SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જિન શાસનનાં જોકે હુમાયુએ જ્યારે જાણ્યું કે મેરુશાએ પોતાના સ્વાર્થ માટે કશો ઉપયોગ ન કરતાં બાર હજાર જિંદગી બચાવવા ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં પરંતુ પોતે જશ લેવાના બદલે હુમાયુ બાદશાહનો જય જયકાર કરાવ્યો......આવા માણસને સજા કરાતી હશે? એમ વિચારી પ્રસન્નતાપૂર્વક મેરુશાનું બહુમાન કરી વિદાય કર્યા. મે'માનગતિ પાલીતાણાની સમીપે છાપરિયાળી પાંજરાપોળ પાસે આવેલું જેસરગામ આજે પણ વિવિધ ધર્મસ્થાનોથી મનોરમ છે. ગઈ સદીમાં આ જેસરમાં હઠીભાઈ શેઠ રહેતા. હઠીભાઈ રોટલે ઉદાર. કોઈ પણ નવો માણસ જુએ એટલે એને આગ્રહ કરી પાછો આવતાં બે-ત્રણ દિવસ થાય. ત્રણ દિવસ તમે અહીં જ રોકાણ કરો.' ત્રણ દિવસ, ભોજન વગેરેનો ખર્ચ કેટલો બધો આવે?' એ બધો ખર્ચ મારો.” પોતાના માણસોને જરૂરી સૂચના આપી મેરુશાહે ઘોડાની ગતિ તેજ કરી. જોધપુર નહીં પણ દિલ્હીના દરબારમાં પહોંચી ગયા. હુમાયુ બાદશાહ ઝવેરાતનો ભારે શોખીન. મેરુશાહ હુમાયુને પોતાનો અતિ કિંમતી હીરો ભેટ ધર્યો. હીરાનું ઝળાંહળાં તેજ જોતાં હુમાયુ અવાક થઈ ગયો. | ‘મેરુશા, તે મને આવી કીમતી ભેટ આપી તો હું પણ, તને કંઈક આપવા માગું છું. જે જોઈએ તે માંગી લે.” | ‘હજૂર, મારે એક કોરા કાગળ ઉપર આપની સહી જોઈએ છે. આપને ખાતરી આપું છું કે હું એનો દુરુપયોગ નહીં કરું.’ હુમાયુ મેરુશા ઉપર ફિદા ફિદા થયેલો. તરત કોરા કાગળ ઉપર સહી સિક્કા કરી આપ્યા. કાગળ લઈ મારતે ઘોડે મેરુશા રવાના થયા. પેલા લાચાર દીન-હીન માનવોને જલદી જલદી મુક્ત કરવાની એમને ઉત્કંઠા હતી. કોરા કાગળ ઉપર મેરુશાહે લખાણ લખી દીધું. ગુલામોનો કબજો મેરુશાને આપવો. હુમાયુના સહી-સિક્કાવાળા પત્રનો અનાદર પણ કોઈ સરદાર કેવી રીતે કરી શકે. વળતી પળે બાર હજાર કેદીઓનાં રોમ રોમ નાચી ઊડ્યાં. ગુલામીની જંજીરો સરી પડી. મુક્તિનો મારગ મોકળો બન્યો. “મેરશાહની જય હો!'ના ઘોષનાદને અટકાવી મેરશાહે ગુલામોને હુમાયુ બાદશાહની જય બોલતા ઘરે જવા સૂચન કર્યું. હુમાયુના જયજયકાર કરતા બધા ઘર ભેગા થયા. મેરુશાહ પુનઃ દિલ્હીના પંથે પડ્યા. બાદશાહને જાતે જ સત્ય હકીકત કહી દેવાનું એમને વ્યાજબી લાગ્યું. બાર હજારની જિંદગી બચાવતાં એક જિંદગીનું બલિદાન આપવું પડે તો પણ મેરુશા તૈયાર હતા. એક વાર રાતના સમયે શેઠ ઘોડી પર બેસી બહારગામથી આવી રહ્યા હતા. રસ્તામાં બહારવટિયાઓએ આંતર્યા. “જે હોય તે આપી દે.” હઠીભાઈ કંઈ બોલે તે પહેલાં જ એક ડાકુએ શેઠને ઓળખ્યા. | ‘અલ્યા, આ તો જેસરના હઠીભાઈ શેઠ છે. આપણે એમની મે'માનગતિ માણી છે. કેટલા પ્રેમથી છાશ-રોટલા જમાડ્યા હતા. કશી ઓળખાણ વિના. આવા ‘અતિથિ દેવો ભવ'ના સિદ્ધાંતવાળા શેઠને ન લૂંટાય. એમને સલામત ઘરે મૂકવા જવાય' અને બીજી ઘડીએ ભક્ષકો રક્ષકો બની શેઠને ઘર સુધી મૂકી ગયા. આંગણે આવેલાને મે (વરસાદ) જેવું માન આપવું એ ભારતીય સંસ્કૃતિ છે. એટલે જ અતિથિનો પર્યાય છે મે'માન. તારાં આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે.' કેવી સરસ શીખ છે. એને હૈયે ઉતારીએ. સત્સંગે જીવન પરિવર્તન સો વરસ પહેલાંની ઘટના છે. રાજનગર અમદાવાદની પોળમાં એક શ્રાવક રહે. એ શ્રાવકનો દીકરો નામ તો સોભાગચંદ હતું. પણ એનાં કામ દુર્ભાગ્યની પરાકાષ્ઠા સૂચવતાં હતાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy