________________
ઝળહળતાં નક્ષત્રો
ran
એક સમયે જૈનાચાર્યોના સઉપદેશથી ગુજરાતના નૃપતિઓ પણ જૈનધર્મની અસર તળે આવ્યાં હતાં. વનરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સંસ્કારપ્રિય રાજવીઓએ અનેક ભવ્ય ચૈત્યો બંધાવ્યા હતા--તે સમય સુવર્ણકાળ ગણાતો. આ રાજવીઓએ અને જૈન મંત્રીઓએ ગુજરાતનો ગૌરવધ્વજ ઊંચે ગગને લહેરાવવામાં અગ્ર ફાળો આપ્યો હતો, એવું જૈનગ્રંથોની પ્રશસ્તીઓની અનેક નોંધમાં નોંધાયું છે. મારવાડમાં જોધપુરથી છ એક માઈલ ઉપર ગઢમંડોર જ્યાં તેરમાં સૈકાની જૈનોની
Jain Education Intemational
જૈનધર્મમાં પ્રજાવત્સલ રાજ્વીઓ અને મંત્રીઓનું આદાનપ્રદાન
–ડૉ. નરેશ જે. પરીખ
૩૩૯
કેટલીક જાહોજલાલી ઉપરથી અનુમાન થાય છે કે ત્યાં પણ જૈન રાજવીની સત્તા પ્રવર્તતી હતી. મેવાડનો રાજવંશ ભલે સિસોદિયાવંશ ગણાય પણ કેટલાંક રાણા-રાણીઓએ જૈન શાસનની ઉગ્ર ઉપાસના કરી હોય તેવા પ્રમાણો મળી આવ્યાં છે. રતલામ-અવંતિ અને ઉજ્જૈનમાં જૈનધર્મની જ્યોત ઝળહળતી હોવાનું ઇતિહાસકારો નોંધે છે. આ ભૂમિ સાથે સંકળાયેલી શ્રીપાળ રાજા અને મયણાસુંદરીની કથા જાણીતી છે. તારંગાજી તીર્થ, જ્યાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યની સલાહથી ત્યાં બાવન દેવકુલિકાવાળો બત્રીસમાળનો પ્રાસાદ કરાવ્યો. તીર્થભક્તિનો આ નમૂનો આપણા સૌનું ધ્યાન ખેંચે છે. મારવાડમાં ચારસો ગજના ઘેરાવામાં આવેલું વરકાણાનું બાવન જિનાલયનું મંદિર ભૂતકાલીન જૈન ગૌરવને તાજું કરે છે. મેવાડના રાણા ઉપર જૈનાચાર્યોની સાત્ત્વિકતાનો પૂરો પ્રભાવ હતો તેમ મનાય છે. જૈનશાસનના રાજવંશી ઉપાસકોમાં મૌર્યવંશી સમ્રાટ સંપ્રતિનું નામ મોખરે છે. ગુજરાતમાં સૌ પ્રથમ જૈનધર્મનો વાવટો લાવનાર આ સંપ્રતિ જ હતા. બિકાનેરની સ્થાપના, સુર્દઢતા અને આબાદી એ વખતના જૈન મંત્રીશ્વરોને આભારી છે.
આ લેખમાળાની રજૂઆત કરનાર ડૉ. નરેશકુમાર જે. પરીખ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. ઉત્તરગુજરાતના વીસનગર મુકામે ૧૯૬૭ના ૨૦મી જૂને તેમનો જન્મ થયો. એમ.એ. સુધી અભ્યાસ કર્યો. ઇતિહાસ વિષયમાં પીએચ.ડી. થયા. પાટણ, વીસનગર, કડી વગેરે સ્થળે
For Private & Personal Use Only
www.jainelibrary.org