SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે હજારો આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી સિદ્ધચક્રજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ ઓળી કરી હતી. પ. પૂ. આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનોના પ્રચાર-પ્રસાર માટે “સિદ્ધચક્ર' માસિકનું સંપાદન સં. ૧૯૮૬થી ૧૯૮૯ અને સં. ૨૦૦૩થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથોનું લેખન પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧૯ના ફાગણ વદ ૬ને દિવસે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૪૫-૫૦ શિષ્યો-પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા છે અને શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજ્વળ પ્રકાશથી શોભાવી રહ્યા છે! કોટિ કોટિ વંદન હજો એવા પૂજ્યવરને! પૂ. આ.દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવારના સૌજન્યથી ૩00 થી વધારે ભવ્યાત્માઓના ચારિત્ર–પથદર્શક અને શાસનના શણગારરૂપ એવા પ.પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ગરવી ગુજરાતની તીર્થભૂમિ તરીકે વિખ્યાત બનેલ મહેસાણા જિલ્લાની પુણ્ય ધરા પર અને ગગનચુંબી જિનાલયોથી શોભતી નગરી વીસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક શ્રાદ્ધવર્ય શ્રીયુત ગગલભાઈનાં પરોપકારપરાયણ ધર્મપત્ની મોતીબહેનની કુક્ષિએ સં. ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના શુભ દિવસે શાસનના ભાવિ હીરલાએ જન્મ લીધો. “પુત્રનાં લક્ષણ પારણાંમાંથી’ એ ન્યાયે માતાપિતાએ નામ પાડ્યું ડાહ્યાભાઈ. બાલ્યકાળમાં જ માતાપિતાના સંસ્કારો અને પૂર્વભવની આરાધનાના બળે, પોતાના વડીલ ભાઈ–બહેન સાથે ધાર્મિક અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું કરી ધંધાર્થે મુંબઈ ગયા. મોહમયી મુંબઈનગરીના મોહમાં તણાયા નહીં. ત્યાં પણ મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રાવકાચાર, વિધિપૂર્વક નવપદની ઓળી તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ તેમ જ રાત્રે વૈરાગ્યપોષક રાસોનું શ્રવણ કરીને વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યા. સ્વભાવદશાને પામવા, સંયમ મેળવવા, ચાતક પક્ષીની જેમ આતુર બન્યા. પૂ. આગમોદ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું મુહૂર્ત ફરમાવ્યું. એ ધન્ય દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આગમોદ્ધારકશ્રીના વરદ્ હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બની મુનિ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ઘોષિત થયા. સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન અને વિનય–વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યા. પૂ. આગમોદ્ધારકશ્રી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સં. ૧૯૮૭માં સર્વપ્રથમવાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણ, વિજય-દેવસૂરિ સંઘ (પાયધૂનીમુંબઈ) ની પાટ પરથી અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લોકોને પરિપ્લાવિત કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અદ્ભુત પ્રવચનકાર તરીકે પરચો આપ્યો. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ આદિ પ્રદેશોમાં અવિરામ વિચારીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના કરી. સં. ૧૯૯૯માં પૂજ્યશ્રીની ગણી પદવી થઈ. આ મહોત્સવમાં શ્રીસંઘ તથા શ્રેષ્ઠીવર્ય મૂલચંદ બુલાખીદાસે મહોત્સવપૂર્વક અનેરી પ્રભાવના કરી. સં. ૨૦૦૭માં સુરતના શ્રીસંઘે ગચ્છાધિપતિની અનુમતિથી પં. શ્રી હેમસાગરજી મહારાજ તથા પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને આચાર્યપદે આરૂઢ કરવાનું નક્કી કર્યું. પરંતુ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજે પોતે એ પદવીને લાયક નથી એમ જણાવીને આચાર્યપદ ગ્રહણ કરવાની અનિચ્છા દર્શાવી; તેથી બે પૂજ્યોને આચાર્યપદે અને ચરિત્રનાયકશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપન કર્યા. સં. ૨૦૦૯માં પોતાની જન્મભૂમિ વીસનગરમાં ચાતુર્માસ કરી, શેષકાળ સ્થિરતા કરતા હતા ત્યાં વાવનાં શ્રીસંઘે પોતાને ગામ ચાતુર્માસ કરવા આવી રહેલા તેરાપંથી આચાર્ય તુલસીના આગમનની વાત કરી; અને આર્ત હૃદયે જણાવ્યું કે, “સાહેબ! આ સમયે આપણા કોઈ મુનિરાજ નહિ હોય તો આપણા સાધર્મિકો બધા તેરાપંથી બની જશે. આ માટે અમે ઘણા પૂજ્યશ્રીને વિનંતી કરી છે, પણ એક યા બીજા કારણસર તેઓ આવી શકે તેમ નથી. છેલ્લે આપની પાસે આશા લઈને આવ્યા છીએ'. સર્વે હકીકત સાંભળી શાસન રક્ષા કાજે પોતાની કેટલીક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy