________________
૧૪૦
શેઠ ચૂનીલાલ ચીનાઈ
ચૂનીભાઈ દશા દિસાવાળ વણિક ગૃહસ્થ હતા. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૦૮ના જેઠ સુદ બીજને દિવસે અમદાવાદ શહેરમાં કાળુપુરમાં આવેલી ખજૂરીની પોળમાં તેમના વડીલોપાર્જિત મકાનમાં થયો હતો. તેઓનું કુટુંબ ઉચ્ચ કુટુંબોમાં ગણાતું હતું. નગીનદાસભાઈની પણ નામના હતી.
ચૂનીભાઈ બાલ્યાવસ્થાથી જ ઘણા રમતિયાળ છતાં સ્વભાવે ચપળ, ખંતીલા અને ઉમંગી જણાતા હતા. પોતાના ગુજરાતી અભ્યાસ દરમ્યાન ખાસ કરીને ગણિતના અભ્યાસમાં તેમણે સારી નિપુણતા મેળવી હતી, જે ભવિષ્યમાં વ્યાપારના કામમાં તેમને ઘણી ઉપયોગી થઈ પડી હતી. શાળાના અભ્યાસથી જ તેમની મહત્ત્વાકાંક્ષા તથા બીજા પર દાબ બેસાડવાની શક્તિ, પ્રામાણિકતા અને ધાર્મિક વૃત્તિઓ સારી રીતે જણાઈ આવતી હતી.
ચૂનીભાઈની ઉંમર જ્યારે ૧૯ વરસની થઈ ત્યારે તેમના પિતાએ મુંબઈમાં એક પેઢી સ્થાપી મોટા પાયા પર રેશમની આડતનો ધંધો શરૂ કર્યો હતો. પ્રામાણિકપણાને કારણે પેઢી પ્રતિષ્ઠિત થઈ હતી.
સંવત ૧૯૩૨માં ચૂનીભાઈના પિતા શેઠ નગીનદાસનો સ્વર્ગવાસ થયો તે વખતે ચૂનીભાઈની ઉંમર ૨૫ વરસની હતી. પિતાના અણધાર્યા અવસાનથી તેમની પેઢીનો સર્વ બોજો ચૂનીભાઈના શિરે આવી પડ્યો હતો.
એ વ્યાપારનું સ્વતંત્ર સુકાન ચૂનીભાઈના હાથમાં આવ્યા પછી ૧૧ વરસની મુદતમાં પોતાના પ્રસ્તુત ધંધામાં તેમણે સારો યશ તથા પૈસો પ્રાપ્ત કર્યો અને એ ધંધાને સારા પાયા પર મુકાયા પછી બર્માથી લાકડાનાં ટિંબરો મગાવી તેનો પણ વેપાર શરૂ કર્યો હતો.
આ પ્રમાણે એકલે હાથે પોતે બે ધંધાના સુકાની બન્યા હતા. બીજાં ચાર વરસમાં એમણે પોતાના ધંધામાં એટલી બધી કુશળતા મેળવી કે પોતાનો વ્યાપારિક સંબંધ ચીન સાથે જોડી ત્યાંથી રેશમ ખરીદવા માંડ્યું અને તેને અંગે બંગાળા ઇલાકામાં કલકત્તા, રામપુર, બેલીઆ, જંગીપુર, માલદા વગેરે નગરમાં પેઢીઓ ખોલી મોટા જથ્થામાં વ્યાપાર ચલાવ્યો અને ટૂંક મુદતમાં મદ્રાસ ઇલાકામાં પણ પોતાના માલનો સારો પગપેસારો કરાવ્યો હતો.
સંવત ૧૯૬૬માં તેમણે પોતાના મોટા પુત્ર જીવણભાઈને
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ વ્યાપારની વિશેષ માહિતી મેળવવા ચીન તથા જાપાન મોકલ્યા અને સંવત ૧૯૬૮માં ચીનના શાંગાધાઈ બંદરમાં પોતાની પેઢી ખોલી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
પોતાની જ્ઞાતિમાં હિન્દુસ્તાન બહાર મુસાફરી કરવાની પહેલ શેઠ ચૂનીલાલે પોતાના ઘરમાંથી કરી તે પરથી તેમની સાહસિક વૃત્તિ તથા નિર્ભયતા સ્પષ્ટ જણાઈ આવેલી હતી.
ચૂનીભાઈની આર્થિક સ્થિતિ તેમના જન્મ વેળાએ સાધારણ હતી પરંતુ તેમણે પોતાની જાતમહેનત, બુદ્ધિબળ અને સાહસિકપણાના યોગે સારું દ્રવ્ય સંપાદન કરેલું. દેશના વ્યાપારી કુનેહ ધરાવનાર સાહસિક વ્યાપારીઓમાં આ શેઠની ગણત્રી કરવામાં આવતી હતી.
સ્વહસ્તે મેળવેલ દ્રવ્યનો સ્વહસ્તે ઉપયોગ કરવામાં પણ તેમણે સારી ઉદારતા બતાવેલી. જાતમહેનતથી પૈસા પ્રાપ્ત કરનાર તેનો સારો ઉપયોગ કરી શકે એ સૂત્રની સત્યતા એમના જેવાના જીવન પ્રતિ નજર કરતા પ્રત્યક્ષ થાય તે સહજ છે.
સંવત ૧૯૫૬ના ભયંકર દુષ્કાળ વખતે ઘણા ગરીબ કુટુંબોને તેમણે ગુપ્ત તથા જાહેર રીતે અન્નદાન આપી સારી મદદ કરી હતી અને કેટલાંક ગરીબ કુટુંબોને ગુપ્ત રીતે તેમના તરફથી મદદ મળ્યા કરે એવી વ્યવસ્થા કરી હતી. મારવાડ જેવા દૂરના પ્રદેશમાં પણ તેમણે પોતાનો ઉદાર હસ્ત લંબાવેલો હતો.
તેમની ૪૮ વરસની વયે તેમનો વ્યાપાર સંપૂર્ણ જાહોજલાલીમાં આવ્યો હતો અને ત્યારથી સખાવતનાં ઝરણ તેમના હૃદયમાંથી સતત વહેવાં શરૂ થયાં હતાં. તેમનાં ઘણ ખરાં સખાવતી કાર્યો જાહેરમાં આવેલાં.
ચૂનીભાઈ ધનવાન, કુટુંબવત્સલ અને કીર્તિવાન હોવ છતાં નિરાભિમાની હતા. સાંસારિક સુખો, સારી સંપત્તિ, માન આબરૂ તથા પુત્ર પૌત્રાદિક સર્વ અનુકૂળતા હોવા છતાં તેમન અંતરમાં અભિમાને પ્રવેશ કરેલો ન હતો. સ્વજ્ઞાતિની સેવ કરવામાં પણ તેઓએ સારો ઉત્સાહ ધરાવેલ અને જ્ઞાતિહિત માટે તેઓ તન, મન, ધનથી સારો ફાળો આપતા હતા.
ચૂનીભાઈને બે પુત્રો અને એ બે પુત્રોને ત્યાં પણ પુત્રો તેમના પૌત્રમાંના એક ભાઈ ચમનલાલ જીવણલાલ એ સાહસિક યુવક તરીકે ઊભરી આવેલ છે. તેમણે મુંબઈમાં રહે મેટ્રિક સુધી અભ્યાસ કરી અભ્યાસ અને વ્યાયામ પ્રવૃત્તિ મા ઘણા ચાંદ મેળવેલા. ઈ.સ. ૧૯૧૫માં તેમણે મુંબઈમાં દીવા
For Private & Personal Use Only
www.jainelibrary.org