________________
સ્વપ્ન શિલ્પીઓ અત્યારે ચાલું છે.
તપસ્વી સોમાભાઈએ માસક્ષમણ, સોળભથ્થુ, પંદરદસ-નવ-પાંચ વગેરે ઉપવાસ, વર્ષીતપ, ઉપધાનતપ, આયંબિલની ઓળીઓ આદિ વિવિધ તપસ્યાથી જીવનને અલંકૃત કરેલ છે. પાલિતાણામાં બે વખત ચોમાસું, ૨૪ વર્ષ પૂનમ કરી, સમેતશેખર સાત વખત જાત્રા કરેલ તથા ભારતના ૯૦ ટકા તીર્થોની યાત્રા કરી છે. હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, પાકિસ્તાન, શારજાહ, દુબઈ વગેરેનો વિદેશ પ્રવાસ પણ કરેલ છે. તેમણે પરમ મિત્ર અને મુરબ્બી શ્રી જયંતીલાલ વી. શાહ તથા હરગોવિંદ વી. શાહ તથા દલપતભાઈ એમ. શાહ સાથે ખભે ખભા મિલાવીને જે ઐતિહાસિક કાર્યો કર્યા છે તે જોઈને પ.પૂ. આચાર્યદેવશ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજી મ.સા.એ કહેલું કે “ખરેખર બેતાલીસી સમાજના આ ચાર શ્રાવક બંધુઓએ એક ઇતિહાસ સર્જ્યો છે, જેને આવનારી પેઢી સદાય યાદ રાખશે.” જેઓએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જૈન તીર્થ અને શ્રી ગોડીજીનું તીર્થ પ્રભાવક ટ્રસ્ટ, રૂની સિવાય પણ સમેતશિખરજીનાં ધર્મમંગલ વિદ્યાપીઠ, પાલિતાણા, શ્રી ભક્તિ વિહાર જૈન ધર્મશાળા અને સુરાણી ભુવન જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ તરીકે સેવા બજાવી રહેલ છે. તેમના સંસારી પક્ષે સગાં બહેન પૂ.સા. શ્રી સૂર્યકલાશ્રીજી મ.સા. આજે સ્વ-પર કલ્યાણકારી એવી સંયમજીવનની સાધના કરી રહ્યાં છે. ધન્ય છે આવા કુટુંબને!
સોમાભાઈનું રાજકીય ક્ષેત્રે યોગદાન પણ અતિ નોંધનીય છે. ધી પ્રગતિ કો.ઓ. બેંક લિ. થરા, ધી નેશનલ સીડ સર્ટિફિકેશન એજન્સી-ન્યુ દિલ્હી, ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંક લિ. પાલનપુર, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર નિયંત્રણ સંઘ, અમદાવાદ, ધી અર્બન કો. ઓપ. બેંક ફેડરેશન અમદાવાદ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ, પાલનપુર આદિમાં ચેરમેન કે ડાયરેક્ટરની ભૂમિકામાં સુંદર યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત કાંકરેજ તાલુકા પંચાયત, થરા ગ્રામ પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં તેઓ સભ્ય છે તથા કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ, બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ તથા બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘમાં ડાયરેક્ટર હતા.
તેઓ નીચેની સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. (૧) અભિનવ ભારતી, વડા (ચાર સ્કૂલો સંભાળે છે.), (૨) જે. વી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, થરાના ટ્રસ્ટી (હોસ્પિટલ
૩૬૧ નિર્માણ થઈ ગયેલ છે), (૩) શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ (જૈન બંધુઓને મદદગાર ટ્રસ્ટ), (૪) શ્રી રતનશી મૂળચંદ જૈન બોર્ડિંગ ટ્રસ્ટમાં ટ્રસ્ટી-થરા, (૫) શ્રી દશા શ્રીમાળી બેંતાલીશ જૈન સમાજ સંસ્થા સંચાલિત કાલીદાસ મંછાચંદ જૈન બોર્ડિંગના ટ્રસ્ટીવર્ય-પાટણ, (૬) શ્રી દશા શ્રીમાળી બેંતાલીશ જૈન મંડળ પાટણમાં ટ્રસ્ટી મહોદય, આ ઉપરાંત તેઓએ થરામાં દાદાશ્રીના નામે સાર્વજનિક વાચનાલય બંધાવેલ છે. આવા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન શ્રી સોમાભાઈ હમણાં જ થોડા સમય પહેલાં નવકારનું સ્મરણ કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યા.
ધર્મવીર, કર્મવીર શ્રી હરગોવિંદભાઈ વી. શાહ
“સૂરજની કિંમત એના પ્રકાશથી, દીપકની કિંમત એના ઉજાસથી, પુષ્પની કિંમત એની સુવાસથી છે તે જ રીતે માણસની કિંમત એની માણસાઈથી છે.” –આવું ચુસ્તપણે માનતા જ નહીં બલ્ક જીવનમાં ચરિતાર્થ કરી બતાવનાર હરગોવિંદભાઈનો જન્મ વડામાં ૧૯૩૧માં પિતા વીરચંદભાઈ પુંજમલભાઈના વીર સુપુત્ર અને માતા મોંઘીબહેનના રાજદુલારા તરીકે થયો. બાલ્યાવસ્થાથી જ જ્ઞાનરસિક, દેવગુરુભક્તિવંત, ધર્મશ્રદ્ધાસંપન્ન, તીવ્ર મેધાવી, વિનયી, વિવેકી અને ધારેલું કામ કરી છૂટવાની તમન્નાવાળા હોવાથી સ્કૂલ અભ્યાસ પૂર્ણ કરી હરણફાળ પ્રગતિ કરતા વાત્સલ્યના સુધાસિંધુસમ હાઇસ્કૂલના પ્રિન્સિપાલપદે બિરાજમાન થયા અને સં. ૨૦૨૧માં થરા વસવાટ બાદ તો અનેક ક્ષેત્રોમાં સિદ્ધિનાં સોપાનો સર કરતાં વિવિધ ટ્રસ્ટોમાં ટ્રસ્ટી બન્યા. (સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિકિંગ)માં માનતા જીવદયાપ્રેમી અનેક સુકૃતોના સભાગી, નિઃસ્વાર્થ શાસનસેવા અને માનવકલ્યાણનાં કાર્યો કરનાર શાસનાનુરાગી. એમનું યોગદાન ક્યાં ક્ષેત્રે નથી એ જ પ્રશ્ન છે? ચાહે ધર્મક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, કે રાજકીય ક્ષેત્રે સદા અગ્રેસર રહી સંપૂર્ણકાર્ય કુનેહ અને નિષ્ઠાપૂર્વક સુચારુરૂપે પાર પાડે જ. એની આગવી પુણ્યનિધિ અને ગુણવૈભવ એવાં કે નિરહંકાર અને લઘુતા, ઉદારતા અને કરુણા, ગંભીરતા અને ધીરતા, મૈત્રી અને પ્રેમ, નિઃસ્વાર્થતા અને સમર્પણતાથી ઘણી મોટી રકમની સખાવતો જે તે ટ્રસ્ટ માટે મેળવી આપવામાં નિમિત્તરૂપ બને જ.
ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને વડીલબંદ અને વડીલબંધુ પ.પૂ.આ.ભ.શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સાકાર પામેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org