________________
૨૧૪
Leaving me drift alone to flow
And reach to the bank, should I row? Still none to lead me, no paradies to show Dropping me near hells gate
It has fair? Hallow!!!
આવાં એકથી એક ચઢિયાતાં અંગ્રેજી કાવ્યો લખી વિશ્વ સાહિત્યમાં મોટું યોગદાન કર્યું છે. આ કવિયત્રી બહેન શિખા પરેશકુમાર પટેલનો જન્મ ૧૭-૫-૧૯૮૫ના રોજ, ગાંધીનગર (ગુજરાત)માં થયો હતો. એમના શિક્ષણની વાત કરીએ તો તેઓ બી.એ.(ઈંગ્લિશ), ફેશન એન્ડ ક્લોથિંગ ટેક્નોલોજી (FCT) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી-ગાંધીનગરમાંથી કર્યું. એમના શોખના વિષયો છે પેઇન્ટિંગ, મોડર્ન આર્ટ. રાઇટિંગ એન્ડ ડિઝાઇનિંગ ગારમેન્ટસ.
આપણને જાણીને આનંદ થાય કે ચિ. બહેન શિખા આપણા જાણીતા કવિશ્રી હસમુખ મઢીવાળાનાં પૌત્રી થાય. આ આપણી યશસ્વી કવયિત્રી બહેનને અંતરના ઊમળકાથી
આવકારીએ અને એમની આ સાહિત્યિક પ્રવૃત્તિને બિરદાવીએ. કવિદાદાની આ કવિયત્રી પૌત્રીને ખૂબ-ખૂબ અભિનંદન.
કથકના નૃત્યાંગના શોભના નારાયણ
સાડા ત્રણ-ચાર વર્ષની ઉંમરથી જ નૃત્યનો આરંભ કરનાર કત્થક નૃત્યાંગના શોભના નારાયણ આજે તો રાષ્ટ્રીય કક્ષાની કન્થક નૃત્યાંગના તરીકે ખ્યાતિ પામી ચૂકી છે. એમની માતાએ જ એમને આ તરફ વાળ્યાં હતાં. એમનું કહેવું હતું કે તેનાં માતા તેમનાથી કંટાળી ગયાં હતાં, કારણ કે તેમની માતા તેમને જે કામ કરવાનું કહેતાં, તો એ જાણે થાકી ગયાં હોય એમ બેસી જતાં. એટલે એમની માતાને થયું કે એમને કંઈક પ્રવૃત્તિમાં વાળવાં, જેથી દીકરીને રસ પડે અને એ ક્ષેત્રમાં આગળ વધે. તે દિવસમાં તે લોકો કલકત્તામાં રહેતાં હતાં.
એમના કાકા એક દિવસ એમને ખૂબ જ ખ્યાતનામ નર્તકી શોભના બોઝને ત્યાં લઈ ગયા તો એણે કહ્યું ‘ શું આ ખોળાનું બાળક ઉઠાવી લાવી?' ખેર, શરૂઆત ત્યાંથી જ થઈ. પછી તો પિતાજીની બદલી પહેલાં મુંબઈ અને પછી ત્યાંથી દિલ્હી થઈ. અગિયાર વર્ષની ઉંમરે તો એમણે પંડિત બિરજુ મહારાજ પાસે નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે આજ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ તેઓ જે કાંઈ છે એ એમનાં માતા-પિતા અને ગુરુજીના કારણે છે. એમની પોતાની મહેનત તો છે જ, પરંતુ એમના પતિ અને પુત્રનો સહયોગ અને પ્રોત્સાહન પણ ઓછાં નથી.
લોકોને આશ્ચર્ય થાય છે કે શોભના નારાયણ ઘર, નોકરી અને કલા ત્રણેનું સંતુલન કેવી રીતે જાળવી રાખે છે! એમનું તો માનવું છે કે દરેક વસ્તુનો રસ્તો હોય છે. હા, મહેનત ખૂબ જ કરવી પડે છે. એમને બાળપણથી જ મહેનત કરવાની ટેવ પડી ગઈ છે. તેઓ સવારે વહેલાં ચાર વાગે ઊઠીને વાંચતાં હતાં. નિશાળે પણ જતાં હતાં. સ્ટેજનું કામ પણ ચાલતું હતું અને તેઓ કહે છે કે આ જ કારણે એમનાં આ ત્રણે ક્ષેત્રો એકબીજાને આડે નથી આવતાં. ઓફિસમાં તેઓ એક અધિકારિણી તરીકેની ભૂમિકા ભજવે છે. એમને તો ખબર છે કે લોકો સાથે એમના પ્રશ્નોની પતાવટ કેવી રીતે કરવી જોઈએ. જે કામ કરો તે પૂરા સમર્પણની સાથે કામ કરો, અર્ધા મને કશું ન કરવું જોઈએ. નહીં તો કંઈ મેળવી નહીં શકો. જે તમે કરો છો, એ માટે તમને પસ્તાવો ન થવો જોઈએ.
આ એક અધિકારી તરીકેની સફળતા છે કે કેવી રીતે દરેક જાતની પરિસ્થિતિમાં એકબીજા સાથે તાલ-મેળ બેસાડી દે છે. આજ રીતે ‘સ્ટેજ' પર તેઓ એક કલાકાર છે, જેની એમને ખબર છે કે આ ક્ષેત્રમાં કોઈ સમાધાન નથી. એકવાર ભૂલ થઈ કે ગરબડ, તેઓ આટલાં વર્ષોથી ‘સ્ટેજ' પર છે અને દર માસે છ-સાત શો થતા હોય છે, પણ એમને એ વાતની ખબર છે કે ‘નૃત્ય’માં કોઈ પોતાનું નથી હોતું. તમારું કામ જ તમને આગળ વધારે છે, એટલે હંમેશાં ‘જાગૃત’ રહેવું પડે છે.
હમણાં જ એમણે એક ફિલ્મ ‘અકબર્સ બ્રિજમાં અભિનય આપ્યો છે, જે જોનપુરની પાસે ગોમતી નદી પર અકબર દ્વારા બનાવવામાં આવેલ પુલના નિર્માણની કથા પર આધારિત છે. એમણે આ ફિલ્મમાં વૃદ્ધ કુંભારણની ભૂમિકા ભજવી છે. ફિલ્મોમાં અભિનય કરવાના પ્રસ્તાવ તો એમને મળતા રહે છે, પણ તેઓ તો નૃત્ય પ્રત્યે જ સમર્પિત રહેવા માગે છે, કારણ અભિનય તો એમાં પણ હોય છે.
નવરાશના સમયમાં તેઓ ઘર સંભાળવાનું, જમવાનું બનાવવાનું, સાફ-સફાઈ કરવાનું, એટલે તે એ બધાં કામ કે જે સ્ત્રી માટે કુદરતી રીતે ગમતાં કામ છે. એ ઉપરાંત એમને બહારનું ટ્રેડિંગ', લોકોને હળવા-મળવાનો અને એમને પુસ્તકો વાંચવાનો શોખ પણ ખૂબ જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org