SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો જીરૂર0 : છ :: : oooooAo : ::: :: : . છે * * * Eia: ૨૦૦datodio * 3a ૭ શ્રુતજ્ઞાન શા માટે શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ છે ! પ્રસ્તુત લેખ એક સમર્થ આચાર્ય અને સિદ્ધહસ્ત લેખક સાધુ ભગવંતનો છે. શ્રુતજ્ઞાન પ્રત્યેની તેમની પ્રીતિ આપણને સ્પર્શી જ જાય છે. પાંચ જ્ઞાનરત્નોમાં બીજું જ્ઞાન-તેનું મહત્ત્વ અનેક દૃષ્ટાંતો દ્વારા પ્રતિપાદિત કરીને આધુનિક યુગમાં પણ તેના ગૌરવને આવકાર્યું છે–વધાવ્યું છે-વંદના અને ધન્યવાદ. જૈનશાસનનાં દીપ્તિમંત સાધુનક્ષત્રોની નિરાજના સાચે જ લેખ અને ફોટોસંગ્રહ ગ્રંથની અનોખી સંપત્તિ છે. પૂ. આચાર્યદેવ, અકબર પ્રતિબોધક, અહિંસાની અહાલેખ જગાડનાર હીરસૂરીશ્વરજીથી પ્રારંભીને આચાર્ય જિનેન્દ્રસૂરિજી સુધીના લગભગ ૪૮ મહાન આચાર્યોની દીપમાળા Lo QVANN ગ્રંથની અપૂર્વ શોભારૂપ છે. પ્રભાવ નક્ષત્રોનો : પ્રકાશ સૂર્યનો લેખનો પ્રારંભ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાની ખેવનાથી થાય છે. એમાં સંતોનું સ્થાન પ્રસ્થાપિત કરી સંતસંસ્કૃતિ તરીકે નવાજી છે. કારણ સાધુમ્ય: સાધુ નાગપુરમ્ લેખનું હાર્દ છે, જૈનશાસન-ગગનમાં સાધુ ભગવંતોની શાસનરક્ષા, સત્ત્વશીલતા, સમાજસેવાની નોંધ લઈને સંસ્કૃતિના તેજપુંજોનું અભિવાદન અતિ પ્રશંસનીય રીતે રજૂ કર્યું છે. જૈનશાસનની અમર વિરાસત પ્રસ્તુત લેખમાં યુગવર્તી અસર ઊભી કરનાર, પોતાના પ્રભાવથી અનેક રીતે પ્રેરણાપીયૂષ રેલાવતાં ઝરણાં–ઉત્તમ દૃષ્ટાંતો આકર્ષી જાય છે. શાસન માટે ઉત્તમ પ્રસંગ કે ઘટના માટે, જીવતરને ધન્ય બનાવતા પ્રસંગે વળાંક પામીને શાસનપ્રેમી અનેક જીવનવીરો સદાય સ્મરણીય રહી દીપશીખા સમાં ઝળહળતા રહેશે એ ભાવને ઉત્તમ રીતે રજૂ કર્યો છે. એ સોને તથા પૂજ્યશ્રીને વંદના. જૈનશાસનને આરાધનાની વૈજ્ઞાનિકતા : પ્રમાણમીમાંસા જૈનશાસનમાં ઉપાસનાનું મહત્ત્વ છે–કષાયોથી દૂર થવાથી કેવાં સુફળ પ્રાપ્ત થાય છે તેની પ્રતીતિ પ્રસ્તુત લેખની ઘટનાઓમાં-પ્રસંગો કરાવી જાય છે. તીર્થયાત્રા, સ્તવન, જિનપ્રતિમા વગેરેમાં રહેલ દિવ્યાતિદિવ્ય શક્તિ આજના યુગમાં ચમત્કારસમી જણાય છે. આવાં શુભ તત્ત્વ જગત સામે મૂકી ધર્મજાગૃતિની જ્યોત પૂજ્યશ્રીએ જલતી ANો રાખી છે. વંદના. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy