________________
અભિવાદનગ્રંથ ] વોશિંગ્ટન ગુજરાતી સમાજની સ્થાપનામાં મહત્વનું ગદાન આપ્યું છે. નાની ભજનમંડળીઓની રચના કરી, વારાફરતી ગુજરાતીઓને ઘેર ભજન-કીર્તનને કાર્યક્રમ ગોઠવી ધાર્મિક સંસ્કાર જાગૃત રાખવાની યેજના ચાલુ કરી છે. પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી અમેરિકા પધારેલા ત્યારે તેમના આશીર્વાદથી “મંગલમંદિર” નામના પ્રભુમંદિરની સ્થાપના કરી.
માણસને વિકાસ માણસમાં રહેલ ગુણો પર આધારિત છે. સાહસવૃત્તિ, જુ, તીવ્રતા, મહેનત કરવાની તૈયારી, જોખમ લેવાની તત્પરતા, ધીરજ, ખંત, મને બળ—આ બધા ગુણો તિભાઈની માન્યતા મુજબ જીવનને સફળ બનાવે છે.
વિરક્ત જ્ઞાનની જેમ શ્રી રતિભાઈ કહે છે કે, “જીવનમાં સુખદુઃખાદિના અનુભવને અનુબંધ અનિવાર્ય છે. જીવનમાં આવતાં સુખ અને દુઃખ, ચઢતી તથા પડતી, આશા તથા નિરાશા, વિજય તથા પરાજય, લાભ તથા હાનિને સ્વીકાર કરી રહ્યો. કાંટા અને કમળથી બનેલા જીવનને જીવતા શીખવું રહ્યું.”
આત્મજ્ઞાનીની ભાષામાં રતિભાઈ પૂછે છે: “આ માનવજીવન મેળવી શું કમાયા? માનવજીવનને ખરે હેતુ શો? આ માનવજીવન ફરી મળશે ખરું?” જવાબમાં અનુભવપૂત સત્ય આપણું સમક્ષ ધરે છે, “ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જશું. સત્કર્મો જ હદયનાં કીર્તિમંદિરે બની રહેશે.”
શ્રી ભૂપેન્દ્ર પી. શાહ જન્મ તારીખ : ૧૪–૧૦–૧૯૩૪ અભ્યાસ : એમ. ઈ (બેન્કેર), એમ. ઈ. ઈ (યુ.એસ.એ.)
વડેદરાના વતની શ્રી ભૂપેન્દ્રભાઈ વધુ અભ્યાસ માટે ૧૯૫૮ના ઓગસ્ટની પહેલી તારીખે શિંગ્ટન ગયા. ૧૯૬૧માં એમ. ઈ. ઈ. પાસ કરી ત્યાં જ સ્થિર થયા. ૧૯૭૦થી તેઓ યુનિવર્સિટી ઓફ ડિસ્ટ્રિકટ ઓફ કલંબિયા (શિગ્ટન)માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રેફેસરને કાર્યભાર સંભાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org