________________
૪૫૭
સ્વપ્ન શિલ્પીઓ છે. નીચે બાજુમાં પૂર્વાભિમુખ જામ લાખાનો પાળિયો ઊભો છે. એ પાળિયાના કંડારણમાં એની મૂર્તિ એક મરોડદાર વંકા ઘોડા પર કંડારેલી છે. લાખા ફૂલાણીના એક હાથમાં તરવાર અને બીજા હાથમાં ઢાલ છે. માથા પર મુગટ જેવી પાઘ છે. ઉપર કાંગરા છે. પાળિયા પર ડાબે જમણે સૂરજ-ચંદ્ર છે.
આટકોટથી નૈઋત્યે એકાદ ગાઉ દૂર આ સ્થાન આવેલું છે. ત્યાં લીમડાનાં વૃક્ષોની મોટી હાર છે. ત્રણ બાજુ નદીનું પાણી ફરી વળે છે. દિવાળીના પડવાને દિવસે રાજપૂતો પાળિયા પર કસુંબો ચડાવે છે. ભરવાડણો આવીને શ્રદ્ધાપૂર્વક પાળિયાને દૂધથી નવરાવે છે.
વિક વણઝાણનો ભવાઈવેશ
કરતા જોવા
સૌરાષ્ટ્રની લોકભવાઈ
અલમાવાડીના આદિવાસી નર્તકો
શ્રી જોરાવરસિંહ જાદવ સંચાલિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ગુજરાત “લોકકલા ફાઉન્ડેશન' આવા કલાકારોને ખૂણે-ખાંચરેથી શોધી રંગમંચ પર લાવવાનું અને કલાકારોને પ્રોત્સાહિત કરવાનું પ્રશંસનીય કાર્ય કરે છે. આજે ફાઉન્ડેશન સાથે દેશભરના ૫૦૦૦ જેટલા કલાકારો જોડાયેલ છે. એ વાતની પ્રતીતિ ઉપરની
તસ્વીરમાં કલાકારોની વિવિધ મુદ્રાઓ જોતાં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org