SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ વાર માતા-પિતા–ઘર છોડીને અહીં આવ્યા છે. કોઈ પણ અણઘટતું બને તો પછી બીજી વાર કોણ પોતાના વહાલસોયા બાળકને અહીં ભણવા મોકલશે? આ તોફાન તો શમાવવું જ જોઈએ. પૂજ્ય પ્રેમસૂરિ મહારાજે શાંત-ચિત્તે બધાને ઉદ્દેશીને કહ્યું: “આનો એક જ ઉપાય છે. કોઈ વિદ્યાર્થી કે સાધુ, આ ક્ષણે કોઈ શ્રેષ્ઠ–સંકલ્પ કરે, તો જ આ ભયાનક તોફાન શમે! કોણ આ પડકાર ઝીલશે! પવિત્ર અને મહાન સંકલ્પ કોણ કરશે?” કટોકટીની આ ક્ષણે, વિદ્યાર્થીઓના વૃન્દમાં એક હતા કુમારપાળ વિ. શાહ. હૃદયમાં ગજબનો ઝબકારો થયો. પરમ સંયમધર પૂજય પ્રેમસૂરિ મહારાજના ચરણ-સ્પર્શ કરી વિનીત સ્વરે કહ્યું : આ આવેલી કુદરતની મહાન આપત્તિને શમાવવા આ ક્ષણે, હું આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરું છું.” હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી આ ભાવનાનો પ્રકૃતિએ પળવારમાં પુરસ્કાર આપ્યો. જાણે, કશું બન્યું જ ન હતું! ભયાનક અને બીકાળવું તોફાન, શાંત થઈ ગયું. બધાના જીવ હેઠા બેઠા. સૌને હાશ થઈ. મુનિમહારાજે બધાની વચ્ચે કુમારપાળની આ “ભીષ્મપ્રતિજ્ઞા'ની વાત કરી, અનુમોદના કરી. “જ્ઞાન મળ્યું, વરદાન મળ્યું, ને કુમાર બહુ હરખાયો, દૂર થયો અંતરથી એના, માયાનો ઓછાયો; જીવન બદલ્યું, દષ્ટિ બદલી, સાર-સકળ સમજાયો, જ્ઞાનશિબિરો સ્વયં સજાવી, પ્રેમ અમી રસ પાયો, ભર યૌવનમાં પીધો એણે, કર્મયોગનો કાવો, ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો”-૬ ભવિષ્યના રાજમાર્ગની કેડી કુમારપાળના જીવનમાં કંડારાઈ! જીવનના ઊધ્વરોહણનો પ્રારંભ થયો. ગુરુ મહારાજનું જન વરદાન મળ્યું. દાદા પ્રેમસૂરિ મહારાજના હાથે પ્રેમનો અમીરસ પીધો. હૈયું હરખથી છલકાઈ ઊઠ્યું. જીવન બદલાયું સાથે-સાથે યુ સાથે સાથે જીવન નીરખવાની દૃષ્ટિ પણ બદલાઈ. જીવનનો સાર શેમાં છે એ સમજાયું. કામનું ઔષધ કામ છે એ ન્યાયે કર્મયોગ આદર્યો. ામ છે એ ન્યાયે કર્મયોગ આ પરોપકારના કર્મયોગ તરફ દૃષ્ટિ માંડવા, યા–હોમ કર્યા. જનકલ્યાણને કાજે એણે, નિત્ય વિહારો કીધા, માનવ-મનની શાતા કાજે, લખ ઉપચારો કીધા; નાત ન જોઈ, જાત ન જોઈ, ધર્મપ્રચારો કીધા, સ્વપ્ન શિલ્પીઓ સૌને કાજે ખુલ્લાં એણે દિલનાં દ્વારા કીધાં. ભેખ થયો બસ એક જ! કરુણા વહેંચો-વહેંચાવો, ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો”-૭ કર્મયોગની દુનિયામાં પ્રથમ ડગ ભર્યું, વિદ્યાદાનથી. જન-જનના કલ્યાણ કાજે, ખૂબ પ્રવાસ કર્યા. માનવ–મનને શાતા પમાડવા “લખ ઉપચાર' -ઘણા ઘણા પ્રયાસ કર્યા. નાત-જાત તો ન જોઈ, દેશ-પ્રાન્તના સીમાડા પણ ન ગણકાર્યા. એમ.પી., યુ.પી., દક્ષિણ ભારતમાં બધે જ, જ્યાં-જ્યાં પૂજ્ય ગુરુ ભગવંતોનો સમાગમ પ્રાપ્ત ન થઈ શકતો હોય તેવાં ક્ષેત્રોમાં ઘણી બધી અગવડો વેઠીને પણ ધર્મના પ્રસાર માટે તેમણે પોતાના દિલના દરવાજા ખુલ્લા મૂકી દીધા. ભેખ લીધો. દુઃખ દેખી કરુણાથી દ્રવી જાય તેવા હૈયે માત્ર–કરુણા પ્રેરિત થઈને સમગ્ર દેશને પોતાનું ઘર-આંગણ બનાવી દીધું. “ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વ તણી વિશાળતા' એ પંક્તિને સાર્થક કરી દીધી. “જીવદયાને ખાતર એણે, જોઈ ન સાંજ-સવારો, પ્રેમ અને કરુણાથી જોડાયા, ભગ્ન-હૃદયના તારો; મંદિર બાંધ્યાં, તીર્થો સ્થાપ્યાં, વણિક થયો વણજારો, દાનનો એને પગલે પગલે, પ્રગટ્યો ભવ્ય કુવારો, પાલિતાણા જઈ લૂંટાવ્યો, સંતસેવાનો લહાવો, ‘ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.”-૮ તેમના કાર્યક્ષેત્રની યાદી ઘણી લાંબી છે. એમાં પણ, સૌ પ્રથમ અને કાયમનું મહત્ત્વનું કાર્ય તો જીવદયાનું જ. મૂંગાંઅબોલ પ્રાણીની વાત આવે ત્યારે સવાર-સાંજ તો ઠીક પણ ખાવું-પીવું, ઊંઘ-આરામ બધું જ બાજુ પર! પોતાની જાતની સંપૂર્ણ બાદબાકી–એમ કહી શકાય ! દુષ્કાળમાં જીવો બચાવવા તેમણે તનતોડ કામ કર્યા. કેટલ-કેમ્પોની તો લાઇનો લગાડી. માત્ર પૈસા, વહીવટ કે વ્યવસ્થા પૂરતું એમનું કાર્યક્ષેત્ર સીમિત ન રહેતું. એ કામમાં એમનું દિલ રેડાતું. કેટલ-કેમ્પની ગાયો સાથે તો તેમનો અંતરનો નાતો! “ગૌરી’, ‘ગંગા’–આમ જરા ગાયોને બરકે કે ગૌરી, ગંગા ગાયો કુમારપાળભાઈ પાસે, આવી ઊભી રહી જાય! દિલમાં અને વ્યવહારમાં પ્રેમ અને કરુણા જ ભરેલાં છે. કેટલાંયે ભાંગેલાં હૈયાંને પણ તેમણે મમતાના દોર વડે જોડ્યાં તીર્થ અને મંદિરના જીર્ણોદ્ધારનાં ભગીરથ-કાર્યોમાં પૂરો Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy