________________
ઝળહળતાં નક્ષત્રો.
૫૬૫
જળ તીર્થકોની પ્રાચીન અવલોકનીય પ્રતિમાઓ
ડો. ભારતી શેલત, પૂર્વનિયામક, ભો.જે. વિધાભવન, અમદાવાદ
આ અવસર્પિણીમાં પ્રથમતીર્થકર દાદા આદિનાથના સુપુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદજી તીર્થે તેના ભવ્ય જિનપ્રાસાદમાં પાંચસો ધનુષથી માંડી સાત હાથની કાયા પ્રમાણે ચોવિશે ચોવિશ તીર્થકર પ્રભુની તે તે વર્ણપ્રમાણેની વિરાટુ પ્રતિમાઓ નિર્માણ કરાવી હતી.
દાદા આદિનાથનાં શાસન પછી પ્રભુ શ્રી અજિતનાથજીથી માંડી ઓગણીસમાં શ્રી મલ્લિનાથ પ્રભુજીનાં સમયમાં નિર્મિત પ્રતિમાજીઓની નોંધ મળી નથી પણ વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુનાં સમયમાં શ્રી કેશરિયાનાથજીની પ્રતિમા તથા ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથજીનાં સમયની શ્રી નાગેશ્વર પાર્થ પ્રભુની પ્રતિમા આજે પણ આપણા પુન્યોદય દર્શન-પૂજન થઈ રહ્યા છે. શાસનપતિ પરમાત્મા મહાવીર પ્રભુનાં સમયમાં નિર્માણ પામેલા કુમારનંદી સોની દ્વારા ચંદનની પ્રતિમાની પ્રતિકૃતિ વડોદરા મહારાજા સયાજીરાવનાં કમાઠીબાગ મ્યુઝીયમમાં અત્યંત જીર્ણશીર્ણ હાલતમાં જોઈ શકાય છે. જેની નીચે જીવંતસ્વામી વર્ધમાન કુમાર લખેલ
બાદ મહાન સમ્રાટ સંપ્રતિરાજાએ કરોડો પ્રતિમાજીઓ તથા લાખો જિનાલયોનું નિર્માણ કરી ભરતક્ષેત્રની ભવ્યધરતીને પુન્યવંતી બનાવેલ તે સમયની અનેક વિરાટ પ્રતિમાજીઓમાંથી અફઘાનિસ્તાનમાં એકસો પંચોતેર હાથની વિશાળ આદિનાથદાદાની પ્રતિમાજીનો ઉલ્લેખ “મધ્ય એશિયા અને પંજાબમાં જૈન ધર્મ” પુસ્તકમાં વિદ્યાભૂષણ હીરાલાલ દુગ્ગડે કરેલ છે. શ્રમણ બેલગામમાં તેતાલીશ ફૂટ ઉંચી પ્રતિમાજી વિ. તથા ચીન પેકીંગમાં વિવિધ મુદ્રાવાળી અનેક વિરાટ પ્રતિમાજીઓનાં ઉલ્લેખ મળે છે. તેવી જ
રીતે તારાતંબોલનગરમાં (જેની યાત્રાનું વર્ણન ઠાકર બુલાખીદાસે રાજસ્થાની પાલિતાણા-જંબૂઢીપ સંકુલમાં | ભાષામાં કર્યું છે જે પત્ર દિલ્લીના રૂપનગર કોલોની સ્થિત જૈન શ્વે. શ્રી ૧૦૮ ફૂટની આદિનાથ દાદાની | શાંતિનાથજી મંદિરના હસ્તલિખિત ભંડારમાં સુરક્ષીત છે.) એકસો આઠ વિરાટ પ્રતિમાનું આયોજન શ્રીફળ પલાઠીમાં સમાઈ જાય તેવી વિશાળ પ્રતિમાઓનો ઉલ્લેખ સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org