SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] ( ૬૪૩ એશિયા અને યુરોપમાં જ્યુરીક, મેરિડ, લિઅન, ઈસ્તંબુલ, તેહરાન, લંડન, સ્ટોકહોમ (૧૯૭૮) વગેરે દેશની અભ્યાસાર્થે મુલાકાત લઈને ભારતના નામ રોશન કરી ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. ક્લિનિકલ સાયકિએટ્રી, એપીડેમીઓલેજી. ઈકોલેજ એન્ડ યુસાઈડલેજ, સાયકોસોમેટિક મેડીસીન, ગૃપ સાયકોથેરાપી, બિહેવીયર થેરાપી, સાયકોફીરમાકોલેજી વગેરે પર લગભગ ૧૭૫ જેટલાં સંશોધન પપ તૈયાર કરીને અભૂતપૂર્વ નામના મેળવી. ટેકટ બુક ઓફ મેડીસીન એ. પી. આઈ. માં ચાઈલ્ડ સાયકટ્રી ચેપ્ટર, વકીલ–ગેલવાળાના ક્લિનિકલ મેથડ ફેર પી. જી. સટુડન્ટ્સમાં સાયકિએટ્રીક એકઝામિનેશન ચેપ્ટર લખેલ છે. સાયકિએટ્રી ઈન ઈન્ડિયા-યુનેસ્કો (૧૯૭૫), મેડીકલ પેનલ્સ-જનરલ પ્રક્ટશનર્સ માટેનાં ૬૦ સેમીનાર્સ, લગભગ પ૦ લાયન–રોટરી વગેરેમાં પ્રખ્યાત વ્યાખ્યાને આપેલાં જેને આજે પણ ઘણે મોટો વર્ગ યાદ કરે છે. ૨૦ જેટલા કાર્યકમ ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થયેલા છે. જેને સમાજ માટે ગૌરવશાળી વ્યક્તિ છે. શ્રી કિરીટભાઈ પી. શાહ ભાવનગરે વિદ્યા અને ધર્મક્ષેત્રે હંમેશાં તેજસ્વી પાત્રની સમાજને ભેટ ધરી છે. વિવિધ પ્રવૃત્તિઓમાં આ શહેર હંમેશાં મોખરે રહ્યું છે. યુવાન કાર્યકર્તા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ શાહ ભાવનગરની વિવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા છે. પુરુષાર્થ અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા, વિચક્ષણ બુદ્ધિ, નીડરતા, સાહસિકતા વગેરે તેમની આગવી શક્તિને કારણે જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા. લાયન્સ કલબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ તરીકે, લાયન્સ ડિસ્ટ્રીકટ ૩૨૩/બી ઝોન-૨ રીજિયન દ ના ઝન ચેરમેન તરીકે તેમની સેવા અને પ્રદાન જાણીતાં છે. ભાવનગર જૈન સંઘના કારોબારીના સભ્ય ઉપરાંત ભાવનગર અને વિદ્યાનગર જૈન સંઘના સભ્ય તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy