SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 9999999 Bી કેરી - ' : ' 2: 5 :: B ) :: : ? :: : : :::', SS 'A છે N s જય જય ગરવી ગુજરાત # Rocodiosiddddીdooodddden *•-• ( પ્રસ્તાવના ) VDA ડો. ભારતી શેલત ભારતવર્ષની આ પવિત્ર ભૂમિમાં જ્ઞાન, ધ્યાન, તપ અને સંયમની સાધના દ્વારા પોતાના આત્માને પવિત્ર અને આનંદમય બનાવી અન્યને પણ તેવું ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપનારા સંતો અને મહાપુરુષોની પરંપરા અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ પરંપરાને અનુરૂપ સંતોનું અસ્તિત્વ આ ભૂમિ પર કાયમ માટે રહ્યું છે. આર્યસંસ્કૃતિની ઉત્તમ, સાત્ત્વિક, પરોપકારી અને 2 અધ્યાત્મપ્રધાન આચારસરણી અને વિચારશ્રેણીથી ભારતવર્ષ ઉન્નતિના શિખરે રહ્યું છે. પુરુષો જ કરી માટે પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર જણાવ્યું છે : શાસ્ત્રમાં જીવન જીવવાનો માર્ગ દર્શાવ્યો છે. મર્મ કહ્યો નથી. મર્મ તો! સપુરુષોના હૃદયમાં રહેલો છે.” “વિષયોની આશા નથી જેને, સામ્યભાવ ધન ધારે છે; નિજ પરના હિત સાધનમાં, નિશદિન તત્પરતા રાખે છે. સ્વાર્થ-ત્યાગની કઠિન તપસ્યા, ખેદરહિત થઈ સેવે છે; તેવા સાધુ-જ્ઞાની જગતના દુઃખસમૂહને છેદે છે.” ભારત પાસે ભૂતકાળની ભવ્યતા છે, સંસ્કૃતિનો વૈભવ છે, ઋતંભરા પ્રજ્ઞાનો વારસો || IN Sા છે અને અવ્યભિચારિણી ભક્તિની પરંપરા છે. સંસ્કૃતિનો આત્મા શિક્ષણ છે. માનવને 4 ] માનવ બનાવવાના પ્રયત્નને સંસ્કૃતિ કહે છે. સંસ્કૃતિના વિરાટ પટ પર અજવાળું પાથરવાનું કામ સંતો અને મહામાનવો કરે છે. માનવતા અત્યંત મૂલ્યવાન છે, એવું માણસને સમજાય છે તે જ ખરા ધર્મોદયનું લક્ષણ છે. મનુષ્ય જીવનની ગરિમા જળવાય તે જ ધર્મની સંસ્થાપના 1 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy