SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ આવા ગુણિયલ ગુર્જર નારીના સાહિત્યસર્જનને આપણે અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ, અને પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુ અને સુખમય સ્વાસ્થ્ય બક્ષે અને આવું વધુ ને વધુ પ્રેરક સાહિત્યસર્જન કરવાની શક્તિ આપે. શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સેવાનું સુભગ મિલન પ્રા. ડૉ. પ્રફુલ્લાબહેન એન. પટેલ સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવામાં જેમણે અનેરું પ્રદાન કર્યું છે, એવા મહેસાણા જિલ્લાનાં નારીરત્નોની તો સાચે જ અલગ ઓળખ છે. આપણા મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ઝૂલાસણની વતની બહેન સુનીતા પંડ્યા (હવે સુનીતા વિલિયમ)એ નાસાના કાર્યક્ષેત્રમાં કલ્પના ચાવલાના અવસાન પછી અવકાશયાન દ્વારા અવકાશમાં પહોંચી જે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે, એ માટે આખો દેશ આજે ગૌરવ અનુભવે છે, અવકાશમાં વધુ સમય રોકાવાનો વિક્રમ પણ એમણે તોડ્યો છે, આવાં જ બીજાં આ જિલ્લાનાં નારીરત્ન છે નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી અને સફળ શિક્ષણમંત્રી આપણાં આનંદીબહેન પટેલ આવી તો કેટલીય આપણી ગૌરવશાળી બહેનો આ જિલ્લાની છે, જેમણે રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આવાં જ આપણાં એક યશસ્વી નારીરત્ન છે ડૉ. પ્રફુલ્લાબહેન પટેલ, જેઓ આજે મહેસાણાની સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક-એજ્યુકેશન કૉલેજમાં પ્રિન્સિપાલની જવાબદારી સંભાળી રહ્યાં છે. શિક્ષણ પ્રત્યેનો એમનો લગાવ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીના કારણે એમણે સફળતાનાં સોપાનો સર કર્યાં છે. એમનો જન્મ ૧૮-૧૨-૧૯૫૪ના રોજ બાલીસણા ગામે પિતાશ્રી નારણભાઈ તુલસીભાઈ પટેલ અને માતા મંગુબહેન પટેલના ખોળે ત્રીજી દીકરી તરીકે થયો હતો. એમનું વતન તો પાટણ જિલ્લાનું સંડેર ગામ. હવે પાટણ Jain Education International સ્વપ્ન શિલ્પીઓ જિલ્લો જુદો પડ્યો, પરંતુ મૂળ તો એ મહેસાણા જિલ્લાનાં ગામ. એમની શિક્ષણની વિકાસ કેડીના મૂળમાં તો એમનાં શિક્ષિત માતા-પિતા. એમના પિતાએ પોતે શિક્ષક, ચાલુ નોકરીમાં એમ.એ. કર્યું અને નગરપાલિકાના એ.ઓ. સુધી પહોંચ્યા. શ્રી પ્રફુલ્લાબહેન પોતે તો મહેસાણા બી.એડ. કૉલેજમાં આચાર્ય તરીકે શિક્ષણનું કાર્ય કરી રહ્યાં છે, જ્યારે એમનાં એક બહેન પણ પાટણ બી.એડ. કૉલેજમાં અધ્યાપિકા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આપણાં આ પ્રફુલ્લાબહેને શિક્ષણક્ષેત્રે પી.ટી.સી., બી.એ. બી. એડ. એમ. એ. અને પીએચ. ડી. જેવી ડિગ્રીઓ હાંસલ કરી છે. એમ.એડ.માં એમનો વિષય હતો મહેસાણા જિલ્લાના પાંચથી સાત ધોરણના વિદ્યાર્થીઓની અભ્યાસટેવોનો અભ્યાસ.' એમણે ઉત્તર ગુજરાતની વિધ-વિધ શિક્ષણસંસ્થાઓમાં નોકરી કરી બહોળો શૈક્ષણિક અનુભવ મેળવ્યો છે. વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુરમાં એકથી ચાર વિષયોનું શિક્ષણ, વિદ્યાર્થીઓને આપ્યું પછી મહેસાણા જિલ્લા પ્રાથમિક શાળામાં જોડાયાં. એ પછી શ્રીજી મા. કન્યા વિદ્યાલય-ઊંઝામાં એમણે શિક્ષણકાર્ય કર્યું અને હાલમાં તેઓશ્રી મહેસાણાની વિવેકાનંદ બી.એડ. કોલેજમાં આચાર્યા તરીકે શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. આ ઉપરાંત એમના શિક્ષણક્ષેત્રના અનુભવની વાત કરીએ તો ગૂજરાત વિદ્યાપીઠમાં સંશોધન વિષયક માર્ગદર્શક પરીક્ષકની જવાબદારી સંભાળી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીપાટણમાં ફિલોસોફી વિષયમાં માર્ગદર્શક પરીક્ષક તરીકેની જવાબદારી નિભાવી. એમ. ફિલ. કક્ષાએ ગણપત યુનિ. ખેરવામાં સંશોધન વિષયક કાર્યમાં ભાગ લઈ માર્ગદર્શન આપ્યું. દિલ્હી, ભાવનગર, અંબાજી જેવાં સ્થળે સંસ્કૃતને લગતા પરિસંવાદમાં ભાગ લઈ રિસર્ચ પેપર-લેખોનું વાચન કર્યું અને વૈશ્વિક કક્ષાએ થાઇલેંડ ખાતે બેંગકોકમાં ૧૮થી ૨૨ સુધી ભરાયેલી રિસર્ચ કોન્ફરન્સમાં પેપરનું વાચન કરી ભારતીય નૃત્ય વર્કશોપમાં ભાગ લીધો. ઉપરાંત લેખનકાર્યમાં પણ આ બહેનનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. શૈક્ષણિક પુસ્તકોની વાત કરીએ તો ‘વિકાસમાન ભારતીય સમાજમાં શિક્ષક', જે પુસ્તક બી.એડ.ના અભ્યાસક્રમમાં છે, ઉપરાંત ‘વર્તમાન સમાજનું પ્રતિબિંબ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy