SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો પરિવારમાં ઉપધાન, સિદ્ધિતપ, અઠ્ઠાઈ વર્ષીતપ વગેરે તપશ્ચર્યા કાંઈક ને કાંઈક ચાલુ જ હોય છે – ધર્મભાવનાથી આખુંયે કુટુંબ રંગાયેલું છે. શ્રી મફતલાલ મોહનલાલ મહેતા શ્રી મફતલાલ મેહનલાલ મહેતા તેમના નજીકનાં સગાં સબંધીઓમાં અને અંતરંગ મિત્રવર્તુળમાં “મફતકાકા’ના વહાલયા નામે જાણીતા છે. તેમને જન્મ ૨૭-૯-૧૯૧૭ ના રોજ મુંબઈમાં થયે. શ્રી મહેતાએ બચપણમાં તેમના પિતાશ્રીની છત્રછાયા અને માગદર્શન ગુમાવ્યાં. માતા દિવાળીબેન અને મોટાભાઈ ચંદુલાલે તેમને ઉછેરીને મેટા કર્યા. શ્રી મહેતાના જીવનઘડતરમાં, મુખ્યત્વે શરૂઆતનાં વર્ષોમાં મહત્ત્વને અને પ્રભાવક ભાગ ભજવનાર તેમનાં માતા હતાં. શ્રી મહેતા આજ પર્યન્ત તેમના વ્યક્તિત્વમાં તેમની માતાના ચારિત્ર્યમાં રહેલા સગુણોની અમિટ છાપ ધરાવે છે. દા. ત. ગરીબો અને પીડિત પ્રત્યે સહાનુભૂતિ, તેમ જ વિકલાંગ અને ત્રસ્ત માનવજાતને મદદ કરવાની અદમ્ય ઈચ્છા તેમના લેહીમાં વણાયેલાં છે. શ્રી મહેતાએ તેમનું ઔપચારિક શિક્ષણ મુંબઈની જાણીતી ફેલોશિપ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું–જો કે તેમણે હીરા ઉદ્યોગમાં મેહનલાલ રાયચંદ એન્ડ સ-સના નામે જાણીતી તેમના કુટુંબની પેઢીમાં જોડાવા માટે તેમની શૈક્ષણિક કારકિદીને અંત આણવો પડ્યો. તેમના મોટાભાઈ ચંદુલાલે તેમને હીરા ઉદ્યોગના સંચાલન માટે તેમના પગલે દર્યા પરંતુ બહુ નાની ઉંમરમાં જ કુદરતના કારમા આઘાતને કારણે તેમણે મેટાભાઈ ચંદુલાલની છત્રછાયા પણ ગુમાવી. તેથી કુટુંબની પેઢીના હીરા ઉદ્યોગની સમગ્ર જવાબદારી તેમના શિરે આવી પડી. તેનના ભત્રીજાએ શ્રી વ્રજલાલભાઈ અને શ્રી દલપતભાઈએ એપ્રેન્ટિસ તરીકે તેમના હાથ નીચે હીરાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy