SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૫૧૭ રાની ગુફા-ઉદયગિરિ ગુફા (ચિત્ર નં. ૧૧) [8/09 દ્વિતીયના સમયની છે. અહીં ૨૦ ગુફાઓ જેનોની છે. બાકીની ગુફાઓ પર અન્ય ધર્મીઓનો કબજો છે. ચિત્ર નં-૨માં તીર્થંકરના માતા-પિતા નજરે પડે છે. ઇલોરામાં ગુફા નિર્માણની કળા એની ચરમસીમાએ હતી. ચિત્ર નં.-૧માં ત્રણ માળની ગુફા જોઈ શકાય છે. આ સ્થળ યાદવકુળના રાજાની રાજધાની દેવગિરિ-દોલતાબાદથી ૧૬ માઈલ દૂર છે. આ ગુફામાં કૈલાસ ગુફામાં શિવમંદિર છે જ્યારે છોટા કૈલાસ, ઇન્દ્રસભા અને જગન્નાથ સભા, જૈન ગુફાઓ છે જ્યાંની કોતરણી અતિ સુંદર છે. ઇન્દ્રસભા મંદિર દ્રવિડ શૈલીનું છે તથા અહીંની દીવાલ પર પાર્શ્વનાથની તપસ્યા અને કમઠ દ્વારા થતા ઉપસર્ગનું શીલ્પ ઉત્કીર્ણ કરેલું છે. આ ગુફાઓનું નિર્માણ ઇ.સ. ૮૦૦ની આસપાસ પૂર્ણ થયું. ત્યારબાદની ગુફાઓ ઓછી જોવા મળે છે. મંદિર સ્થાપત્ય શૈલી : ભારતીય સ્થાપત્યમાં પ્રથમ સ્તૂપ ત્યારબાદ ગુફામંદિરો અને પછી મંદિરો એમ ઉત્તરોત્તર વિકાસ પામતા ગયા. દેલવાડા જૂના, આબુ દેલવાડા, કુંભારીયાજી, તારંગા, રાણકપુર વગેરે નગરોના મંદિરો વાસ્તુકળાની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ કહી હતો ? (ચિત્ર નં.-૨). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy