________________
૬૪૪
[ આપણા શ્રેષ્ઠીવર્યા જૈન સેવાસમાજના કાર્યકર તરીકે રહીને સમાજની યથાશક્તિ સેવામાં પેાતાના માટા ભાગને સમય આપતા રહ્યા છે. સામાજિક ઉપરાંત શિક્ષણ-સાહિત્યને ક્ષેત્રે પણ તેમની નાની-મેટી સખાવત જાણીતી છે. શહેરની ઘણી સંસ્થાએમાં તેમનુ માદન ઉપયોગી અને ઉમદા બન્યું છે. શાસનસેવાનાં અનેકવિધ કાર્યોમાં તેમની નેતાગીરી મેાખરે રહેલ છે. તેની પાછળ તેમની ઊંડી સૂઝ-સમજ છે. ભાવનગર વ્યાપારી સમાજમાં પણ તેમનુ આગવું માન અને સ્થાન રહ્યું છે.
શ્રી કુમારપાળભાઈ દેસાઈ
ગુજરાતના બહુમુખી પ્રતિભા ધરાવતા આ યુવાને સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજ, ધર્મ અને સસ્કૃતિ એમ જુદાં જુદાં ક્ષેત્રાએ આગવુ. પ્રદાન કરેલ છે. છેક ગળથૂથીથી સાહિત્યના સ`સ્કાર પામનાર શ્રી કુમારપાળ દેસાઈ ની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત ધરાવે છે. તેમણે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યાના પુરસ્કાર કરનારું વિપુલ સાહિત્યસર્જન કર્યુ છે—આપણે તેમણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. તેએ ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ અને શ્રી યશેવિજય ગ્રંથમાળા ટ્રસ્ટના માનદ મંત્રી તરીકે ઘણા જ સક્રિય છે. પિરસવાદ અને પ્રવચનનાં આયેાજનેમાં તેમની વ્યવસ્થાશક્તિ દાદ માંગી લ્યે છે. ગુજરાત સમાચારની ઈંટ અને ઇમારત કેલમ એ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં મહત્ત્વને ફાળા આપતી એક કોલમ છે. સ્વ. જયભિખ્ખુએ શરૂ કરેલી આ કોલમ આગવી ભાત ધરાવનારી હતી. એમના અવસાન પછી આવી સર્જનાત્મક કેલમ પુત્રે ચાલુ રાખી હાય તેવા ગુજરાતી પત્રકારત્વના પ્રથમ દાખલા છે.
છેલ્લાં આઠ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીના પાસ્ટ-ગ્રેજ્યુએટ વિભાગમાં અધ્યાપક, ઉત્તમ સંશોધનકાર્ય માટે ગુજરાત યુનિવર્સિટી તરફથી બે વાર ડા. કે. જી. નાયક ચદ્રક, પત્રકારત્વક્ષેત્રે ઉત્તમ કામગીરી બજાવવા માટે શ્રી યજ્ઞેશ હ. શુકલ પારિતાષિક, નવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org