SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ ઘેર જાય ત્યારે પાછા મૂકી દે. જેથી દ્વેષ, જીત, ઘા, વેરઝેર વગેરેના પ્રશ્નો દૂર થઈ જશે. અને લગાની રમતનો આનંદ સારી રીતે માણી શકશે.'' રક્ષાબંધનનો દિવસ તો કુમારમંદિરના વિદ્યાર્થીઓનો યાદગાર દિવસ. બચુભાઈ અને વિમુબહેન વિદ્યાર્થી ભાઈબહેનો વચ્ચે જઈને બેસે અને પછી બહેનો પહેલાં બચુભાઈને રક્ષા બાંધે પછી વિદ્યાર્થી ભાઈઓને રક્ષા બાંધે. અધ્યાપન મંદિરનાં ભાઈબહેનો અને શિક્ષક ભાઈ-બહેનો સૌ સાથે મળીને રક્ષાબંધન-પર્વની ઉજવણી કરતા હતાં. બચુભાઈ તહેવારોનો મહિમા સમજાવીને તેનો આનંદ માણવા સૌને પ્રેરતા. બાળકોની નાની નાની વાતો, આ દુનિયાના બનાવો અને પ્રશ્નોને સમજવાની તેમની દ્રષ્ટિ અને તેમના વ્યવહારો અંગે બચુભાઈ ઝીણવટથી વિચારતા અને બાલમાનસને સંપૂર્ણપણે સમજવા અને તેને વિકાસની તકો પૂરી પાડવા પ્રયત્નશીલ રહેતા હતા. શ્રી બચુભાઈ ગુજરાત રાજ્યની શિક્ષણ સલાહકાર સમિતિઓમાં સલાહકાર તરીકે હાજરી આપતા હતા. તો બાલશિક્ષણની પરિષદો, સંમેલનો, પરિસંવાદો, શિબિરો વગેરેમાં તેમની હાજરી અને વક્તવ્ય હંમેશા વિશિષ્ટ બની રહેતાં હતાં. ‘નૂતન બાલશિક્ષણ સંઘ'ની પ્રવૃત્તિઓ અને તેના વિકાસમાં શ્રી શેષ નામલે સાથે તેઓ સક્રિયપણે કાર્યરત રહ્યા હતા. શ્રી બચુભાઈની તબિયત નાજુક રહેતી હતી. ઇ.સ. ૧૯૬૬ના ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કડકડતી ઠંડીમાં મુંબઈમાં ભરાયેલી ‘અખિલ ભારત બાલશિક્ષણ પરિષદ'માં તેમણે હાજરી આપી. બીજી જાન્યુઆરી ૧૯૬૭ના રોજ અમદાવાદમાં એક મીટીંગ હતી તેમાં ભાગ લઈને રાત્રે ભાવનગર આવ્યા. બીજે દિવસે સવારે શ્રીમતી વિમુબહેન અને મિત્રો સાથે મુંબઈની પરિષદ અને ગુજરાતમાં બાલશિક્ષણના કાર્યને કઈ રીતે આગળ ધપાવવું જોઈએ તે અંગે વાતો કરી. ૭મીએ વઢવાણ એક મીટીંગમાં જવાનું હતું ત્યાં ભવિષ્યના કાર્યક્રમ અંગે વિચારવાનું નક્કી કર્યું. દિવસભર અધ્યાપનમંદિરના વિવિધ કામો પતાવ્યાં. સાંજે મોટા પુત્ર મધુકરને (મીનાભાઈ) પરણાવતી વખતે લગ્નગીતો ગાવાનું બહેનોને આમંત્રણ આપે છે. ઢોલ-ત્રાંસા વગાડવાની ઇચ્છા પ્રગટ કરે છે. આનંદમાં દિવસ પસાર કર્યો. Jain Education International સ્વપ્ન શિલ્પીઓ પરંતુ ઈશ્વરની યોજના કંઈક જુદી જ હતી. વહેલી સવારે બચુભાઈને હૃદયરોગનો જીવલેણ હુમલો આવ્યો અને ઘડીવારમાં તો તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. સહધર્મચારિણી અને સહકાર્યકર્તા શ્રીમતી વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકા વિમુબહેનનો જન્મ તા. ૨૧-૭-૧૯૨૪, માતા-પિતા : બાળપણ વિમુબહેનના પિતાશ્રી છગનભાઈ જોશી અને માતુશ્રી રમાબહેન પૂજ્ય મહાત્મા ગાંધીજીના અંતેવાસી, સ્વાતંત્ર્ય સૈનિકો અને રચનાત્મક કાર્યકર. છગનભાઈ જોશી સાબરમતી આશ્રમમાં મંત્રી તરીકે કામ કરતા હતા. દાંડીકૂચ સત્યાગ્રહમાં પૂ. ગાંધીજીની સાથેના ૮૦ સૈનિકોમાં તેઓની પસંદગી થયેલી. સાબરમતી આશ્રમ છોડ્યા પછી તેઓ રાજકોટમાં સ્થાયી થયેલા. સૌરાષ્ટ્રમાં રચનાત્મક પ્રવૃત્તિ અને ખાસ કરીને અસ્પૃશ્યતા નિવારણક્ષેત્રે મહત્ત્વની કામગીરી તેમણે કરેલી. શ્રીમતી વિમુબહેનનું બાળપણ પૂ. મહાત્મા ગાંધીજીના સાંનિધ્યમાં, તેમની છત્રછાયા નીચે સાબરમતી આશ્રમમાં વીત્યું. આશ્રમી જીવન અને ગાંધી વિચારધારાના સંસ્કારો વચ્ચે તેમનું ઘડતર થયું. અભ્યાસ વિમુબહેને રાષ્ટ્રીયશાળા, રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ અને જી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ, રાજકોટમાં માધ્યમિક શિક્ષણ લીધું. સાથોસાથ રાષ્ટ્રીયશાળામાં સંગીતનો અભ્યાસ કર્યો. ૧૯૪૫માં મેડમ મોન્ટેસરી ભારતમાં આવેલાં ત્યારે વિમુબહેને ગુજરાત વિદ્યાપીઠમાં મેડમ મોન્ટેસરી પાસે બાલશિક્ષણનો ડીપ્લોમાં અભ્યાસક્રમ પૂરો કરેલો. લગ્ન અને કુટુંબજીવન ૧૯૪૧માં શ્રી નરેન્દ્રભાઈ બધેકા અને શ્રીમતી વિમુબહેન લગ્નગ્રંથિથી જોડાયાં. ગાંધીવિધિથી તેમના લગ્ન કરાવનાર પુરોહિત હતા પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ. શ્રીમતી વિમુબહેન બાલશિક્ષણના બ્રહ્મા ગિજુભાઈના પુત્રવધૂ બન્યાં અને સમર્પણની ભાવનાથી બચુભાઈના જીવનમાં એકરૂપ બનીને બાલશિક્ષણને પોતાનું જીવનકાર્ય બનાવ્યું. તો આદર્શ ગૃહિણી તરીકે તેમણે સમગ્ર પરિવારની કાળજીભરી સંભાળ રાખી હતી. બચુભાઈ અને વિમુબહેન ગિજુભાઈન વિદ્યાર્થીઓ, બાલશિક્ષણ ક્ષેત્રના મિત્રો અને સ્વજનો સાથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy