SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ વિનીત, સમર્પિત, ત્યાગી, તપસ્વી, પ્રજ્ઞાપનીય અને સદા આનંદી ભક્તશિષ્ય મળી ગયો. આસાધકશિષ્ય પૂ. પંન્યાસજીની સાધનામાં નોંધપાત્ર સહયોગ આપ્યો. પૂ. પંન્યાસજી શ્રી કાંતિવિજયજી મહારાજ ભાવદયાના ભંડાર અને સંયમનિષ્ઠ તેઓશ્રીજી વિ. સ. ૨૦૨૧ ભા. વ. ૩–ના પાટણ મુકામે કાળધર્મ પામ્યા બાદ સુવિશાલ ગચ્છાધિપતિ આશ્રિતગણ પરમ હિતચિંતક સ્વનામ ધન્ય પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં તપ, જ્ઞાન, સંયમ, વૈયાવચ્ચ જેવા સાધુજીવનના સર્વોત્તમ ગુણોનો ક્રમશઃ વિકાસ સાધતાંસાધતાં તેઓશ્રીને સુવિશાલગચ્છાધિપતિશ્રીજીએ પોતાના જ વરદ્ હસ્તે વિ. સં. ૨૦૪૭ના માગશર વદ ૯ના શુભ દિને ગણિ–પંન્યાસ અને તે જ વર્ષના વૈશાખ સુદ ૬ના શુભ દિને અમદાવાદ મુકામે ઉપાધ્યાય પદે આરૂઢ કર્યા અને સુવિશાલગચ્છાધિપતિ વાત્સલ્યમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની શુભાશાથી સૌજન્યમૂર્તિ તપસ્વીરત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાએ તેઓશ્રીજીને જૈનશાસનના તૃતીયપદે—આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યારબાદ અનેક પ્રકારે શાસનની પ્રભાવના કરતાં કરતાં અનેક જીવોને પ્રભુશાસનમાં જોડવાપૂર્વક સ્વજીવનને ધન્ય બનાવીને સાધુ-જીવનની શોભા વધારી રહ્યા છે. કોટિશઃ વંદન હજો એ પૂજ્યવરને! માર દેશના કોહિનૂર રબ્બસમા આ.દેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા. લેખક : મુનિ રત્નત્રયવિજયજી મ.સા. જન્મ બધાને મળે છે, પણ એની ચમક અને ચમત્કાર જીવન દ્વારા થાય છે. જબ હમ આયે જગ મેં, જગ હસે તુમ રોય । કરણી ઐસી કર ચલો, તુમ હસો જગ રોય ॥૧॥ આવું જ કાંઈ પૂજ્યશ્રીનાં જીવનમાં બન્યું. વિ.સં. ૨૦૧૫માં માલવાડા ગામમાં શ્રાવણસુદ પૂર્ણિમા (રક્ષાબંધન)નાં દિવસે થતા ગજાણી પરિવારમાં આનંદની Jain Education International ૧૧૭ ઉર્મિઓ ઉછળી. પિતા ઉત્તમચંદ, માતા રંગુદેવીના લાડીલા ખુશાલચંદ આગળ વધવા લાગ્યા. મેટ્રીકની પરીક્ષા આપી ફરવાની ઇચ્છાથી માઉન્ટ આબુ ગયા. ત્યાં આગળ આચાર્યશ્રી ગુણરત્નસૂરિજીની નિશ્રામાં સંસ્કાર શિબિર ચાલતી હતી. તેમાં બંને મિત્રોએ પ્રવેશ કર્યો. પ્રથમ શિબિરમાં વૈરાગ્યમયવાણી સાંભળી ત્રણ વર્ષમાં દીક્ષા ન લઉં ત્યાં સુધી મિઠાઈ અને ઘીનો ત્યાગ કર્યો. જો અભિગ્રહ અટલ હોય તો સફળતા નિશ્ચિત પ્રાપ્ત થાય. માતાની છત્ર છાયા ખોયા પછી પરિવારજને મહારાષ્ટ્રમાં ઘડતર માટે આ. રત્નશેખરસૂરીશ્વરજી પાસે મોકલ્યા. આચાર્યભગવંતની તબિયત નાતંદુરસ્ત હોવા છતાં કાકાશ્રી રાજમલજીના આગ્રહ કારણે માલવાડા દીક્ષા આપવા પધાર્યા. સુંદર રીતે દીક્ષા મહોત્સવ ઉજવાયો. ગુરુદેવની ઇચ્છા હતી કે કોહિનૂર રત્નનું નામ નવું જ આપવું એમ વિચારી મુનિ રત્નુંન્દુવિજય નામ રાખ્યું. ગુરુદેવ સાથે રહી રાધનપુરમાં પંડિત બાંધી અભ્યાસ કરાવ્યો. પરંતુ ધાર્યું કાંઈ થતું નથી. માત્ર પાંચ વર્ષના સંયમ પર્યાયમાં ગહેદવની છત્રછાયા ખોઈ નાંખી. પુણ્ય સંયોગે કલિકુંડ તીર્થોદ્ધારક આ. રાજેન્દ્રસૂરિજીનું મિલન થયું. એમને સાથે રાખી જ્ઞાનાભ્યાસ આદિમાં આઘળ વધારી યોગ્યતા જાણી કલિકુંડ તીર્થમાં વિ.સં. ૨૦૪૯માં ફા.સુ. પના દિવસે પંન્યાસ પદવવી અને વિ.સં. ૨૦૫૨માં મહાસુદ ૧૩નાં દિવસે આચાર્યપદવી અર્પણ કરી. આચાર્ય શ્રી રત્નાકરસૂરિ નામથી અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની જીભમાં એવી મીઠાશ છે કે આવનાર અરિ પણ અમી થઈ જાય. અનેક સંઘોમાં વર્ષો સુધી કલહનાં કારણે ખોરવાયેલ કાર્યોનો આરંભ કરાવવા રાત દિવસ તનની અપેક્ષા રાખ્યા વિના મહેનત કરેલ. લગભગ દરેક ઠેકાણે સફળતા પ્રાપ્ત કરેલ. સત્યપુર તીર્થ (સાંચોર)માં જે મહાવીર સ્વામીનું જિનાલય છે. જેના નામે આ નગરને તીર્થની ઉપમાં પામેલ છે. “જયઉવીર સચ્ચર મંડણ' એવા તેનાં જીર્ણોદ્ધાર માટે ૧૭-૧૭ વર્ષથી પડેલો ઝઘડો અનેક આચાર્યો આવવા છતા સફળતા મેળવી ન શક્યા. પણ પૂજ્યશ્રીએ દરેક વ્યક્તિ ઉપર સમભાવ રાખી દરેકની વાત સાંભળી દરેક વ્યક્તિને સાથે લઈ જીર્ણોદ્ધારનો નિર્ણય કર્યો ત્યારે સાંચોર સંઘ હર્ષોલ્લાસનાં વાતાવરણથી ગુંજી ઊઠ્યો. બીજુ મુખ્ય કામ અતિપ્રાચીન શ્રી જીરાવલા તીર્થનાં જીર્ણોદ્ધાર માટે કોઈ આચાર્ય આગળ ન વધતા. પૂજ્યશ્રીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy