SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ તેજસ્વી વારસદાર તરીકે ઉદાહત થયા છે. તેઓ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક રાજદૂત છે. જાતને ઘસી નાખનારા દધીચિ–પરંપરાના તેઓ અનુસંધાનરૂપ છે. તેમના માટે કહેવાય છે કે તેઓ દાન કરવા માટે દાન નથી કરતા પણ પ્રાચીન ભારતની કર્ણ અને બલિ રાજાની દાનપરંપરા આજે પણ જીવંત છે. દીપચંદભાઈના પ્રથમ પ્રારંભિક અનુદાનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં જૈન એકેડેમી' અને ‘ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાન’ના નિર્માણ પામેલ નૂતન ભવન દિનાંક : ૧૯-૭-૧૯૯૮ના રોજ તેમના હસ્તે ખુલ્લું મુકાયેલ. આયુષ્યના દશમા દાયકામાં પ્રવેશેલા દીપચંદભાઈ બાણું વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને સેવાસભર બનેલા જોવા એ સમકાલીન સમાજને માટે એક મોટું સંભારણું બની રહેશે. આપણે સેવાપરાયણ એવા કોઈ મહામાનવના સમકાલીન હતા એ માટે કોઈ એક નામ આપીને ગૌરવ લઈ શકીએ એવું નામ આપવું હોય તો, એ છે દીપચંદભાઈ ગાર્ડી. એમની ઉમદા દાનવૃત્તિ-પ્રવૃત્તિના સાક્ષી બનવાનું અને એમની સંગત સાંપડવાનું ગૌરવ અને ગર્વ લઈ શકીએ એવી વ્યક્તિ છે દીપચંદભાઈ ગાર્ડી. આવા નખશિખ શીલભદ્ર શ્રેષ્ઠી અને સંસ્કૃતિના રખેવાળ દીપચંદભાઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડી.લિટ.ની માનદ્ પદવી એનાયત કરે એ માત્ર ગુજરાતની જ નહીં, પરન્તુ સમગ્ર ભારતની એક સાંસ્કૃતિક ઘટના છે. એક જીવતો જાગતો ફોર્સ એટલે શ્રી ધીરુભાઈ અંબાણી “તમારા લક્ષ્યનો પીછો કરો. મુશ્કેલીઓની વચ્ચે પણ. તમારો નૈતિક જુસ્સો ઊંચો રાખો, પછી ભલે પીછેહઠ આવે. અંતે તમારી ફત્તેહ નિશ્ચિત છે.” આવા ધીરુભાઈ આંબાણીનું જીવન પણ આનું ઉત્તમ ઉદાહરણ છે. ઇ.સ. ૧૯૩૨માં જૂનાગઢ પાસેના ચોરવાડની નજીક આવેલ કુકસાવાડા ગામ એ તેમનું વતન. સાહસિકપણું તો તેમનામાં જન્મજાત હતું. મેટ્રિક ભણીને તેઓ એડન ગયા અને ત્યાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરનાર કર્મચારી તરીકે નોકરી કરી. પેટ્રોલિયમ કંપનીના માલિક બનવાનાં સ્વપ્ર સાથે ઇ. સ. ૧૯૫૮માં સ્વદેશ પાછા ફર્યા. પોતાની જબ્બર છાતી, હિંમત અને સાહસિક્તાને કારણે અને ‘Think Big' એ જીવનમંત્રને કારણે Jain Education Intemational ખૂબ ઊંચાં નિશાન તાકવામાં જ તેમને રસ હતો. મુંબઈમાં તેઓને બેસવાની પણ જગ્યા નહોતી ત્યારે શ્રી મથુરાદાસ મહેતાની તાંબા કાટાની દુકાને બેસીને તમામ સંયોગો સામે સંગ્રામ માંડ્યો. અર્થોપાર્જન માટે છેક નીચલી પાયરીથી પોતાની કારકિર્દીનો આરંભ કરનાર ધીરુભાઈએ અથાગ પુરુષાર્થ અને પ્રારબ્ધના બળે ભારતના કોર્પોરેટ જગતના સમ્રાટ બનીને ઉદ્યોગ જગતને એક જવલંત દૃષ્ટાંત પૂરું પાડ્યું. ૬૫૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ૪૦ લાખ જેટલા શેરહોલ્ડરો અને થાપણદારોના હ્રદયસિંહાસને તેઓ બિરાજેલા. દેશની અંદર તેમણે શેરહોલ્ડરોનો વિશ્વાસ અને આદર સંપાદન કરેલો. દેશમાં ઇક્વીટી કલ્ચર' ઊભું કરવા બદલ ભારતીય મૂડીબજાર તેમનું ઋણી રહેશે. ૫૪૧ સરકારના સાથ વગર કોઈ ઉદ્યોગપતિ સફળ ન થઈ શકે એ માન્યતાથી પ્રેરાઈ તેઓ વ્યવહારુ પગલાં પણ લેતા. તેઓએ બદલાતા સમય સાથે વિવિધક્ષેત્રોમાં ઝંપલાવ્યું. ટેક્ષટાઈલ, ટેલિકોમ્યુનિકેશન, પેટ્રોકેમિકલ્સ, પાવર જેવા ક્ષેત્રોમાં તેમણે કર્મઠ ઉદ્યોગ સાહસિક તરીકે પદાર્પણ કરીને સિદ્ધિ અને સફળતાનાં શિખરો સિદ્ધ કર્યાં. એક વ્યક્તિ તરીકે પોતાના સાથી એવા નાનામોટા તમામ માણસો પ્રત્યે તેઓ ઉષ્માભરી લાગણી અને સંવેદનશીલતા ધરાવતા. પોતાના નાના ગામના માણસોને પણ તેઓ ક્યારેય ભૂલ્યા નથી. ગ્રામજનોની સુવિધા માટે તેઓ સદાય તત્પર રહ્યા છે. તા. ૮-૭-૨૦૦૨ના રોજ પાર્થિવ દેહે અવસાન પામેલ ધીરુભાઈ અનેકના હૃદયોમાં તો જીવંત જ છે. વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક : સાદગીતા ઋષિજત : રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલીદાસ મહેતા For Private & Personal Use Only આજે આપણા દેશને ૨૧મી સદીને માટે કામયાબ બનાવવા કમ્મર કસી રહ્યા છીએ ત્યારે એક સદી પાછળની દુનિયામાં ડોકિયું કરી શ્રી નાનજીભાઈ જેવા એક જાજરમાન વ્યકિત વિના વિવિધતાસભર સ્મૃતિ જીવનના દીપને સંકોરીએ www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy