________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૩૫
વીસમી સદી : વિશેષાર્થના
અધિકારીઓ
જગતના ઇતિહાસમાં ક્યારેક કોઈ ક્ષણ અમીટ છાપ અંકિત કરી જતી હોય છે. દા.ત. બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ. ક્યારેક કોઈ દિવસ-વાર-તિથિ અમર બની જતાં હોય છે. દશેરા, જન્માષ્ટમી, દિવાળી, નાતાલ, મહાવીરજયન્તી અને એવા ચોક્કસ દિવસ કોઈ એક દેશ માટે, કોઈ એક કોમ માટે, કોઈ એક ક્ષેત્ર માટે અમર બની રહે છે.
પરંતુ જગતના ઇતિહાસમાં એવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ એક આખેઆખી સદી નવા નવા આવિષ્કારોથી, નવી નવી ઘટનાઓથી, નવાં નવાં પરિવર્તનોથી છલકાતી હોય. વીસમી સદી એવી ઘટના છે કે એમાં કોઈ એક ક્ષેત્રે નહીં, પણ માનવજીવનને સ્પર્શતાં તમામ ક્ષેત્રમાં મહાન પરિવર્તનો નોંધનારી બની રહી. અનેક ક્ષેત્રમાં ખમતીધરોની આપણને ભેટ મળી. ઇતિહાસ મોટે ભાગે રાજકીય ઊથલપાથલો નોંધતો હોય છે, પણ વીસમી સદીએ તો એકેએક ક્ષેત્રનાં પ્રતિભાવંતોની નોંધ લેવાની ફરજ પાડી છે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણથી માંડીને વિજ્ઞાનની પ્રત્યેક શાખાઓમાં થયેલા આવિષ્કારો દિંગ કરી નાખે એવા છે. ઓગણીસમી સદીના માણસોએ કલ્પનાય કરી નહીં હોય કે “રાજાશાહી’ નામની રાજકીય વ્યવસ્થા નાબૂદ થશે! બેપગાળું માનવપ્રાણી એવું તો ઊડશે કે ચંદ્ર પર પગલાં પાડશે! સુનિતા વિલિયમ્સનું તાજું જ ઉદાહરણ આપણી સામે દેખાય છે. આજ સુધી અદૃશ્ય રહેલા અણુ-પરમાણુને હાથવગા કરીને જગતે જોયાં ન હોય એવાં કારનામાં જોવા મળશે! અંધજન જોઈ શકે અને પંગુ પર્વત ઓળંગી શકે એ ઘટના નજરોનજર બની શકશે!
પ્રસ્તુત લેખમાળામાં વિવિધ ક્ષેત્રે જેમણે જેમણે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે તેમના પરિચયો રજૂ કર્યા છે. તેમની ફલશ્રુતિની ભાવથી અનુમોદના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક
વીરચંદ રાઘવજી ગાંધી (. સ. ૧૮૬૪થી ૧૯૦૧)
શ્રાવણ વદ ૮ વિ.સ. ૧૯૨૦ની પચ્ચીસમી ઓગસ્ટ ૧૮૬૪ના સૌરાષ્ટ્રના મહુવામાં રાધવજીભાઈ ગાંધીને ત્યાં શ્રી માનબાઈની કુક્ષિએ વીરચંદભાઈનો જન્મ થયો.
મહુવા એ ગુજરાતી સાહિત્યના મસ્તકવિ, વિવેચક જટિલ, આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી, શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની પૂણ્યભૂમિ. વીરચંદભાઈ મહુવામાં પ્રાર્થમિક શિક્ષણ અને ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ લીધું.
તે સમયે પાલિતાણાના ઠાકોર સાહેબ સાથે શ્રી શત્રુંજય તીર્થ સંબંધમાં મતભેદ થતાં જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ ૧૮૮૪માં વીરચંદભાઈ તેના મંત્રી બન્યા.
૧૮૯૨માં ચિકાગોમાં વિશ્વ ધર્મપરિષદમાં પૂ. આત્મારામજી (પૂ. આ. વિજયાનંદસૂરિ) ને પરિષદમાં ભાગ લેવા નિમંત્રણ
જૈન ધર્મની પ્રણાલિકા અનુસાર સાધુઓ માટે વિદેશની મુસાફરી બાધક હતી એટલે તેમણે દિલગીરી દર્શાવી પરિષદના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org