SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આવા સદ્ભાગ્ય ક્યાંથી? આપના અભ્યાસમાં અમારું ધન લેખે લાગે. પંડિતજીનું નામ, સરનામું જણાવો. હમણાં જ શ્રાવકજી જઈને બધું નક્કી કરી આવશે.' અને ખરેખર થોડીવારમાં શ્રાવકજી દેવશીભાઈ આવી ગયા! બીજા જ દિવસથી મુનિરાજોનો અભ્યાસ શરૂ થઈ ગયો. આ. હરિભદ્રસૂરિજીને લલ્લિગ શ્રાવક મળ્યો. ઉપા. યશોવિજયજીને ધનજી શૂરા, આ. હીરસૂરિજીને જસમાઈ– સાધુના માતા-પિતા જેવું સ્થાન ધરાવતા શ્રાવક-શ્રાવિકાઓએ ઘણા સુંદર કાર્યો કર્યાં છે. આ. હીરવિજયસૂરિજી ખંભાત પધાર્યા. રત્નપાલ દોશી નામનો શ્રાવક આવ્યો : ‘ગુરુદેવ! મારો એકનો એક દીકરો રામજી મૃત્યુના બિછાને છે. વૈદ્યોએ હાથ ખંખેરી નાખ્યા છે. આપશ્રી માંગલિક સંભળાવવા પધારો. આપશ્રીના વાસક્ષેપથી સારું થઈ જશે.' કૃપાળુ આચાર્યશ્રી એને ત્યાં પધાર્યા. માંગલિક સંભળાવ્યું. રત્નપાલ દોશી કહે : ગુરુજી, જો બચી જાય તો આ પુત્ર આપશ્રીને અર્પણ કરીશ.' હરદાસને સમજાયું કે આ. હીરસૂરિ રામજીને પરાણે –(શાં. સૌ. અંક-૬/૨૦૦૨) દીક્ષા આપવા માંગે છે. ખંભાતના સૂબા સિતાબખાન જોડે હરદાસને સારો સંબંધ હતો. સૂબાના કાનમાં હરદાસે આ. પુત્ર મોહ હીરવિજયસૂરિ વિરુદ્ધ ઝેર ઓક્યું. સૂબાએ આ. હીરવિજયસૂરિને પકડવા હુકમ કર્યો. પરિણામે આચાર્યશ્રીને ત્રેવીશ દિવસ છૂપાઈ રહેવું પડેલું. ‘અહીં વંદન કરવા તો લાવજો.' રત્નપાલ કંઈ ઉત્તર આપ્યા વિના ઘરે ગયો. આ વાત ઘરનાને કરી. ઘરના બધાને ગભરામણ થઈ. રામજીને આપવાની વાત રત્નપાલે જ ઉચ્ચારેલી પણ ત્યારે આ છોકરો મરણાસન્ન હતો. બળતું ઘર કૃષ્ણાર્પણ કરેલું, આજની વાત જુદી છે. હવે રામજી એકનો એક, રમતો-ગમતો, નિરોગી, હસમુખો, દેખાવડો, કુળનો આધાર. હવે રામજીને ગુરુ મ.ને સોંપવા કોઈ તૈયાર નથી. જિન શાસનનાં આચાર્ય ભગવંત તો સાગર જેવા ગંભીર. પુત્રનો મોહ સંસારીઓને કેવો સતાવતો હોય છે? એ બધું પૂજ્યશ્રી સારી રીતે જાણતા હતા. તેઓશ્રીએ પછી ક્યારેય રામજી સંબંધી વાત ઉચ્ચારી પણ નહીં. આચાર્યશ્રી ફરી રામજીની વાત ન કાઢે એ માટે રત્નપાલના પરિવારના લોકો ઉપાશ્રયે જઈ ઝઘડો કરી આવ્યા. સૂરિજીને જેમ તેમ કહી આવ્યા. Jain Education Intemational પણ, રત્નપાલના ઘરનો ઘૂઘવાટ એની પરણાવેલી દીકરી સુધી પહોંચ્યો. એ બાઈના સસરા હરદાસને કાને વાત પહોંચી. કોઈપણ વાત જુદા જુદા કાનથી આગળ પહોંચે એમાં ઘણા સુધારા, ઉમેરા થઈ જતા હોય છે. કૈકેયીના પુત્રમોહના કારણે રામાયણ સર્જાઈ, સહદેવીએ જગદ્ગુરુએ વિહાર કર્યો. કેટલાંક વર્ષો પછી પુનઃ ખંભાત પધાર્યા. રત્નપાલવંદન કરવા આવ્યો. સૂરિજીને પુત્રમોહના કારણે પોતાના પતિ રાજર્ષિ સુકોશલ મુનિને ધક્કા મારી બહાર કઢાવ્યા. સમાચાર મળ્યા હતા કે રામજી બચી ગયો છે. આચાર્યશ્રીએ પૂછ્યું : ‘રામજી કેટલા વર્ષનો થયો?' ‘આઠેક વર્ષનો'. રત્નપાલે ટૂંકમાં પતાવ્યું. ‘તબિયત’ ‘સારી છે.' જૈન સંઘના અગ્રણીઓ પાસેથી સાચી માહિતી મળતાં સુબાએ હુકમ પાછો ખેંચ્યો. સૂરિજીએ ખંભાતથી વિહાર કર્યો. મુસ્લિમોએ ઘણાં ખોટા પગલાં પણ ભર્યા છે. પણ કેટલીક વાર એમને આવું કરવા જૈનોએ જ પ્રેર્યા છે, એ કેટલું બધું દુઃખદ છે. રે' પુત્રમોહ! તારા તોફાનનો પાર નથી. (શાં સૌ. અં/૨૦૦૨) ગુરુપ્રેમ જિનશાસનમાં ગુરુતત્ત્વનું ઘણું મહત્ત્વ છે. ‘આજ્ઞા ગુરૂળાં ફ્રિ અવિવારળીયાા' ગુરુની આજ્ઞા પાળવામાં સંકલ્પ–વિકલ્પ, વિચાર કશું નહીં કરવાનું. અમલ જ કરવાનો. જગદ્ગુરુ હીરવિજયસૂરિ મ.સા. એ છઠ્ઠ તપ કરેલો. ગુરુ મ. આ. વિજયદાનસૂરિ મ. નજીકના ગામમાં હતા. વહેલી સવારે ગુરુ મ.નો પત્ર આવ્યો. અહીં જલદી આવજો.’ પત્ર મળતાં જ આ. હીરવિજયસૂરિ મ.સા. ઊભા થયા. સાધુઓને કહે, “ચાલો, તૈયાર થાઓ, વિહાર કરવાનો છે.' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy