________________
૧૦૨
ઉદ્બોધનશક્તિ અદ્ભુત હતી, એટલે જ આટલું વિપુલ વિદ્યાર્જન કરી શક્યા અને બહુશ્રુત વિદ્વાનની કોટિમાં બિરાજી શક્યા. સં. ૨૦૦૬ના દાદરના ચાતુર્માસમાં તેઓશ્રીએ ‘પ્રવચન સારોદ્વાર' જેવા મહાન ગ્રંથ પર વાચના આપી, પોતાના પ્રકાંડ પાંડિત્યનો પરિચય આપ્યો હતો. તેમ છતાં, પૂજ્યશ્રી વિદ્વાનોને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ૩૮ વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી બતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજ્જ્વળ કીર્તિ સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તો સાધુતામાં જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી શાંત અને પ્રસન્ન મુખમુદ્રા પ્રથમ દર્શને જ સાધુતાનો પરિચય આપી રહે છે. તેઓશ્રી પરમ વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ વર્તન કરનારા સાધુવર્ય છે. ઉપરાંત, પોતાનાં મહાવ્રતોમાં અવિચળ રહે છે, ક્રિયાકાંડમાં ચુસ્ત છે, વ્યવહારમાં દક્ષ છે. નાની અમસ્તી સ્ખલના પ્રત્યે પણ મિથ્યા દુષ્કૃત લઈને ચારિત્રને નિર્મળ બનાવે છે.
અર્ધશતી જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ પૂ. ગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તોમાં હજારો માઇલોનો પગપાળા વિહાર કર્યો. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરીને સન્માર્ગે સ્થિર કરવા પુરુષાર્થ સેવ્યો. ખાસ કરીને, દક્ષિણ ભારતના વિહારમાં અહિંસાધર્મનો અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ ધર્મપ્રચારકની કોટિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું. આનંદી સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનો દૃષ્ટાંતો અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે. એ રીતે અનેક વિદ્વાનો, અધ્યાપકો, કૉલેજિયનો તેઓશ્રી પાસેથી સમાધાન પામ્યા છે. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા છતાં તેઓશ્રી કવિતા, લેખો વગેરે લખતા રહે. ઉપરાંત, બહોળા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરો આપવા એ તેઓશ્રીનો ગુણવિશેષ હતો. આમ, અનેક પ્રકારે વિશાળ શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજને થોડા સમય પહેલાં જ, વિશાળ જનસમુદાયના જયજયકાર વચ્ચે ‘રાષ્ટ્રસંત’નું બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમા આચાર્યદેવને કોટિશઃ વંદના!
Jain Education International
સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરિશ્વરજી જૈન જ્ઞાનમંદિર દાદર મુંબઈ-૨૮
સ્વપ્ન શિલ્પીઓ
બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત, સંઘ-એકતાના સંયોજક, ક્ષમતા– મમતા અને સમતાના સંગમ, ગુણનિધિ સૂરિદેવ
પૂ. આ.શ્રી વિજયઓમકારસૂરિજી મ.
ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈના કુળમાં, માતા કંકુબહેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. સંસારી નામ ચિનુભાઈ હતું. ૧૧ વર્ષની કોમળ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારો ઊભરાઈ આવ્યા અને ચિનુકુમારે બાળમુનિ કારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. ‘કારવિજય’ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પોતીકું આમાં કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી જોવી એ એક ધન્ય દેશ્ય હતું! ડીસાના ચાતુર્માસ દરમિયાન, હજી તો બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.’ પૂજ્યશ્રી મુંઝાયા, પરંતુ ગુરુદેવનાં વચનોને ‘તહત્તિ’ કહીને સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનનો જરા પણ અનુભવ ન હતો. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ આવડતું નથી.'' ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને ગૌતમપૃચ્છા કેવી કડકડાટ વાંચે છે! બસ. એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલો જ ઉત્તર આપ્યો, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદપૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી! તેઓશ્રી સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાકો સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લહાવો હતો! પોતાના
For Private & Personal Use Only
www.jainelibrary.org