SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જિન શાસનનાં રૂપે પિતાશ્રીએ આપેલ મૂડીમાંથી નવલાખ સોનામહોરો ખર્ચે સ્વતંત્ર જિનપ્રાસાદ બનાવી લાભ લીધો અને જિનશાસનના જયજયકારમાં નિમિત્ત બની. આજેય પણ અમુક પ્રતિમાજી વિશેના દેવતાઈ સ્વપ્નો શ્રાવક-શ્રાવિકાઓને આવે છે અને ચમત્કારિક ઇતિહાસો સર્જાય છે ત્યારે મૂઢમતિઓ પણ ચમત્કાર દેખી નમસ્કાર કરતા થાય છે. ૬૭. તીથાધિરાજની એક ટૂંક // શ્રી શત્રુનય મદાતીર્થ ! ઉપદેશથી વિ.સ૧૫૮૩માં સિદ્ધરાજે જ કરાવેલ જયાં દરોજ લોકો લખાણ સાર્થક કરવા લગ્ન પછી તરતમાં જ સુંદર જિનાલય બંધાવી બહેનની ભાવના પૂર્ણ કરી આપી. નવટુંકોમાં ઊજમફઈની ટૂંકના દર્શન કરતાં તે પ્રસંગ યાદ કરતાં ખરેખર નજીકના ભૂતકાળની વાત જીવંત બની જશે. ધન્ય છે ભાઈબહેનની ભવ્ય ભાવનાને. ૬૬. પાસિલનો પુયોદય આરાસણ મુકામનો જૈન શ્રાવક પાસિલ ગ્રામાનુગ્રામ વિચરતાં પાટણના સિદ્ધરાજ જયસિંહના રાજવિહાર નામના ચિત્યાલયમાં પૂજા કરવા આવેલ. નિત્ય સેવાપૂજા પછી જ જીવનનો નિત્યક્રમ ચલાવનાર આ પાસિલ ફક્ત એક ભાવના જ ભાવતો હતો કે ક્યારે પોતાના જીવનમાં પણ એકાદ પ્રતિમાજી પોતાના દ્રવ્યથી ભરાવવાનો લાભ મળે. અને તે દિવસે આદિનાથ પ્રભુજીની પંચ્યાસી અંગુલની તે પ્રતિમાની મનમોહકતા દેખી મૂર્તિનું માપ લેવા લાગ્યો. જિનબિંબની પ્રતિષ્ઠા નિકટના વરસોમાં વાદિદેવસૂરિજીના ઉપદેશથી વિ.સં. ૧૧૮૩માં સિદ્ધરાજે જ કરાવેલ જ્યાં દરરોજ અનેક ભાવિકો પૂજા કરવા આવતા તેમાં ક્રોડાધિપતિ છાડા શેઠની દીકરી હસુમતી પણ આવતી હતી જે સ્વયં બાળવિધવા છતાંય પરમાત્મા ભક્તિની રાગિણી હતી. દરિદ્ર એવા પાસિલને તેણીએ વ્યંગની ભાષામાં પૂછી લીધું કે આમ પ્રભુનું માપ લઈ શું તમે પણ વિરાટ ભગવાન ભરાવવાના છો? અને તેના જવાબમાં દુઃખી મને પાસિલ હૈયાથી બોલી ગયેલ કે ભાવ તો તેવા જ છે. જ્યારે પ્રતિષ્ઠા કરાવીશ ત્યારે તમારે પણ ખાસ પધારવું પડશે. આમ હસતાહસતા વાર્તાલાપ પૂરો થઈ ગયો. તે દિવસે પાસિલ શ્રાવક ઘેર પહોંચ્યા પછી બોલેલા પોતાના જ બોલથી બેચેન બની ગયો કે ક્યાંક ખોટું બોલવાનું પાપ તો માથે આવી નહીં પડે ને? તરત જ આરાધનાના ઉપવાસ ચાલુ કરી દીધા જે સફળ થયા. દસમા ઉપવાસે જ અંબાજી પ્રત્યક્ષ આવ્યા ને શ્રાવક પાસિલને ભાવોના વળતરરૂપ સોનામહોરોનું નિધાન દેખાડી દીધું. પછી કહેવાનું બાકી નથી રહેતું. પાસિલે પણ તે જ વાદિદેવસૂરિજીની નિશ્રા લઈ અંજનશલાકા અને પ્રતિષ્ઠા સ્વયંના જિનાલયમાં સ્વયંના દ્રવ્યથી પ્રતિમાજી ભરાવવા દ્વારા કરાવી અને ભાવનાશીલ હસુમતી પણ તે પ્રસંગે હાજર રહી સાક્ષી તો બની જ. પણ પોતાની મજાકના શબ્દોના દંડ श्री शर्बुजयतीर्थाय, विश्वचिन्तामणीयते । तवादावरदवाय, सभ्यम् भक्त्या नमानमः ॥ આજે પણ જૈનો સાવ ઓછા પણ વેપારધંધાથી સૌથી વધુ સુખી તેના મૂળકારણમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાઓના યથાશક્ય પાલન દ્વારા ઉત્પન્ન પુણ્યના ચમકારાઓ છે અને વ્યવસાયિક ધોરણે જૈનોની નીતિમતા પણ લોક વિશ્વાસનું કારણ હોવાથી લગભગ વેપારધંધામાં સફળતાઓ શીધ્ર સાંપડે છે પછી જૈનસંઘો સુખી હોય તેમાં આશ્ચર્ય શું? સવચંદશેઠના વહાણો દરિયામાં સમાધિ પામી ગયા તેવી અફવાહ બજારમાં ફેલાવાથી તરત જ લેણદારો પંક્તિ બની આવી ગયા અને શેઠે પણ નીતિની પ્રીતિથી બધાયને લેણું ચૂકવી દીધું. છેલ્લે એક વેપારી પૂરા લાખનું લેણું લેવા આવ્યો ત્યારે તેને દિલાસો આપવા સિવાય હાથમાં કંઈ બચ્યું ન હતું. રકઝક થયા પછી પણ જ્યારે લેણદાર થોડો વધુ સમય ઇંતજાર કરવા તૈયાર ન થયો ત્યારે તેની અશ્રુભીની આંખે અને વગર કોઈ પરિચયે તેણે નિકટના ભૂતકાળની પ્રતિષ્ઠિત પેઢીના માલિક ધનાસુથારની પોળ અહમદાવાદ નિવાસી શેઠ સોમચંદ ઉપર લાખ ચૂકવવા હૂંડી લખી આપી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy