________________
૧૭૨
અભ્યાસ : અમરેલી કપોળ બોર્ડિંગમાં ફી બોર્ડર તરીકે રહીને ભણ્યા. ખિસ્સા-ખર્ચ માટે ડૉ. હરિપ્રસાદ ભટ્ટના દવાખાનામાં નોકરી કરી. ડૉ. હરિપ્રસાદ ભટ્ટ અને સુમિત્રાબહેન ભટ્ટના કારણે તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. ૧૯૩૦માં તેમની સાથે જ ધોલેરાના મીઠાના સત્યાગ્રહમાં ગયેલા. ૧૯૪૨માં તેઓને રાજકીય કેદી તરીકે મહુવાની જેલમાં રાખેલા. આમ સગીર વયમાંથી અભ્યાસ, જાહેર કારકિર્દી અને વ્યવસાયમાં તાલિમબદ્ધ થયેલા કઠોર જીવનની સ્વાર્પણ, બેય નિષ્ઠા, તેમના જીવનના ભાગરૂપે વણાઇ ગયા. કુદરતી રીતે પ્રાપ્ત થયેલા વાકછટા વડે સત્યાગ્રહ સમયે ગ્રામસભાઓથી શરૂ કરી ધારાસભાગૃહો સુધી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.
વ્યવસાય : મામા પાસેથી લાકડાનો ધંધો શીખ્યા અને વિકાસ અર્થે મહુવા ગાંધી લાતીમાં જોડાયા. પોતે જાહેર જીવનમાં સક્રિય એટલે ધંધામાં અમુભાઈના સાથથી આગળ વધેલા બન્ને ભાઈઓના પુત્રો સમજી મામાએ માંદગીના બિછાનેથી તેઓને પોતાના વારસદાર ઠેરવી વીલ બનાવેલું. કનુભાઈ વિવેકથી મામાને સમજાવી જેમના પાસેથી કમાયા તે જનતા જનાર્દનના હિતમાં પારેખ ચેરિટી ટ્રસ્ટની સ્થાપના કરી મૂડી મિલ્કતનો સાર્વજનિક કાર્યોમાં ઉપયોગ કરાવ્યો.
જાહેર જીવન ક્ષેત્રે : રાજુલાની કોઈ એવી સંસ્થા નથી કે જેની સ્થાપનામાં કનુભાઈ ન હોય. રાજુલા પંથકની કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેની પ્રગતિમાં મૂંઝવણ ટાણે શ્રી કનુભાઈની પ્રેરણા, પ્રોત્સાહન, સાથ અને સહકાર ન મળ્યાં હોય દાતાને ઊજળો કરી દેખાડવાની કનુભાઈની કુનેહના કારણે સજુલાની સંસ્થાઓમાં દાનનો પ્રવાહ વહેતો જ રહેતો. સૌરાષ્ટ્ર રાજ્યના સમયમાં પછાતવર્ગના વિદ્યાર્થીઓને–ઉદ્યોગ તાલીમ માટે સંસ્થા સ્થાપવાની હતી. દાતાઓ જ્ઞાતિના લાભાર્થે દાન આપે તેમના સાર્વજનિક સંસ્થા માટે સમજાવી શકાતા પણ ફક્ત પછાતવર્ગના બાળકોના ઉત્કર્ષ માટે કોઈ દાતા તૈયાર ન થાય ત્યારે કનુભાઈ અમુભાઈએ પોતાનો ધંધો ચલાવવા માટે જરૂરી નાણાભંડોળ પિતાશ્રીના સ્મારકરૂપે આપ્યું.
રાજકીય ક્ષેત્રે : શ્રી કનુભાઈમાં રહેલા નેતૃત્વના ગુણોએ આઝાદી પછીના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. જૂનાગઢના નવાબના પાકિસ્તાનમાં સ્વપ્નને આરઝી હકુમતની લડત દ્વારા રોળી નાખવામાં
ભળવાના
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ કનુભાઈનું મહત્ત્વનું યોગદાન રહ્યું. આઝાદી મળ્યા પહેલાંથી ભાવનગર રાજ્યે પ્રજાતંત્રની સ્થાપના કરેલી તેમાં પણ કનુભાઈ લોકોના પ્રતિનિધિ તરીકે સ્થાન પામ્યા, સૌરાષ્ટ્ર તથા દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભામાં કનુભાઈ જંગી બહુમતીથી ચુંટાઈ આવેલા પ્રજાનો અવાજ તમામ કક્ષાએ બુલંદ રીતે બુદ્ધિપૂર્વક રજૂ કરવામાં કનુભાઈ કાયમ સફળ
રહ્યા.
તે સમયના અડાબીડ જંગલ જેવા રિવાજો, નિયમો કાયદાઓમાંથી પણ કનુભાઈએ પોતાની કોઠાસૂઝથી સેવા અને મુક્તિના માર્ગની કેડી કંડારી, વિદ્યાસંપાદન માટે ઉત્સુક અદના બાળકો માટે સંસ્થાઓ દ્વારા પોતાની હસ્તક ટ્રસ્ટો દ્વારા સહાય સુલભ બનાવી. સરસ્વતીની સરવાણી વહેતી કરવા પુસ્તકાલયોનાં પરબો માંડ્યા. ગામે ગામ ગરીબ લોકોની સારવાર માટે વૈદ્યકીય સહાય સુલભ બનાવી. ગૌસેવા, માનવસેવા, રાષ્ટ્ર સેવાને સમર્પિત એવા કનુભાઈએ કર્મભૂમિ માટે જીવન–પર્યંત સેવા કાર્યો કર્યાં તેમનો આત્મા આજે પણ અનેક સત્કાર્યોમાં પ્રેરણા પૂરી પાડતો હોય તેવા અનેકને અનુભવ થાય છે.
અમૃત મહોત્સવ : તેમના જીવનના ૭૫મા વર્ષે તેમનાં સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો અને સહકાર્યકરોએ ‘અમૃત મહોત્સવ’ ઊજવવાનું નક્કી કર્યું. અમરેલીમાં ૧૮મી ડિસેમ્બર ૧૯૮૮ના દિવસે અને ૨૫મી ડિસેમ્બર ૧૯૮૮ના દિવસે મુ. શ્રી રતુભાઈ અદાણી અને સંત શ્રી દયારામબાપુના અધ્યક્ષપદે વિશાળ જનમેદનીએ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોતાના લાડીલા કનુભાઈનું અભિવાદન કર્યું. વક્તાઓએ મુક્ત મને કન્નુભાઈની સેવાઓને બિરદાવી સન્માનપત્રો અને શાલો અર્પણ કરેલાં. આ સમારોહમાં શ્રી કનુભાઈને પૂ. પા. મયૂરેશ્વરજી મહારાજ, શ્રી પૂ. પ્રમુખસ્વામી મહારાજ, પૂ. પાંડુરંગ શાસ્ત્રી, પૂ. ધીરજરામ દયારામ શાસ્ત્રી, શ્રી નરેન્દ્રભાઈ તાપીશંકર અને શ્રી અમરદાસ ખારાવાળા જેવા સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયેલા અને વહેવારમાં પૂરકબળ અને પ્રેરક બની રહેલા નાનાભાઈ અમુભાઈ અને ધર્મપત્ની વિજયાબહેન સંતાનોના સંસ્કારસિંચનની ખેવના કનુભાઈએ કાયમ હૈયે રાખી. ઘરમાં પ્રાર્થના, અતિથિ સત્કાર, વ્યસનમુક્ત સાદગીભરી જીવનશૈલી એ કનુભાઈના જીવનની મહામૂલી મૂડી બની રહી.
જીવનનાં છેલ્લાં પંદરેક વર્ષ બિમારીનો સામનો કરવો
For Private & Personal Use Only
www.jainelibrary.org