________________
૩૧૨
અમદાવાદથી બોલાવવા અને વધારેમાં વધારે સુવિધાઓ છેવાડાના નાના વ્યક્તિઓને મળે તેવા અભિગમ સાથે સતત કાર્યશીલ રહ્યા.
SELFSATISFACTIOIN—આત્માનો સંતોષ સેવાનો પમરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઊંઝા નગરના ચારે ખૂણે શાળાઓના, પ્રાથમિક શાળાની બિલ્ડિંગોના ઊંઝા નગરના સર્જનના પાયામાં તેઓશ્રી રહ્યા. તેમનો ફાળો શાળાઓના સર્જનમાં નોંધનીય રહ્યો. અનેક અડચણોમાં સર્જન શક્ય બન્યું. સહાય સમાજની સંપત્તિના સાચા રાહી બની અનેકવિધ શુભ કાર્યોના અનેકવિધ સંસ્થાઓના કાર્યકર બની સેવાકીય સુવાસ ગુણગ્રાહી ર્દષ્ટિથી ફેલાવી શક્યા.
વર્ષો પહેલાં આંખની માવજત કેવી રીતે કરવી? કોઈ ન જાણે, ત્યારે ઊંઝા નગરમાં ‘નેત્રયજ્ઞો' અમદાવાદના સર્જનો દ્વારા ઓપરેશન કેમ્પોને સફળ બનાવવાના વેપારી મંડળના અગ્રેસર રહી નગરમાં સેવાના પ્રદાનમાં મોખરે રહ્યા હતા. ઊંઝા નગરમાં હોસ્પિટલનું આયોજન થયું. સિવિલ હોસ્પિટલમાં પોતે કાર્યરત રહ્યા અને પોતાના નામે ‘એક્ષ–રે રૂમ' આપ્યો. સિવિલ હોસ્પિટલ અદ્યતન ઊંઝા નગરમાં બને તે માટે અથાગ પ્રયત્નો કર્યા. પ્રમુખ શ્રી મોહનભાઈ હરિભાઈ પટેલ અને મંત્રી શ્રી કાન્તિલાલ લહેરચંદ હોદ્દા ઉપર કલ્યાણ મંડળમાં સાથે રહી અનેકવિધ સેવાનાં કાર્યો કર્યાં, અનેકવિધ સંસ્થાઓમાં કારોબારી સભ્ય તરીકે તથા હોદ્દાઓ વગર સમાજમાં સતત કાર્યો કરતા રહ્યા.
એશિયાખંડમાં સુપ્રસિદ્ધ માર્કેટિંગયાર્ડના કાર્યમાં કલ્યાણમંડળ દ્વારા કામકાજનો વહીવટ કુશળતાપૂર્વક, નિયમિત, શિસ્તબદ્ધ રીતે, કરકસરપૂર્વક પોતાની કુનેહથી કરીને પોતાની નેતાગીરીની ઝાંખી સમગ્ર નગરમાં કરાવી હતી. તેઓશ્રીનો વેપાર અંગેનો બહોળો અનુભવ સાહસિકતા, નીતિમત્તાથી વ્યાપારને આગળ વધારવામાં અને ઉત્તરગુજરાતના વેપારી મથકોમાં શ્રેષ્ઠી શ્રી શાહ કાન્તિલાલ લહેરચંદનું નામ મોખરાનું રહ્યું. જીવનમાં કારકિર્દીના શ્રી ગણેશ કઠોર પરિશ્રમ અને પારિવારિક સંજોગોના સંઘર્ષ વચ્ચે કરી જાહેર જીવનની સેવાનાં કાર્યોની શરૂઆત ૨૧ વર્ષની ઉંમરથી જ કરી દીધી હતી. પાકિસ્તાન–ભારતના છૂટા પડ્યા પહેલાંની વાત, આઝાદી પહેલાંના વ્યાપારી ઘડવૈયા શેઠ શ્રી કાન્તિલાલે તેમની હૈસિયતથી વધારે સાહસિક ધંધો ખેડ્યો હતો. ભારત દેશનાં મોટાં શહેરોને તે જમાનામાં ખૂંદી વળી પોતાના જોમથી તેઓ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ વેપાર કાર્ય કરતા હતા. ઇતિહાસના પાને કંડારાય તેવો કિસ્સો સમગ્ર વેપારી આલમમાં જ્યારે પાકિસ્તાનમાંથી સરસવની સ્ટીમર ભરી બીલ્ટીઓ, કલકત્તા માર્કેટમાં વેચવી તેવું મોટું સાહસ માત્ર સાત-આઠ હજાર કમાવવા ચાર્ટર્ડપ્લેન કરી કલકત્તા રસીદો વેચી ત્યારે આવું મોટું સાહસ ઉત્તર ગુજરાતના અમદાવાદ–વડોદરાથી આબુ સુધી પડકાર ફેંકનાર શ્રેષ્ઠી શ્રી સાહસિક વેપારી હતા. તે જમાનામાં કોઈ વ્યાપારી પ્લેનમાં બેસવાનું નામ લેતા નહોતા ત્યારે ચાર્ટર્ડપ્લેનની વાત આશ્ચર્યજનક ઘટના સાહસ હતી. ઊંઝા નગરમાં ઊંઝા જૈન સંઘનું નૂતન દહેરાસર સ્ટેશન રોડ ઉપર બન્યું તેમાં તે કાર્યના તેઓ અગ્રેસર રહ્યા અને નિર્માણ થયા પછી તેની પ્રતિમાઓ આજે પણ આપણી સાથે વાતો કરે તેવી મુખાર્વિદવાળી કેશરિયા નગરમાં અંજનશલાકા શ્રી સંઘના નેજા હેઠળ થઈ હતી. પોતાની જાતે શ્રી ઊંઝા જૈન સંઘમાં પ્રતિમાઓને ઠાઠથી મોકલવામાં, ત્યારબાદ ત્રણે પ્રતિમાઓને તેમની જ ઓફિસ માર્કેટયાર્ડમાં પધરાવી ગંજબજારમાં મીઠાઈ વહેંચી વાજતેગાજતે નગરપ્રવેશ માટેની યાત્રાની શરૂઆત થઈ હતી. શ્રી શાંતિનાથ ભગવાનના નગરપ્રવેશના, અંજન શલાકાના તથા પ્રતિષ્ઠાના ચઢાવા લઈ પોતાની જાતને ધન્ય બનાવી હતી. પોતાની મહેચ્છા હતી. ઊંઝા નગરનાં તમામ જૈનોનો ‘શ્રી શંખેશ્વર તીર્થ' યાત્રાનો સંઘ કાઢવો. યાત્રા સંઘ અવિસ્મરણીય બની રહ્યો. સતત સાત દિવસ સુધી જમણવારો, સાચા ચાંદીના પાંચ છોડ ભરાવી ઉજમણું કર્યું હતું. પ.પૂ. આચાર્ય શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા સંસારી ભત્રીજા પ.પૂ. ચંદ્રોદયવિજયજી મ.સા., પ.પૂ. દક્ષપ્રભવિજયજી મ.સા.ના આશીર્વાદ અને માળનો કાર્યક્રમ ઊંઝાના અગ્રગણ્ય વેપારી વ.થી મહેમાનોથી ભરચક બની રહ્યો હતો.
સાધર્મિક ભક્તિ તેમનો આગવો સેવાનો શોખ હતો. ચૈત્ર માસની ઓળી પોતાનો વારસામાં મળેલો તપની અનુમોદના કરવાનો સતત રહ્યો. શ્રી ઊંઝા જૈન મહાજનમાં ચૈત્ર માસની ઓળીમાં પોતાનું નામ જોડાવી અનુદાન આપી સ્થાયી ફંડમાંથી થતી રહે તેવું કર્યું. હવે ત્યારબાદ સોસાયટીમાં રહેવા આવતાં પોતાના બંગલે જ બંગલામાં સતત સાત વર્ષ સુધી જાતની મહેનત–દેખરેખ નીચે ચૈત્ર-આસો માસની ઓળી કરાવતા રહ્યા અને વ્યવસ્થા નેટવર્ક ગોઠવાતાં. અનુદાન આપી કાયમી ધોરણે લાભ લીધેલ છે.
ઊંઝા સંઘે શ્રી શંખેશ્વર તીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો
For Private & Personal Use Only
www.jainelibrary.org