________________
૬૦૬ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો હંમેશાં પ્રવૃત્તિમય જીવનના આગ્રહી હોવાને કારણે વિવિધ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. દાન-ધર્મની પ્રભાવનાને વારસે જાળવી રાખે છે.
શ્રી રજનીકાન્ત લક્ષ્મીચંદ સંઘવી અમદાવાદની એચ. એલ. કેલેજ ઓફ કોમર્સના આચાર્ય તરીકે છેલ્લાં વીસ વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ આ કોલેજને ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ વાણિજ્ય કોલેજ તરીકે બે વખત એર્ડ પ્રાપ્ત થયેલ છે.
મૂળ લીંબડી (સૌરાષ્ટ્ર )ના વતની શ્રી સંઘવી અર્થશાસ્ત્રના નિષ્ણાત છે. એમ. એ. (ભારત) એમ. એ. (યુ. એસ. એ.)
એલએલ. બી તથા પીએચ. ડી.ની ડિગ્રી ધરાવતા શ્રી સંઘવી છેલ્લાં ૩૨ વર્ષથી શિક્ષણના વ્યવસાયમાં સુંદર કામગીરી બજાવી રહ્યા છે. કુલ બ્રાઈટ કોલરશિપ મેળવી તેઓ ૧૯૬૧-૬૨ દરમિયાન યુનિવર્સિટી ઓફ વિકેન્સીન ખાતે ઉચ્ચ અભ્યાસ કરી આવ્યા છે.
શ્રી સંઘવી એક પ્રગતિશીલ ચિંતક તથા કાર્યદક્ષ વહીવટકર્તા છે. એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ ઉપરાંત જેન જાગૃતિ સેન્ટર-કર્ણાવતી, શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, શ્રી ચંપકલાલ ચુનીલાલ કલ્યાણ કેન્દ્ર વિ. અનેકવિધ સંસ્થાઓના તેઓ અધ્યક્ષ યા મેનેજિંગ ટ્રસ્ટી છે. એક સારા વક્તા અને લેખક તરીકે તેમણે અમદાવાદ શહેરમાં આગવી પ્રતિભા ઊભી કરેલી છે. તેમને અર્થશાસ્ત્રમાં અનેક પુસ્તકો તથા લેખ પ્રકાશિત કર્યા છે.
યુરેપ તથા અમેરિકા વિ. દેશમાં બે વખત પ્રવાસ કરી આવેલા શ્રી સંઘવી માનવ કલ્યાણની અનેક નાનીમેટી પ્રવૃત્તિઓના પ્રણેતા રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org