SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ સ્વપ્ન શિલ્પાઆ. નોકરી સ્વીકારી. બાવીસ વર્ષ લશ્કરી ખાતામાં કામ કરવાનો એમને બહોળો અનુભવ હતો. શિસ્ત, નિયમિતતા, ચોક્સાઈ, જવાબદારીની સભાનતા વગેરે ગુણો લશ્કરમાં કામ કરવાને કારણે શિવલાલભાઈમાં સહજ રીતે જોવા મળતા. લશ્કરી નોકરી છોડી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું. અને પોતાના સાળા શ્રી ચીમનભાઈ કે. મહેતા સાથે મળીને મુંબઈ દીપક ટ્રેડીંગ કું. ચલાવી અને સમય જતાં વડોદરામાં દીપક નાઈટ્રાઈટ લિ.ની સ્થાપના કરી અને તેના તેઓ સેક્રેટરી બન્યા. એ ઉદ્યોગ દ્વારા તેમણે ઉદ્યોગના ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી હતી. પોતે નોકરી કરતાં કરતાં જીવનમાં ઊંચા સ્થાને પહોંચ્યા હતા એટલે નોકરી કરનાર માણસોની મુશ્કેલીઓ પ્રત્યે તેમને હંમેશા સહાનુભૂતિ રહેતી. તેઓ સ્વભાવે અત્યંત ઉદાર અને પરગજુ હતા. પરિચિત વ્યક્તિનું કામ તેઓ હોંશથી તરત કરી આપતા. છેલ્લી અવસ્થામાં તેઓ પૂરેપૂરા સ્વસ્થ હતા. જીવનમાં સક્રિય વર્ષો તો માણી લીધાં છે. આતો વધારાનાં વર્ષો છે એ ખેલદિલીથી હસતાં હસતાં કહેતા. કુદરતે એવી નોટીસ આપી છે કે જેથી ઉત્તમ ધર્મકાર્ય વેલાસર કરી શકાય. ત્યારે તેમની સ્વસ્થતા અને સમતા જોઈને એમના પ્રત્યે સૌને બહુ આદર થયો હતો. શિવલાલભાઈ વડોદરાની અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. એમની સુવાસ ઘણી મોટી હતી. અંગત રીતે પણ તેઓ અનેક લોકોને કશી પણ પ્રસિદ્ધિની કે નામ-નિર્દેશની અપેક્ષા વિના સહાય કરતા અને અનેકને અંગત મુશ્કેલીઓમાં મદદરૂપ થવા પ્રયત્ન કરતા. વડોદરાના સુપ્રસિદ્ધ કવિ ડો. રણજીતભાઈ પટેલે (અનામી) એમને અંજલિ આપતાં નીચેની પંક્તિઓ લખી છે : એક દીપક પ્રગટ્યો દીપ થકી જેણે શિવ-કલ્યાણની જ્યોત ધરી; જેની ચોગમ સૌમ્ય યુતિ ઊભરી, કે કૅની વિપદ-તિમિરહરી. એક દિવ્ય પ્રકાશ, પ્રકાશનકી; એક દીપક પ્રગટ્યો ચંદ થકી, જ એને જીવન કોડિયે સ્નેહ છલોછલ એનાં કર્મની વાટ અહો કશી નિર્મલ. સ્થિર સૈર પ્રકાશ ઝગી શું પલેપલ; નિશદિન નિશા હરવાનું કશું બલ ? મહાજ્યોતિ શું આખિર એ લપકી; એક દીપક પ્રગટટ્યો દીપ થકી. સેવાના વિવિધક્ષેત્રે અગ્રેસર શ્રી શાહ સુરેશભાઈ કાન્તિલાલ વતન : ઊંઝા, ઉત્તર ગુજરાત, જન્મતારીખ : ૧૨-૧૧૯૫૧. સમાજજીવનનાં, હરેક જ્ઞાતિ-જાતિનાં, નગરનાં કાર્યોમાં રસ ધરાવે છે. મુખ્યત્વે સેવાકાર્ય લાયન્સ ક્લબ, ઊંઝાના બેનર નીચે અવર્ણનીય રહ્યું છે. સેવાના ક્ષેત્રે સેવાનાં કાર્યોની વણથંભી વણઝાર ૧૯૭૩થી શરૂ કરી ૨૦૦૧ સુધી અવિરતપણે ચાલુ છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ કોલેજકાળ દરમ્યાન “અસાઈત સાહિત્યસભાનાં મંડાણ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની સાથે કર્યા. કોલેજકાળે સેવા મુખ્ય હેતુ હતો. આર.એસ.એસ., એન.સી.સી. અને રમતગમત શોખના વિષયો હતા. શુટિંગ, બેડમિંગ્ટન, લોનટેનિસ, કેરમ, ટેબલટેનિસમાં અનેકવિધ એવોર્ડ હાંસલ કરેલ. ત્યારથી “યુનિવર્સિટી'માં ઉ. ગુજરાતના ચેરમેન પદે ૧૯૭૨માં ચૂંટાયા ત્યારથી, “એશિયા ૭૨'થી શ્રી ગણેશ થયા. ચડતી-પડતીનાં કાર્યોમાં આર્થિક ભીંસ અથવા બીજાં વિનો ગર્ભશ્રીમંતાઈના કારણે આવ્યાં નથી, પરંતુ ઊંચાં સેવાકીય કાર્યો કરતાં વિદનસંતોષીના કારણે વિદનો આવે પણ વાદળ આવીને જતાં રહે તેમ ઓસરાઈ જાય. માંગલિક જીવનની શરૂઆતમાં જ ધાર્મિક સંસ્કારોનું સિંચન, નાની ઉંમરે ઉપધાન તપની આરાધના, તેમના જીવનનું ઉચ્ચતમ પાસું રહ્યું છે અને પિતાશ્રી માઉન્ટ આબુ ખાતે પારિવારિક શિબિર ટૂરનું આયોજન કરતા ત્યારે બે-ચાર કલાક ઉપરાંતના અષ્ટ પ્રકારી પૂજાની એકધારી આધ્યાત્મિકતાની લીંક એમના જીવનનો યાદગાર પ્રસંગ છે. જીવન જીવવાની કલા પરમ પૂજ્ય પિતાશ્રી દ્વારા ઘડવામાં આવી. વિવિધ ક્ષેત્રોમાં “શ્રી જૈન નીતિ-કલ્યાણ મંડળ'ના પ્રમુખપદે જૈન સંઘના પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાનનાં મુખ્ય કાર્યોમાં આગળ પ્રતિભા ઉપસાવતો ભાગ લીધેલ ગ્રંથ બનાવ્યો તે શતાબ્દી ગ્રંથની કમિટીના મુખ્યપદે રહી સંપાદન કરવાનો લાભ મળેલ છે. લાયન્સ ક્લબ ઊંઝાના સભ્ય, સેક્રેટરી, પ્રમુખ ", , , Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy