SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૬ વત્તા ‘જૈન રામાયણ’ અને ‘જૈન મહાભારત' એમ કુલ છવ્વીસ પુસ્તકો પ્રગટ કર્યાં. એમણે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. શબ્દ સાથેનો સથવારો એમણે ક્યારેય છોડ્યો નથી. એમણે વૈવિધ્યસભર દિશાઓમાં સાહિત્યસર્જન કર્યું છે. જે સૂર એમનાં પુસ્તકોમાં પ્રગટ થાય છે, એ જ સૂર એમની વાણીમાં પ્રગટ થાય છે. વાણી જ છેવટે તો સર્જનનું દર્પણ છે. દર્પણમાં જે પ્રતિબિંબ પડશે તે વાણી-વર્તનની તસ્વીર જેવું જ રહેશે. ચોવીસ તીર્થંકર પરમાત્માઓના ચોવીસ પુસ્તકો ઉપરાંત જૈન મહાભારત' અને જૈન રામાયણ' એમ એમણે તત્સમયે છવ્વીસ પુસ્તકો સરળ પ્રાસાદિક શૈલીમાં ગુજરાતીમાં પ્રસિદ્ધ કર્યા છે. પૂજ્યશ્રીનું આ કાર્ય જૈનજગતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે અને એ ઉપરાંત પણ સંખ્યાબંધ ગ્રંથો એમની કલમપ્રસાદીરૂપ પ્રગટ થયા છે. તપ, સાધના, ઉપાસના અને સર્જનકાર્ય આ ચતુર્કોણીય ઉદ્યમો એમના સાધુજીવનમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. સૌજન્ય : શ્રીમતી છાયાબેન દીપકભાઈ શાહ, પાટણ હ. વૈભવ-ધવલ જૈનતત્ત્વજ્ઞાનના ચાર્ટોના સંપાદક પૂજ્ય આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ સુરેન્દ્રનગર. પિતાનું નામ મગનલાલ અને માતાનું નામ શકરીબહેન. તેમને ત્રણ પુત્રો. સૌથી નાના પુત્ર રમણિકલાલનો જન્મ સં. ૧૯૮૯ના માગશર વદ ૧૨ના દિવસે થયો. પિતાશ્રીનો વ્યવસાય મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલતો હતો, પણ રમણિકલાલની ચાર વર્ષની વયે માતા સ્વર્ગવાસી થતાં પિતાએ જલગાંવ છોડ્યું અને સુરેન્દ્રનગર આવીને રહ્યા. રમણિકલાલના મામા મુંબઈ રહેતા હતા. તે ત્રણે ભાણેજને અભ્યાસાર્થે મુંબઈ લઈ ગયા. મામા-મામી સાચવતાં અને વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે તેની કાળજી રાખતાં. પરિવાર મૂર્તિપૂજક વર્ગના સહવાસે દેરાસર જવાની શ્રદ્ધાવાળો થયો હતો. માતા સમાન મામીએ પાડેલા સંસ્કારો બાળક રમણિકમાં ઊતર્યા, જેથી રોજ દેરાસર જવું, પૂજા કરવી, Jain Education International જિન શાસનનાં પાઠશાળાએ જવું, વ્યાખ્યાનો સાંભળવાં–લખવાં, એમ ઉત્તરોત્તર ધર્મક્રિયામાં રસ લેવા લાગ્યા પ્રારંભમાં બાબુ પન્નાલાલ હાઇસ્કૂલમાં તથા કોટની હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન પ્રભુપૂજામાં, અંગરચના કરવામાં તેમનું મન વધુ ને વધુ લીન રહેવા લાગ્યું. ભવ્ય અંગરચનાથી પ્રસન્નતાની વૃદ્ધિ કરતા. રજાના દિવસોમાં કલાકોના કલાકો દેરાસરમાં જ હોય. આ બધાં ભાવિનાં એંધાણ હતાં. વળી, તેઓ નજીકના મુંબઈ–ભૂલેશ્વર લાલબાગ ઉપાશ્રયે આવાગમન કરતાં સુવિહિત સાધુ ભગવંતોની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળવા જાય. વ્યાખ્યાનશ્રવણથી અરિહંત પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થઈ. સંસારના રંગરાગ અને મોજશોખની ભયંકરતા સમજાઈ. જીવોના ભેદ, નવતત્ત્વ, નવપદ, પંચપરમેષ્ઠી, આઠ કર્મ, સામાયિક, પૌષધ, દેશિવરતિ, સર્વવિરતિ, સમ્યક્ત્વ—આ સર્વ જૈનશાસનનાં મહત્ત્વનાં અંગોની સમજ મળી. સં. ૨૦૦૬માં પાલિતાણા-આયંબિલ ભવનમાં પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ચાતુર્માસમાં સાથે રહી જ્ઞાનાભ્યાસ કર્યો. દિવાળી લગભગમાં સમેતશિખર આદિ પૂર્વ દેશનાં તીર્થોની, કલ્યાણકભૂમિની યાત્રા કરી, જેમાં રમણિકલાલ પણ જોડાયા અને સંયમ સ્વીકારવા માટે બધા ઉત્સાહી બન્યા. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૬ ના દિવસે પાંચ મુનિઓની વડી દીક્ષા સાથે સી. પી. ટેન્ક-માધવબાગના વિશાળ મંડપમાં વરસીદાનનો વરઘોડો ઊતર્યો અને ભવ્ય રીતે દીક્ષા થઈ. પૂ.આ.ભ. વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે રજોહરણ પ્રાપ્ત કર્યું. રમણિકલાલ પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્ય રૂપે સંયમ સ્વીકારી મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી ઉત્તરોત્તર સાધનામાં લાગી ગયા. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અષ્ટપ્રવચનમાતા, પ્રકરણ, કર્મસાહિત્ય આદિ શાસ્ત્રસ્વાધ્યાય અંગે સમજાવતા. પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજ સંસ્કૃત ભાષાના સરળ નિયમો, વ્યાકરણ, ન્યાયભૂમિકા, ઓઘનિર્યુક્તિ વગેરે શીખવતા. પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજશ્રીએ તેઓશ્રીની યોગ્યતા નિહાળી શ્રી ભગવતીસૂત્રનાં યોગોદ્દહન કરાવી મલાડમાં સં. ૨૦૩૫ના વૈશાખ સુદી-૬ને દિવસે ગણિ પદ અને સં. ૨૦૩૮ના મહાસુદ-૧૦ને દિવસે નડિયાદમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા પંન્યાસશ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy