SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૫૭૧ (ચિત્ર નં. ૮). રાજગીર (બિહાર)માંની ૮મી-૯મી સદીની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા (ચિત્ર નં. ૦) મધ્યપ્રદેશના ગ્યારસપુરમાંથી પ્રાપ્ત પાર્શ્વનાથની પ્રતિમા (ઈ.સ. ૬ ઠ્ઠી સદીનો અંત ૦મી સદીનો પ્રારંભ). તીર્થકર પદ્માસનમાં પીઠિકા પર બેઠેલા છે. મસ્તક પર સખનાગની ફણાવાળું છત્ર કોતરેલું છે. જિનનો જમણો પગ થોડોક ખંડિત છે. પીઠિકાના નીચેના ભાગમાં મધ્યમાં ધર્મચક્ર કોતરેલું છે. બંને બાજુ બે હાથીઓ ધર્મચક્ર તરફ જોતા હોય તેમ લાગે છે. હસ્તિઓ અને ધર્મચક્રની આકૃતિ ખંડિત જણાય છે. વક્ષ:સ્થલ પર શ્રીવત્સનું ચિહ્ન પણ અસ્પષ્ટ દેખાય છે. આ પરથી પૂર્વ ભારતમાં ખાસ કરીને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મૂર્તિના પરિકરમાં ગ્રહોનું અંકન કરવાની પરંપરા ઉત્તર ગુપ્તકાલથી શરૂ થઈ હોવાનું આ પરથી અનુમાની શકાય. (ચિત્ર નં. ૮) મથુરાના ટીંબામાંથી ગુપ્તકાલની ઊભેલા નેમિનાથની ઊભી પ્રતિમા પ્રાપ્ત થઈ છે જે હાલ લખનૌ મ્યુઝિયમ (નં. J/૧૨૧)માં સંગૃહીત છે. પ્રતિમાના મસ્તક પાછળ અલંકૃત ભામંડળ કોતરેલું છે. બંને તરફ વેલ કોતરેલી છે. ચૈત્યવૃક્ષનું પ્રતીક હોવાનું કહી શકાય. ઉપરના ભાગમાં બે ઊડતા માલાધરો અને પગની પાસે બે સેવકો અને બે પૂજકોનું અંકન (ચિત્ર નં. ૯) લખન મ્યુઝિયમમાંની નેમિનાથ તીર્થકરની ગુમકાલીન પ્રતિમા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy