________________
so ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો ધંધામાં સાથે લીધા. ૧૯૪૨ માં પિતાની સ્મૃતિમાં જૈન મંદિર બંધાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી અને નેમીનાથજી મંદિરના ઘણાં વર્ષો સુધી ટ્રસ્ટી રહ્યા. તેઓ સારા વડતા હતા. તેમને સાંભળવા એ એક લહા ગણાત. દીન-દુ:ખિયાં અને જરૂરિયાતવાળાને હંમેશાં કાંઈને કાંઈ આપીને સંતોષ મેળવતા. તેઓ ખરેખર ભારતીય પ્રણાલિકાઓના એક સાચા પ્રતિનિધિ હતા. જીવનમાં તેમણે “બીજા સાથે જીવો અને બીજા માટે છે” એ આદર્શ અપનાવ્યું હતું. ભારતીય સમાજ આવા ગૌરવશાળી રને માટે ધન્યતા અનુભવે છે.
સ્વ. શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા
સ્વ. અમૃતલાલભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ દુઃખ-સંતપ્ત જ્ઞાતિજનોના સહારા સમાન હતા.
તેમણે અને તેમના નાનાભાઈ શ્રી ભાનુશંકર પિપટલાલ ઓઝાએ તેમના વતન ઉમરાળામાં કન્યાશાળા તેમ જ મિડલસ્કૂલને માટે ફાળો ઉઘરાવનારાઓને અનેક સ્થળે ફરવું ન પડે એટલે બંને ભાઈઓએ મળી જોઈતી રકમ સ્વેચ્છાએ આપી વતન પ્રત્યેની વહાલપ બતાવી હતી. આ રકમ અર્ધ લાખ જેટલી હતી. ઉપરાંત વતનને માટે બીજી પણ અર્ધી લાખ જેટલી રકમ આપી ઉમરાળાના ગૌરવરૂપ બન્યા હતા. પૂનામાં છે. જયશંકર પીતાંબરદાસ અતિથિ. ગૃહને પણ તેમણે સારી એવી રકમ આપી છે. મુંબઈ શ્રીમાળી બ્રાહ્મણને સમાજને સત્તર-અઢાર હજારની રકમ ઉચ્ચ શિક્ષણનિધિ માટે આપી છે, અને દરેક પ્રસંગે સમાજને પાળીપોષી પ્રફુલ્લિત કરેલ છે. આજે ઉચ્ચ શિક્ષણનિધિ રૂ. ૪૦,૦૦૦ સુધી પહોંચવા પામેલ છે, તે સ્વ. અમૃતલાલભાઈની જ્ઞાતિસેવા અને કેળવણી પ્રત્યે અનુરાગ પુરવાર કરે છે. ભાવનગરની પ્રેમશંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ બેડિગ તરફ તેમનો મદદરૂપી પ્રવાહ વહ્યા જ કર્યો છે. આ ઉપરાંત વૈદ્યકીય સંસ્થાઓ, ઇસ્પિતાલે. અનાથઆશ્રમો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org