SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ સાપની સુગંધ સમાજજીવનના વિવિધક્ષેત્રોમાં સૌની એક વિશિષ્ટ પ્રણાલિકા છે. સૌને પોતપોતાનાં અવનવાં સ્વરૂપો છે, નવાં નવાં રૂપરંગ છે. સંસ્કાર કે સંસ્કૃતિનું માપ તેની વિશિષ્ટતા ઉપરથી નીકળતું નથી પણ માનવજીવનના વિકાસમાં સમાજઘડતરની દિશામાં, રોજરોજના દૈનિક જીવનમાં આપેલા પ્રામાણિક પુરુષાર્થના ફાળા ઉ૫૨થી જ નક્કી થાય છે. સૌએ પોતપોતાની મર્યાદામાં રહીને-કોઈએ દાનધર્મથી તો કોઈએ સેવાકાર્યોથી સમાજજીવનને એક સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. પોતાના અંગતજીવનમાં નીતિમત્તાના ઉચ્ચ ધોરણને આત્મસાત કરી અનેકોએ આપણી આંગળી ચીંધી છે. વિવિધક્ષેત્રના આવા રૂડા માનવીઓનો પરિચય કરાવે છે પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય મહારાજ. પૂ. આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરિજી મ.ના વિનેય પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર મહારાજ પ્રેરણા : વિજય ભુવનભાનુસૂરિજી મ.ની જન્મશતાબ્દી વિ.સં. ૧૯૬૦-૨૦૬૭ પ્રસંગોપાત જૈનધર્મની અતિ પ્રાચીનતાનો પરિચય કરાવનાર પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યરત્ન વર્ધમાન આયંબિલ ઓળી ૧૦૦+૨૯ના આરાધક પં.પૂ.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર તથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. જેમનો ૩૪ વર્ષનો દીક્ષાપર્યાય છે. આ બંને સહોદરો નવાં નવાં સંશોધન અને ચિંતન સાહિત્યમાં ખૂબ જ રસ-રુચિ ધરાવે છે. પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ પૂ. ગુરુદેવની કૃપાથી અને અમરેલી ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વક રજા લઈને દીક્ષા લીધી. પૂજ્યશ્રીની સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહ્યાં છે. સાદર વંદનાવલી —સંપાદક સદાચારપ્રેમીનું જબ્બર સમર્પણ અહીં શીલનો મહિમા પૂર્વના ૠષિ-મુનિઓ જે ગાય છે તે જોઈએ :-અશુદ્ધચિત્તવાળા પણ જે ભવ્ય જીવો માત્ર કાયાથી જ બ્રહ્મચર્ય ધારણ કરે છે, તેઓ પણ ચોક્કસ પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે, વિશુદ્ધ એવાં કાર્યો કરવાં દ્વારા મરણને ભેટવું તે સારું છે; પણ લીધેલા વ્રતનો ભંગ કરવો સારો નથી; શીલનું ખંડન કરીને જીવન જીવવું સારું નથી. Jain Education International સજ્જન પુરુષો જેમ બીજાનું એઠું કે વિષ્ટાનું ભોજન કરતા નથી; તેમ બીજાની સ્ત્રીને ભોગવતા નથી. જે દુરાચારી અને નિન્દિત પુરુષો છે તે કૂતરાની જેમ એઠું-જૂદું ખાવાસ્વરૂપ બીજાની સ્ત્રીની સાથે દુરાચાર સેવન કરે છે; શીલ એ શ્રેષ્ઠ ૨૫૧ આભૂષણ છે, એ સર્વસ્વ છે, એ પોતાના જીવન જેવું છે, તેથી જ શીલપ્રેમીને શીલથી અધિક બીજું કાંઈ જ નથી. નિર્મળ શીલવાળો ભવ્ય આત્મા આ લોકમાં યશ અને કીર્તિ પામે છે, એ સર્વ જનવલ્લભ હોય છે જ. એ પરલોકમાં શુભગૃતભાગી બને છે. અહીં આપણે વર્તમાનકાલીન એક અત્યંત શીલપ્રિયા જૈન બહેનની વાત કરવી છે. રાજકોટનાં એ પુત્રી પરણીને વેરાવળ શહેરમાં આવ્યાં. શ્વસુર પક્ષમાં બે જ પુરુષો. એક પતિ અને બીજા પિતાતુલ્ય સસરાજી. આ સિવાય સાસુ-નણંદ વગેરે સ્ત્રીવર્ગ કોઈ જ નહીં. લગ્નના ૪-૫ દિવસમાં જ ચકોર આ શીલવલ્લભા બહેનને પોતાના સસરાનો પોતાના તરના દુરાચારનો અનેકાનેક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy