SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આ બધા બનાવોથી ઇન્દુલાલને ખૂબ જ માઠું લાગ્યું. તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીપદેથી રાજીનામુ આપ્યું. આ રાજીનામાનો વિચાર કરવા જે સભા મળી હતી તેનો સુંદર અહેવાલ સૌરાષ્ટ્રના તંત્રી શ્રી અમૃતલાલ શેઠે લખ્યો હતો. એ અહેવાલ તેમના જ શબ્દોમાં જોઈએ. “ગુજરાતના જાહેર જીવનમાં એક અગત્યનો પ્રસંગ ગયા ગુરુવારે બન્યો. છેલ્લાં આઠ વર્ષથી પોતાના અથાગ ઉદ્યમ, અનુપમ સેવાભાવ, અડગ શ્રદ્ધાબળ અને અદ્ભુત પ્રેરણાશક્તિથી જાણીતા થયેલા ભાઈ ઈન્દુલાલ યાજ્ઞિકે પ્રાંતિક સમિતિ, જિલ્લા સમિતિ તેમ જ રાષ્ટ્રીય સભાના મંત્રી તરીકે રાજીનામાં આપ્યાં. રાજીનામાં તો ગયા બુધવારે રજૂ થયેલાં પરંતુ મહાત્માજી ગુરુવારે આવવાના હોઈ ત્યાં સુધી મુલતવી રાખવામાં આવ્યાં હતાં. “સભામાં આ સંબંધે બોલતાં ગાંધીજીએ કહ્યું : “ભાઈ ઇન્દુલાલ જેવો ઉદ્યમી માણસ ગુજરાતમાં બીજો એક પણ નથી તેમાં શંકા નથી. તેમ જ તેમના જેવો પ્રામાણિક માણસ પણ ન મળી શકે તેમાં પણ શંકા નથી. તેમને ગુમાવી દેવા ગુજરાતને પાલવે તેમ નથી, પરંતુ તેમના અને વલ્લભભાઈ વચ્ચે સ્વભાવફેરને પરિણામે તે બંને સાથે કામ કરી શકે તેમ નથી, એટલે ઘણાં દુ:ખ સાથે ભાઈ ઇન્દુલાલનું રાજીનામું સ્વીકારવું એવી મારી સલાહ છે.'' ફરી સભામાં શાંતિ પથરાઈ. આ શાંતિ ભારે દુ:ખજન્ય શાંતિ હતી. હાજર રહેલાઓમાં મોટાભાગથી આ પ્રસંગ સહન ન થઈ શક્યો. અનેક ખિસ્સાંઓમાંથી રૂમાલો નીકળવા માંડ્યા. તેની નીચે અનેક આંખો છુપાવા લાગી. વલ્લભભાઈ ઊઠ્યા. અંતરના ભારે ખળભળાટને દબાવવા તે પ્રત્યક્ષ પ્રયત્ન કરતાં ભારે દર્દભર્યું તે બોલ્યા : “રાજીનામું આપવું, આપી છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા સિવાય અંદર રહેવું એ વધારે દુ:ખદ છે. સ્વપ્ન શિલ્પીઓ ઇન્દુલાલ મારા નાનાભાઈ છે. અમે આજ સુધી એ રીતે જ રહ્યા છીએ અને આજે આ પ્રસંગ આવે છે. શું કહું ! મારાથી નથી બોલાતું. હું વધારે નહીં બોલી શકું.'' Jain Education International આટલું કહી તે બહાદુર પાટીદાર, ગુજરાતના નાયક આંખમાં ઊભરાતાં આંસુ રોકવા બેસી ગયા. લાગણીની પરાકાષ્ઠા આવી રહી. ભાઈ ઇન્દુલાલર્ન આંખમાં જલધારા ચાલી. અત્યાર સુધી છુપાયેલી અને આંખોમાં અશ્રુઓ છલકાવાં લાગ્યાં. આખી સભા જાણે રડત હોય તેવો દેખાવ થઈ રહ્યો. ઇન્દુલાલથી બેસી ન શકાયું. તે ઊઠી ગયા. સભામાં સ્મશાન જેવી શાંતિ ફેલાઈ ગઈ. લગભગ પાંચસો ગુજરાતીઓની સભા વિચારમાં પડી ગઈ. કોઈ ભારે ઘા માથે પડ્યો હોય અને દિશાશૂન્ય બની જાય એવી દશા થઈ. વયોવૃદ્ધ અબ્બાસ સાહેબે શાંતિ તોડી. ઇન્દુલાલને માટે થોડુંક કહ્યા પછી મહાત્માજીની સલાહ દરખાસ્તરૂપે રજૂ કરી. ભાઈ દયાળજીએ દુઃખ સાથે અનુમોદન ગુજરાતમાં નથી. આપ્યું. જો ગાંધીજીએ આ પ્રસંગને ઓળખીને સભાને તુરત બીજા વિચાર ઉપર વાળી ન લીધી હોત તો આ સ્થિતિ ક્યાં સુધી ચાલત એ કહી શકાતું નથી. ડસડસતી આંખો અને ગળગળતા સ્વરો જ માત્ર સંભળાતા હતા. આ પ્રમાણે ગુજરાતે પોતાના એક વહાલા દિલોજાન કામ કરનારની પોતાના અંતરનાં આંસુથી કદર કરી. વિવેકના કોઈ ઠરાવની તેને જરૂર ન રહી. ભાઈ ઈન્દુલાલની જગા તો ખાલી જ રહી. સભાએ તે ન પૂરી. કવિવર કાળિદાસની ગણતરી કરાવ્યા પછી તેમના જેવું બીજું નામ ન જડવાથી બીજી આંગળી ખાલી જ રહી. અનામિકા નામ વગર કહેવાઈ, તેમ બીજો ઇન્દુલાલ આજે ગુજરાત પ્રાંતિક સમિતિમાંથી રાજીનામું આપી તેઓ મુંબઈ ગયા. સાહિત્યક્ષેત્રમાં તેમણે ઝુકાવ્યું. ‘યુગધર્મ' માસિકની શરૂઆત કરી. પુસ્તકપ્રકાશનનું કામ હાથમાં લીધું. ગયામાં કોંગ્રેસઅધિવેશન ભરાયું. તેમણે સવિનય અનાદરનો ઠરાવ પસાર કર્યો એટલે સરદાર વલ્લભભાઈએ ઇન્દુલાલને ગુજરાતમાં આવી, લડતની મુખ્ય જવાબદારી લેવા નિમંત્રણ આપ્યું. આ અંગે જે સમિતિ નિમાઈ, તેમાં ઇન્દુલાલને મંત્રી બનાવ્યા. ઇન્દુલાલે ગુજરાતમાં ઘૂમીને આગઝરતી વાણીમાં વ્યાખ્યાનો આપવાં શરૂ કર્યાં. તેમની ધરપકડ થઈ. તેમની પાસે એક વરસની ચાલચલગતના જામીન મંગાયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy