SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦]. [ આપણા શ્રેષ્ઠીવર્યો કરી, પિતાનાં સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવી ખૂબ જ પ્રગતિ કરી છે. ૨૦૦ જેટલાં નેહીઓને જૈન તીર્થોની યાત્રા કરાવી સંઘપતિ તરીકે લાભ લીધે. દુષ્કાળનાં વર્ષોમાં જીવદયાના કામમાં લક્ષ્મીને સદ્વ્યય કર્યો. વડીલોને સંસ્કારસંપન્ન વારસો જાળવી રાખે છે. ધર્મ આરાધના સારી કરે છે. જીવનને કુલગુલાબી જેવું મઘમઘતું રાખવા ઉચ્ચ વિચારે અને સાદાઈથી જીવે છે. શ્રી શાન્તિલાલ બેચરદાસ ભાવનગરના વતની શ્રી શાન્તિલાલભાઈએ ઘણાં વર્ષોથી મુંબઈને વતન બનાવ્યું. ઘણાં વર્ષો સુધી કાપડ લાઈનમાં ધંધાની સારી એવી પ્રગતિ કરીને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ, શ્રી ઘોઘારી જૈન સહાયક ફંડ, શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળ ભાવનગર, શ્રી સાયન જેન વે મૂર્તિપૂજક સંઘ, ભાવનગર પાંજરાપોળ વગેરેમાં તેમની સેવા પડેલી છે. તેમના પરિવાર તરફથી આ નીચેની જગ્યાઓમાં સારી એવી રકમની દેણગી અપાયેલી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દેરાસર ભાવનગરમાં, ચેમ્બર જૈન દેરાસરમાં, સાયન જૈન દેરાસરમાં, દહીસર જૈન દેરાસરમાં એમ વિવિધ સ્થળે તેમની સેવા સેંધાયેલી છે. તા. ૭-૧-૮૬ના રોજ તેમના સ્વર્ગવાસ થયો. તેમના પુત્ર શ્રી ધનવંતભાઈ એ પિતાશ્રીના આ વારસાને સાચવી જાણે છે. શાંતિલાલ સુંદરજી શેઠ કાઠિયાવાડીએ વ્યાપારી ક્ષેત્રે સાહસ અને શૌર્યની યશગાથાથી જગતભરમાં મશહૂર બન્યા છે. તેમાં કેટલાક ધર્માનુરાગી મહાનુભાની આધુનિક યુગને જે સુંદર ભેટ મળી છે તેમાં મુંબઈના જાણતા દાનવીર શ્રી શાંતિલાલ સુંદરજી શેઠને આગલી હરોળમાં મૂકી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy