________________
૫૦૦
હતો. એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી શિપિંગ કંપનીની નોકરીમાંથી નિવૃત્ત થયા છે. ‘શતક વત્તા એક’ એમનો ગઝલસંગ્રહ છે. એમનું સરનામું : નીસા’, ૩૧૫, દયાનંદનગર, રાજકોટ-૩૬૦ ૦૦૨ અને ફોન નં. (ધર) (૦૨૮૧) ૨૩૭૯૪૫૫ અને (મો.) ૯૪૨૮૭૯૦૦૬૯ છે. એમનો એક ઉમદા શેર જોઈએ ઃ
પહોંચી શકીશ કે નહીં ‘સાહિલ'! ખબર નથી, મારા સુધી જવાની મેં ઇચ્છા કરી તો છે. (૫૦) હર્ષદ ચંદારાણા
હર્ષદ નાયાલાલ ચંદારાણાનો જન્મ અમરેલી જિલ્લાના ચલાલા ગામે તા. ૨૬-૬-૧૯૪૭ના રોજ થયો હતો. બી.એસસી. સુધી અભ્યાસ કરી તેઓ પોતાનું સ્વતંત્ર વ્યાપારગૃહ સંભાળે છે. ગઝલસંગ્રહ : હાથની ઘોડી'; કવિતાસંગ્રહ : ફીણ મોજાં’, ‘નદીને મળ્યા પછી'; સંપાદન ગઝલસંગ્રહ-૮૧-૮૨. ૮૩-૮૪, ‘અમરેલી લીલી’, લીલીછમ વેલી અમરેલી ગિરા નદીને તીર' તેમ જ બાળગીતો : ‘પંખો, પવન ને પતંગિયું' વગેરે એમનાં પ્રકાશનો છે. એમનું સરનામું : પો.બો. નં. ૪૬, સેન્ટર પોઇન્ટ, મહાત્મા ગાંધી રોડ, અમરેલી-૩૬૫ ૬૦૧ અને ફોન નં. (ઘર) (૦૨૭૯૨) ૨૨૨૬૪૬, ૨૨૨૫૬૬ અને ૨૨૨૭૬૬ તથા (મો.) ૯૮૨૫૭૫૧૭૫ છે. એમનો આ શે'ર જુઓ :
રાહ
પમની તારા જોયા પછી થાય કે મારા ઉપર કાગળ લખું!
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ (૫૧) હરદ્વાર ગોસ્વામી
હરદ્વાર ગિરિવરબાપુ ગોસ્વામીનો જન્મ તળાજા, જિ. ભાવનગરમાં તા. ૧૮-૭-૧૯૭૬ના રોજ થયો હતો. એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી તેઓ એસ.એલ.યુ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. ‘હવાને કિનારે' એમનો ગઝલસંગ્રહ છે. એમનું સરનામું : ‘અભિરામ–અનુગ્રહ’, રામ ટેકરી, મુ. તળાજા-૩૬૪ ૧૪૦, જિ. ભાવનગર છે. ફોન નં. (ઘર) (૦૨૮૪૨) ૨૨૩૧૧૩ અને (મો.) ૯૮૭૯૨૪૮૪૮૪ છે. આ શે'રમાં કવિ કેવી ઊંચાઈ નથી ઇચ્છતા અને શા માટે એ જુઓ :
આવી ઊંચાઈ ના કદી આવે, પ્રેમમાં કોઈએ પછાડ્યો છે.
આ ઉપરાંત છેલ્લાં થોડાં વર્ષોમાં લખતા થયેલાં ગઝલકારોમાં પણ અનેક એવાં ગઝલકારો છે કે જેમને સારાં અને સફળ ગઝલકાર માની શકાય. નિનાદ અધ્યાર્યુ, લક્ષ્મી ડોબરિયા, દિનેશ કાનાણી, છાયા ત્રિવેદી, કવિ રાવલ, જિંગર જોષી ‘પ્રેમ', કલ્યાણી મહેતા, નટવર આહલપરા, ભરત ભટ્ટ 'પવન', વિજય રાજ્યગુરુ, સૌમ્ય જોશી, જાતુષ જોશી, હરજીવન દાફડા, હરીશ પંડ્યા, સુંદરમ્ ટેલર, હર્ષા દવે, સલીમ શેખ, સલીમ દેખૈયા, ફિરદૌસ દેખૈયા, પરેશ કળસરિયા, અલ્પેશ કળસરિયા, પ્રદીપ શેઠ, ભરત પાઠક, અભિજિત પંડ્યા વગેરેની ગઝલો જોતાં ગુજરાતી ગઝલની આવતી કાલ ઊજળી હશે એવી આશા બંધાયા વિના રહેતી નહી. અસ્તુ,
For Private & Personal Use Only
ગ્રંથ સંપાદકનું જાહેર સન્માન
શ્રી લબ્ધિવિક્રમ સમુદાયના પરમ પ્રભાવક આચાર્યશ્રી વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં ૭૦૦ પાનાનો નંદલાલ દેવલુક
સંપાદિત વિશ્વ અજાયબી ન શ્રમણ” ગ્રંથના વિમોચન સમારોહ તા. ૧-૧૨૦૧૦ના રોજ નવા વર્ષની સુપ્રભાતે પાલિતાણામાં આરીસા ભુવનના વિશાળ પરિસરમાં યોજાયો હતો. દેશના જુદા જુદા પ્રાંતોમાંથી અનેક જૈન અગ્રેસરોની ઉપસ્થિતિ હતી.
પચીસ ગ્રંથોના સફળ સંપાદક નંદલાલ દેવલુકનું જાહેર સન્માન થયું તે ચિત્રમાં નજરે પડે છે.
www.jainelibrary.org