________________
૮૪૨
જિન શાસનનાં
તપ ત્યાગ અને સાધનાથી વિભૂષિત કછ-વાગડ સમુદાયના સફળ સૂધારે
-
ભારતની પશ્ચિમ દિશાએ આવેલો ખમીરવંતો કચ્છપ્રદેશ, એનાં ભૌગોલિક સ્થાનો, એની ભાષા, એના રિવાજોથી સૌમાં નિરાળો તરી આવે છે. કચ્છ વાગડમાં જૈનધર્મનું પ્રાબલ્ય પ્રાચીન કાળથી જોવા મળે છે. ખમીરવંતા કચ્છની ધર્મભાવનાની સૌરભથી મઘમઘતા વિરલ વાગડ પ્રદેશના અનોખા દેદીપ્યમાન પ્રાચીન જૈન તીર્થો રોમાંચક અને હૃદયદ્રાવક નજરે પડે છે. આ ધન્ય ધરાને મોટું ગૌરવ અને યશકીર્તિ અપાવવામાં સંતરત્નોનું મૂંગું છતાં મહત્ત્વનું પ્રદાન નોંધાયું છે. અણવિકસિત એવા વાગડ પ્રદેશમાં ત્યાગી વૈરાગી અને ઉત્તમ ચારિત્રજીવનના સંયમયાત્રીઓ ઝબકી ઊઠ્યા અને આ ભૂમિને પોતાની સાધનાની અનુભૂતિનું પયગાન કરાવી દૂરદૂરના વિસ્તારો સુધી જૈનશાસનની ધજાપતાકા ફરકાવી મહાન ઉપકાર કર્યો છે.
1
1
1
'
!
1
-:
ST
શ્રી શંખેશ્વર મહાતીર્થના વિશ્વાધિરાજ દેવાધિદેવ શ્રી શંખેશ્વરદાદાના સાન્નિધ્યે. શ્રી કલાપૂર્ણસૂરી
સ્મૃતિર્માદરે ધનરાજ નગરના આંગણે ૨૦૦૯ના નવેમ્બર માસમાં પ્રવચનપ્રભાવક પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા., પૂ. મુનપ્રવશ્રી પૂર્ણર્શdવયજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજી વંદના પાવન સાનિધ્ય માતુશ્રી પાલઈબેન ગેલાભાઈ ગાલા પરિવાર હસ્તે દાનવીર શ્રેષ્ઠીવર્ય શ્રી ધનજીભાઈ ગાલા દ્વારા સૌપ્રથમવાર ઉપધાન તપ મોક્ષમાળા પરિધાનનો મહા-મહોત્સવ ભવ્ય રીતે સુસંપન્ન બન્યો. તેની ભાવસભર અનુમોદના.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org