SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ ગુજરાત રાજ્ય કાયદાકીય સમિતિની લિગલ ક્લિનિક, કે જે અમદાવાદમાં શાહીબાગ ખાતે ચાલે છે તેની સાથે સંકળાયેલા છે અને લોકોને ન્યાય મળી રહે તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. માનવતાનું મધુર ગુંજન અહીં સંભળાયા કરે છે. આ એકમ વિના મૂલ્યે સમાજના કચડાયેલા વર્ગના કેઇસીઝ હાથ ધરે છે. તેમની કાયદાકીય સભાનતા સાથે સક્રિય સેવા આપી રહ્યા છે. ધરતીકંપ વખતે ગુજરાત લિગલ ઓથોરિટીના કેમ્પમાં તેમણે અનન્ય સેવા બજાવી હતી. શ્રી ગૌતમભાઈની માનવતાવાદી ભાવના અને સમાજના નીચલા થરને તેમજ પીડિતોને સહાયરૂપ થવાની સચોટ યોજનાશક્તિએ સમાજના બધા જ વર્ગોમાં ઉમદા છાપ ઊભી કરી છે. તેમના વિચારવલોણામાંથી આપણને જરૂર નવનીત સાંપડશે. આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર શ્રી ગૌતમભાઈએ ૧૯૮૭માં અમદાવાદમાં રોટરી ક્લબની સ્થાપના કરી અને તેના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ બન્યા. તેમની આગેવાની નીચે રોટરી ક્લબે કેટલાક પ્રોજેક્ટો પણ હાથ ધર્યા અને તે બદલ ક્લબને કેનેડાનો ‘ગ્રીનિંગ અમદાવાદ’ એવોર્ડ અને શ્રી ગૌતમભાઈને ‘વૃક્ષ સાથી' એવોર્ડ મળ્યા. દુષ્કાળ પીડિતો માટે તેમણે પાણી અને ખોરાક પૂરાં પાડવામાં ઘણી મહેનત લીધી હતી. આમ તેમની સંનિષ્ઠ સેવાઓ અને દેણગીઓ અવિસ્મરણીય બન્યાં છે. મન ભરીને માણવા જેવા સમાજનું નિર્માણ આવા પુણ્યવંતા હાથોથી જ થતું હોય છે. અમદાવાદમાં જ્યારે કમાન્ડર જનરલ દયાલ ૧૧મી બટાલિયન સંભાળતા હતા ત્યારે લશ્કરના વિધવા કલ્યાણ સંગઠન'ને તેમણે ઘણી મદદ કરેલી. તેઓશ્રી પોલિયો નાબૂદી માટે કાર્યરત રોટરી ફાઉન્ડેશનના મુખ્ય દાતા છે. એક વખતના ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારીજીએ ૨૦૦૨ની સાલમાં રોટરીના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ તરીકે ૨૫ વર્ષ પૂરાં કરવાં બદલ તેમજ આંતરરાષ્ટ્રીય રોટરીની ચાર મુખ્ય સિદ્ધાંતોનું મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી ગૌતમભાઈને એવોર્ડથી સમ્માનિત કર્યા. શ્રી ગૌતમભાઈએ રોટરી આંતરરાષ્ટ્રીય શતાબ્દીની ક્લબની ઉજવણી વખતે પાંચ એમ્બ્યુલન્સ અને દસ ડૉક્ટરની છ મહિના માટે સેવાકાર્ય વ્યવસ્થા કરી આપી. આ યાત્રામાં એરફોર્સ, આર્મી અને એપોલો હોસ્પિટલના ડૉક્ટરો Jain Education International સ્વપ્ન શિલ્પીઓ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાંચ એમ્બ્યુલન્સ લઈને ફર્યા અને હજારો દર્દીઓની વહેલા સારા થાય તેવી માવજત કરી. આ પ્રોગ્રામમાં રોટરી ક્લબે પૂરો સહકાર આપ્યો. રસના રોટરી શતાબ્દી યાત્રાને ગુજરાતના ગવર્નરે સલામી આપી. તેમના સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી દવાનું વિતરણ કરવામાં આવ્યું. તેમને રોટરી ઇન્ટરનેશનલ તરફથી ‘કમીટમેન્ટ ટુ સર્વિસ'નો ઉચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. છત્તીસગઢના ગવર્નરે તેમની પ્રશંસા કરી. આમ શ્રી ગૌતમભાઈના ઉદારચિરત જીવનમાં અનેક પાસાંઓએ તેમને પ્રતિષ્ઠાના ઉચ્ચતમ શિખર ઉપર મૂકી દીધા છે. સામાજિક સેવા ઉપરાંત શ્રી ગૌતમભાઈ ધંધાના ક્ષેત્રે પણ એટલા જ જાણીતા છે. ટેક્સટાઇલમાં તેઓ પચાસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ટેક્સટાઇલ કમિટીના ચેરમેન, કો–ચેરમેન અને સીઆઈઆઈ દ્વારા રચાયેલ સુરત ખાતે ગાર્ટેક્ષ માર્ટના ચેરમેન રહી ચૂક્યા છે. ગુજરાતના ઘણાં ડેલિગેશનનું પરદેશોમાં તેમણે પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓ વર્ષોથી અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડ. રિસર્ચ એસોસિએશનના એડવાઇઝર રહ્યા છે. યુનિયન મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલે તેમના પ્રદાનની કદર કરી હતી. વ્યવસાયનું કુશળતાપૂર્વક સંચાલન કરવાની સાથે આગવી દીર્ઘદૃષ્ટિથી દેશપરદેશમાં વેપારવાણિજ્ય ક્ષેત્રે શ્રી ગૌતમભાઈ અનેક ઔદ્યોગિક એકમો સાથે વર્ષોથી સંકળાયેલા છે અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેમનું સાગર ગ્રુપ અને સુઝલોન ગ્રુપમાં મહત્ત્વનું પ્રદાન છે. તેમને ફાઇબર મેન ઓફ ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ મળેલ છે. પંચોતેર વર્ષે ધંધાની બધી જવાબદારી તેમના પુત્ર શ્રી પ્રિયેશભાઈ શાહને સોંપી સામાજિક, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી તેઓ પરોપકાર અને માનવસેવાનાં કાર્યો કરે છે. શ્રી ગૌતમભાઈના ઉદ્યોગપતિઓ અને વ્યાપારી સંગઠનો સાથેના સુમેળભર્યા અંગત સંબંધોને કારણે પછી ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ ટીપનીસજીએ એમને માનદ્ ભારતીય વાયુસેનાની જરૂરિયાતો માટેના સેમિનારના આયોજન માટેની સેવા સોંપી. શ્રી ગૌતમભાઈ સાથે શ્રી હસમુખભાઈ અઢિયા જીઆઈઆઈસીના પ્રમુખ અને સીડબીના પ્રમુખના સહકાર અને સહયોગથી સેમિનારમાં સફળતાપૂર્વક ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ અને વાયુસેનાના ઉચ્ચ ઓફિસરોએ હાજરી આપી, જેનો અદ્ભુત પ્રતિભાવ સાંપડ્યો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy