SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ત્યારે જ એ જોઈ દેવું, ના પાડવી નહીં. આ પછી શ્રી મથુરદાસ પોતાના વતન જૂનાગઢમાં આવ્યા અને જ્યોતિષ જોવા માંડ્યા. જૂનાગઢના બંગડી બજારમાં એમનું મકાન, નીચે બે દુકાનો, જે ભાડું મળે તેમાંથી ગુજરાન ચલાવે. પોતે મેડી ઉપર રહે. આખો દિ, હીંચકા ખાય અને પછી ખાધા કરે. તેમ જ આખો દિવસ નવરા પડે એટલે ગુરુએ આપેલ મંત્ર મનમાં બોલ્યા કરે. એમને કોઈ સંતાન ન થયું. પતિપત્ની બંને મોજથી રહે અને સવારથી સાંજ સુધી જે કોઈ પૂછવા આવે તેને બેસાડીને સમય મુજબ સમયકુંડળી કાઢીને તત્કાળ પરિણામ જણાવે. ન કહેવા જેવી બાબત હોય તો આડકતરી સમજ આપે અથવા આડકતરું કહેવાનું રાખે. અમારા જૂનાગઢમાં લાગલગાટ છ વર્ષના વસવાટ દરમ્યાન અમારા મિત્ર અને ત્યાંના વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી વિનુભાઈ રાણાની સાથે મુ. શ્રી મથુરબાપાને અવારનવાર મળીએ. અમો એટલે હું અને વિનુભાઈ એમને ત્યાં બેઠેલા, દરમ્યાન એક સોની પૂછવા આવ્યા. કહે 'મારે પૂછવું છે’– એથી અમો ઊભા થઈ ગયા. ચાલવા માટે પરંતુ અમો તો એમના આત્મજન હોઈ અમને બેસાડ્યા. સોનીએ પૂછ્યું, “બાપા, મારો પુત્ર મુંબઈ મોટી રકમ લઈ દાણચોરીથી સોનું લેવા ગયો છે. ત્યાંથી સોનું લઈને નીકળી ગયાને ૨૪ કલાક થયા છતાં એના કોઈ વાવડ નથી તો બાબાનું શું થયું તે જોઈ આપો.” મથુરાબાપાએ ઘિડયાળ સામે જોયું અને સમય માપીને છોકરાનું નામ પૂછી સમય કુંડળી કાઢી અને ફલાદેશ જોયો. જોઈને ગંભીર બની ધીમેથી કહ્યું કે “ઈશ્વરને ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે છોકરો સુખરૂપ ઘેર પાછો ફરે.” પૂછનાર સોનીની વિદાય પછી મથુરાબાપાએ નિસાસો નાખ્યો કે છોકરો જીવિત નથી, આ જગતમાં નથી. તેઓએ બીજે દિવસે મુંબઈના અખબારમાં વાંચ્યું કે વસઈની ખાડી કિનારે એક મડદું મળ્યું છે. તેના ખિસ્સાના પાકિટના કાગળ પરથી જાણ્યું કે તે જૂનાગઢના સોનીનો પુત્ર હતો. વસઈ ને પુલ પરથી ટ્રેન પસાર થતી વખતે જ એની પાસેથી સોનું લઈને એને બારીમાંથી ખાડીમાં ફેંકી દીધેલ. બીજો પ્રસંગ : એ સમયે ભાવનગર વિધાનસભાની ચૂંટણી. કોંગ્રેસ આગેવાન શ્રી. બળવંતરાય મહેતા સામે ત્યાંના સમાજવાદી યુવાન શ્રી પ્રતાપ શાહ ઊભેલા. ચૂંટણી પૂરી થયા Jain Education International સ્વપ્ન શિલ્પીઓ પછી મથુરાબાપાને પરિણામનું પૂછ્યું. બાપાએ કહ્યું કે શ્રી બળવંતરાય મહેતા મોટા ગજાના નેતા હારી જવાના. પરિણામ આવ્યું ત્યારે શ્રી બળવંતરાય મહેતાની હારના સમાચાર મળ્યા. મથુરાબાપાએ સમય-કુંડળી કાઢીને આ આગાહી કરેલ જે સાચી પડી. ત્રીજો પ્રસંગ : અમારા સાથી અધિકારી શ્રી કાંતિલાલ ત્રિવેદી (નામ ફેર કરેલ છે). પુત્રીનાં લગ્ન લેવાયાં. પુત્રી અને ભાવિ પતિ વચ્ચે પત્રવહેવાર ચાલ્યો. એનાથી પુત્રી નારાજ રહેવા લાગી. એથી શ્રી મથુરાબાપાને આમ થવાનું કારણ પૂછ્યું. બાપાએ સમયકુંડળી કાઢીને કહ્યું કે “દીકરીનાં ભલે લગ્નનું નક્કી થયું પરંતુ દીકરીનાં લગ્ન થાય એમ કુંડળીનો ફળાદેશ નથી. લગ્ન થવાનાં નથી એટલું જ નહીં પરંતુ કાયમી થવાની જોગવાઈ નથી અને થયું એમ જ. પુત્રીના ભાવિ પતિ મુંબઈમાં સાથે કામ કરનારી સાહેલીને પરણી ગયો. લગ્ન નિષ્ફળ ગયાં એટલું જ નહીં પરંતુ એ પુત્રીનાં લગ્ન વર્ષો પછી હજુયે થયાં નથી અને એ પુત્રી વર્ષામાં વિનોબા આશ્રમમાં રહી આવ્યા પછી પૂનામાં હાલ કોઈ સંતનો આશ્રમ સંભાળે છે. આમ શ્રી મથુરાબાપાએ વર્ષો સુધી વિનામૂલ્યે જ્યોતિષનું કામ કર્યું અને નિર્વાહ માત્ર દુકાનના ભાડાથી મળતી રકમથી ચલાવ્યો. વર્ષો સુધી ગરીબાઈમાં રહ્યા પરંતુ ગુરુની ત્રણ પ્રતિજ્ઞાઓ બરાબર પાળી બતાવી. રામભક્ત હનુમાનજીની જેમ રતુભાઈએ આખુંય મંદિર ઊંચકાવીને અક્ષયગઢમાં સ્થાપ્યું! શ્રી રતુભાઈ અદાણી રામાયણમાં એક પ્રસંગ છે કે લક્ષ્મણજી બેભાન અવસ્થામાં મુકાયા ત્યારે ભગવાન શ્રી રામે સેવક હનુમાનજીને ઔષધ લેવા વનમાં મોકલ્યા પણ હનુમાનજી ઔષધ લેવા ગયા ત્યારે લક્ષ્મણજી માટે ક્યું ઔષધ લઈ જવું તેની ભાંજગડમાં પડવાથી પછી તેમણે આખોય વનસ્પતિઓનો ડુંગર ઊખેડીને શ્રીરામ પાસે ખડો કર્યો. એવો અદ્ભુત પ્રસંગ રચનાત્મક ક્ષેત્રના અનન્ય ચુસ્ત ગાંધીભક્ત સેવક શ્રી રતુભાઈ અદાણીએ પ્રધાનપદમાંથી નિવૃત્ત થયા પછી આચર્યો. તેમણે પોતાના માનવંતા સાથી, ગુજરાત રાજ્યના એક વખતના મુખ્ય મંત્રી શ્રી જીવરાજ મહેતાની સ્મૃતિમાં ગુજરાતમાં પોરબંદર, જૂનાગઢ પાસે અક્ષયગઢ અને અમરેલીની ડુંગરમાળમાં ભવ્ય એવાં મોટાં દવાખાનાંઓ સ્થાપ્યાં. એમાં અક્ષયગઢ તો તેમણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy