જ પારસમણિ'ના પર્યાય રાવલમલ જૈન 'મણિ' સમર્પિત કર્મયોગી, સાહિત્યપ્રેમી, ઉત્કર્ષસભર વ્યક્તિત્વ, પ્રતિભાસંપન્ન પુરુષ એટલે શ્રી રાવલમલ જૈન ‘મણિજી’. છત્તીસગઢ રાજ્યની શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓએ રાવલમલ જૈન ‘મણિ’નું ભવ્ય સમારંભમાં ‘મયારુમિતાન’ સમ્માન દ્વારા થોડા સમય પૂર્વે જ બહુમાન કર્યું. એમના માનમાં ‘મયારુમિતાન’ ગ્રંથનું લોકાર્પણ કર્યું, જેની સોળ હજાર નકલ પ્રકાશિત કરવામાં આવી હતી. શ્રી આર. ડી. શાહ રાવલમલજી વિષે લખે છે કે : "अपनी पंखुड़ियों के खोल में बंध लाखों गुलाब उछलते हैं, मेरी सांस खिला सकती है एक पूरा बगीचा मेरी हथेलियों में सोया है एक समूचा जंगल ॥" કયા કવિએ, ક્યારે, કયા સંદર્ભમાં આ પંક્તિઓ લખી એ ખ્યાલ નથી, પરંતુ આ પંક્તિઓ રાવલમલ જૈન ‘મિણ’ના વ્યક્તિત્વને બરાબર બંધબેસતી છે. કોઈને અતિશયોક્તિ લાગી શકે, પણ મારી નજરે સાચે જ પ્રકાશના વિસ્તારપૂર્ણ પ્રવાહનું નામ છે રાવલમલ જૈન ‘મણિ’. ‘મણિ’જીનું વ્યક્તિત્વ, એમનું કૃતિત્વ, એમનું કર્મક્ષેત્ર અને ચિંતનજગત એટલા વિરાટ, બહુઆયામી અને વિવિધવર્ણી ‘કેનવાસ’માં ફેલાયેલાં વહેંચાયેલાં છે કે એને સીમિત પૃષ્ઠોમાં સમાવવાં મુશ્કેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy