________________
અભિવાદનગ્રંથ !
L[ ૬૭ શ્રી રમણીકલાલ ત્રિભોવનદાસ સલત
શ્રી રમણીકભાઈને ધર્મસંસ્કારને વારસો તેમના પિતાશ્રી પંડિત ત્રિવનદાસ અને માતુશ્રી અજવાળીબહેન તરફથી મળે હતું. તેમના પિતાશ્રી પાલીતાણાની યશોવિજ્યજી જૈન ગુરુકુળ સંસ્થામાં ધાર્મિક અધ્યાપક હતા અને જૈન સમાજનાં બાળકની નિસ્તેજ થયેલી ધાર્મિક વૃત્તિને સતેજ કરવાનું અત્યુત્તમ કાર્ય તેઓ બજાવી રહ્યા હતા. તેઓ જ્યારે ત્રણ વર્ષના થયા ત્યારે ત્રિભવનભાઈનું અચાનક અવસાન થતાં તેમના કુટુંબ પર ભારે આપત્તિ આવી પડી હતી. એ સમયે માતુશ્રી અજવાળીબહેને આ આઘાતજન્ય ઘટનાને પચાવી જઈને તેમને તથા તેમના બીજા બે ભાઈઓ ચીમનભાઈ અને બટુકભાઈને ઉછેર કર્યો હતો. ભરયુવાનીમાં પહોંચેલ તેમના ભાઈશ્રી ચીમનભાઈનું ૨૩ વર્ષની વયે મૃત્યુ થતાં અને એ જ અરસામાં વાત્સલ્યમૂતિ માતુશ્રી અજવાળીબહેન પણ અવસાન પામતાં તેમના કુટુંબને આધારસ્થંભ ગુમાવ્યાને અત્યંત આઘાત થયો હતું. એ પછી તેઓ તેમના મામાશ્રી દલીચંદ પરશોત્તમદાસ શાહના આગ્રહથી મુંબઈ આવ્યા અને તેમના ઉષ્માભર્યા સહગથી તેમણે પિતાની વ્યાવસાયિક પ્રવૃત્તિને પ્રારંભ કર્યો હતે. પ્રખર પુરુષાર્થ અને વ્યાવસાયિક નિપુણતાએ તેમને સારી એવી સિદ્ધિ અપાવી હતી. પિતે શ્રી યશોવિજયજી ગુરુકુળમાં રહીને પાંચ અંગ્રેજીને અભ્યાસ કર્યો હતો અને તે શિક્ષણ મુંબઈની પિતાની વ્યાવસાયિક કારકિદી ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે તેમ તેઓ માને છે. માતૃસંસ્થા શ્રી યશોવિજયજી જેન ગુરુકુળમાં તેઓ સ્કલર દાતા બન્યા છે. મુંબઈ પાસેના આગાશી તીર્થમાં પૂ. દક્ષસૂરિજી મહારાજની પ્રેરણાથી બની રહેલ જિન મંદિરમાં માતબર રકમનું દાન આપેલ છે. તદ્ઉપરાંત પાઠશાળા, આયંબિલ શાળા, ધર્મશાળા, વિવાથીગૃહ, ઉપાશ્રય, હોસ્પિટલો વગેરે સ્થળે વખતોવખત સારી એવી રકમ આપને પિતાની ઉદારતાને પરિચય આપી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની જયાબહેન પણ ખૂબ જ સેવાભાવી અને શ્રદ્ધાળુ સન્નારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org