SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૫૬૧ શ્રી નટવરલાલ ચુનિલાલ ભણશાલી પાલનપુરીઓ ગુજરાત બહાર જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સ્વયંબળે ભારે મોટો પુરુષાર્થ કરી સારી એવી નામના, પ્રતિષ્ઠા અને પ્રગતિનાં પાન સર કર્યા છે. મહારાષ્ટ્રના આકેલામાં બાપદાદાના વખતની ખેતી હતી. ૪૫ વર્ષથી મુંબઈમાં આગમન થયું-મુંબઈમાં આવીને ઝવેરાતના ધંધામાં શ્રીગણેશ માંડ્યા–દરમ્યાન નવા પ્રવાહથી વાકેફ થયા અને યાત્રા દુનિયાના ઘણા દેશો ફર્યો. ધર્મ અને શાસનપ્રેમી શ્રી નટવરલાલભાઈનાં ધર્મપત્ની કલાવતીબહેનના નામનું એક ટ્રસ્ટ છે, જે દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓમાં મોકળે મને દાનગંગા વહાવતા રહ્યા છે. પાલીતાણામાં, શંખેશ્વરમાં, બનાસકાંઠામાં ધર્મશાળા, પાલનપુરમાં પિતાના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી નાનામોટા ફંડફાળામાં પણ આ ટ્રસ્ટ દ્વારા ઘણુ સહાય અપાતી રહી છે. તેમાંયે શૈક્ષણિક હેતુ માટે વિશેષ રકમ અપાય છે. પાલનપુરની હોસ્પિટલમાં પણ પિતાના તરફથી મોટી રકમ આપેલ છે. એ જ રીતે મુંબઈની ભાટિયા હસ્પિટલમાં પણ મોટી રકમ આપેલ છે. ધર્મ તરફનો વિશેષ રાગ અને સદ્ભાવ ઊભું થવામાં તેમનાં ધર્મપત્ની કલાવતીબહેનની વિશેષ પ્રેરણાને આભારી છે. પર્યુષણમાં તપશ્ચર્યા વિશેષ રીતે થતી રહી છે. પરિવારમાં બે પુત્રીઓ આનંદકિલેલથી અને ધર્મપ્રભાવના કરતા રહીને સાદગીથી જીવન વ્યતીત કરી રહ્યાં છે. ઘણું જ પ્રેમાળ અને માનવતાવાદી શ્રી નટવરલાલભાઈ સમાજસેવાનાં કામો માટે લાંબું આયુષ ભેગા --- એ જ શુભેચ્છા. શ્રી નટવરલાલ એસ. શાહ જન્મ જૂન ૧૯૨૦માં. પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં પૂરું કર્યું. શ્રી શાહ ૧૯૩૯માં મુંબઈ આવ્યા અને જુદી જુદી સંસ્થાઓમાં સેવા આપતા રહ્યા. નટવરલાલ એન્ડ કુ. દ્વારા વિવિધ કરમાળખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy