________________
૩૧૦
કાન્તિભાઈનું જીવન અત્યંત સાદગીભર્યું છે. આટલી તપસ્યા કરે છે, દાનવીર છે પણ જુઓ તો લાગે નહીં! તપસ્યા, દાન કે જ્ઞાનનું કોઈ અભિમાન નહીં. કોઈની સાથે ઝઘડો નહીં. જે મળે તે ચલાવી લેવું. સત્તાની મારામારીમાં ઊભા ન રહેવું તે તેમની વિશિષ્ટતા છે. પોતે જે બોલે એ પાળે છે એટલે કે એકવચની છે. આટલી ઉંમર હોવા છતાં શરીરનો પૂરો કસ કાઢી રહ્યા છે. ચઢાવો બોલ્યા પછી સમય ન થયો હોય તો પણ રકમ જમા કરાવે છે.
સહચારિણી–સહધર્મિણી
ત્રણ યાત્રા તથા
શ્રીમતી કંચનબહેને બે ઉપધાન, બે વરસીતપ, ૧૦૮ પાર્શ્વનાથ તપ, ચોવીસ ભગવાનના એકાસણાં, વીસ સ્થાનકની ઓળી આદિ તપસ્યાઓ કરેલ છે. પાલિતાણામાં ચાર વખત નવ્વાણું યાત્રા, ચાર ચોમાસાં કરેલ છે. ગિરનારજીની સમેતશિખરજીની છ જાત્રા કરેલ છે. મદ્રાસમાં સજોડે પ.પૂ.આ. દેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં બાર વ્રત અંગીકાર કરેલ. અત્યારે ૮૨ વર્ષની જૈફ વય પણ વૈયાવચ્ચ માટે હંમેશાં તત્પર હોય છે. કાન્તિભાઈ નોકરી કરતા ત્યારથી લગાવીને આજે પોતે લાખો રૂ।.નું દાન કરે છે ત્યાં સુધી એજ સરળ સાદગીભર્યું–પ્રેમભર્યું જીવન છે.
શ્રી કાન્તિભાઈએ અને શ્રીમતી કંચનબહેને સજોડે નીચે મુજબ જાત્રાઓ કરી છે.
પૂ.આ. શ્રી ગુણરત્ન મ.સા.ની નિશ્રામાં શ્રી વચ્છરાજી તથા શ્રી સાંકળચંદજી દ્વારા નીકળેલ શિવગંજથી પાલિતાણા ૪૭ દિવસ છ'રી પાલિત સંઘમાં જાત્રા કરી છે.
પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી દેવીચંદજી સાકરિઆ દ્વારા નીકળેલ અમદાવાદથી પાલિતાણા ૨૫ દિવસીય છ'રીપાલિત સંઘમાં જાત્રા કરી છે.
પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં જે. વી. શાહ દ્વારા નીકળેલ વડાથી શંખેશ્વર સંઘમાં અઠ્ઠમ સહિત જાત્રા કરેલ.
સ્પેશિયલ ટ્રેઇન દ્વારા એક વખત ૪૮ દિવસ અને બીજી વખત ૨૫ દિવસ તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી.
શ્રી કાન્તિભાઈના દીકરાઓ અને દીકરી પણ ધર્મના સંસ્કારથી રંગાયેલાં છે. સાંસારિક કાર્યોની સાથે-સાથે આત્માના ઉત્થાનની તરફ આગળ વધી રહ્યા છે. પ્રથમ પુત્ર
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ મહેશભાઈ પાલડી, અમદાવાદમાં રહે છે. બે સમય પ્રતિક્રમણ, નવકારસી, ચોવિહાર વગેરેની દૈનિક આરાધના છે. અષ્ટપ્રકારી પૂજા કરીને જ નવકારસી કરે છે. સવારે બે કલાક મૌન રાખે છે. પાલડીમાં શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કર્યા છે. ત્યાંનો વહીવટ સંભાળે છે. ત્યાંની પાઠશાળાનું સંચાલન કરે છે. બારે મહિના ગુરુભગવંતોનું આવાગમન રહે છે. તેમનાં વિનય, વૈયાવચ્ચ કરે છે. દર વર્ષે આજુબાજુનાં તીર્થોની તથા શ્રી સિદ્ધાચલજીની યાત્રા સપરિવાર, મિત્રો સહિત વર્ષમાં ત્રણ-ચાર વખત ઓછામાં ઓછી કરે છે. પ્રદીપભાઈ અમદાવાદમાં રહે છે. દરરોજ નવકારસી, ચોવિહાર, સ્નાત્રપૂજા આદિ આરાધના કરે છે. પ્રભુપૂજા કરીને જ નવકારસી કરે છે. દરરોજ સ્નાત્રપૂજા, મોટી પૂજા વગેરે ભણાવતી વખતે પ્રભુભક્તિમાં તરબોળ બની જાય છે. મહિને ચાર-પાંચ આયંબિલ કરે છે. હંમેશાં હસતો ચહેરો અને કુટુંબીઓને ખુશ રાખનાર સુપુત્ર છે. સુપુત્રી દીપિકાબહેન પાટણમાં રહે છે. હંમેશાં તપશ્ચર્યા હોય છે. અષ્ટપ્રકારી જિનપૂજા કર્યા પછી જ વાપરે છે. માસક્ષમણ, ત્રણ ઉપધાન, અઠ્ઠાઈ, બે વરસીતપ, વીસસ્થાનક તપ આદિ તપસ્યાઓ નિર્વિઘ્ને પૂરી કરેલ છે. નવપદ તથા વર્ધમાન તપની ઓળી કરેલ છે. બાર વ્રત ધારણ કરેલ છે. શરીરનો પૂરો કસ કાઢી આત્માને દેદીપ્યમાન બનાવી રહ્યાં છે. છેલ્લાં, કેટલાંયે વર્ષોથી ઉપવાસ, એકાસણાં આદિ તપશ્ચર્યા સળંગ ચાલી રહી છે. દીક્ષાની ભાવના છે. મૂકેશભાઈ મદ્રાસમાં રહે છે. ૮ વર્ષની ઉંમરે પ્રથમ ઉપધાન કરી મોક્ષમાળા પહેરેલ. ૯ વર્ષે અઠ્ઠાઈ કરેલ. દરરોજ નવકારશી, જિનપૂજા, નવકારવાળી આદિ ધાર્મિક ક્રિયાઓ કરે છે. સામાજિક કાર્યો તથા સાધર્મિકોની મદદનાં કાર્યો કરે છે.
ઊંઝાના શ્રેષ્ઠીવર્ય : વિરલ વ્યક્તિત્વ શેઠ શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ
વતન : ઊંઝા. જન્મ તારીખ : ૧૩-૨-૧૯૧૬. મહા સુદ-૧૦, ઉંમર : ૮૪ વર્ષ, અભ્યાસ : ૧૧ ધોરણ, સ્વર્ગવાસ ૩૦-૮-૧૯૯૬,
શ્રા. વદ ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org