________________
કાઠ]
{ આપણા શ્રેષ્ઠીવર્યો કહેવાય છે કે ધન ભેગું તે અનેક રીતે થઈ શકે, પણ એને વાપરવામાં તે સંસ્કારિતા જોઈએ. અને આ જન્મજાત સંસ્કારિતા વસનજીભાઈને રામે રમે છવાયેલી છે. કચ્છ-દુર્ગાપુરનાં એમના દાદા શ્રી ઘેલાભાઈ પુનશી અને દાદીમા માતુશ્રી મેઘબાઈમા ધાર્મિક સરકારે અને સેવાવૃત્તિ, પિતાશ્રી લખમશીભાઈથી વારસામાં ઊતરી વસનજીભાઈમાં શતદલે ખીલી ઊઠી અને પમરતા પ્રસરતા રહ્યા છે. સમગ્ર કુટુંબને ઉજાળતી પ્રવૃત્તિઓમાં એમના પરિવાર, બંધુઓ અને કુટુંબીઓને એમને પૂર્ણ સાથ અને સહકાર સાંપડ્યો છે. પેઢીઓથી ગર્ભશ્રીમંત હોવા છતાં વસનજીભાઈ નિરભિમાની, નિબંધની અને સાત્વિક રહ્યા છે, જે સૌના માટે ધડારૂપ છે. એમની પ્રવૃત્તિ એમાં ધર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા અને સામાજિક નિષ્ઠાને અભિનવ ત્રિવેણી સંગમ જોવા મળે છે. ઉદારચિત્ત, સાદાઈ અને સેવાથી સમાજમાં આગવું માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સમાજને ગૌરવ અપાવ્યા ઉપરાંત એમના નિષ્ઠાવંત કાર્યથી સંસ્થાઓ અને સંકુલને દીપાવ્યાં છે.
એમની સેવા પ્રવૃત્તિઓ અને અનુદાનોની યાદી કરવા જઈએ તો પાનાંનાં પાનાં ભરાય કારણ કે એમનું કાર્યક્ષેત્ર ખૂબ વિસ્તૃત રહ્યું છે.
તેઓ સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી કચ્છી વીશા ઓસવાલ સેવા સમાજના વર્ષોથી પ્રમુખ હતા. આ પ્રગતિશીલ સંસ્થા સમય સાથે કદમ મિલાવે છે. સમૂહલગ્ન, બુક બેન્ક, પગદંડી” માસિકનું પ્રકાશન, વિવિધ ક્ષેત્રના નિષ્ણાત દાક્તરની સેવા, દાંતનું તેમ જ હોમિયોપેથિક દવાખાનું, વૈદકીય રાહત, શૈક્ષણિક કોલરશિપ, રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે નિયમિત યોજે છે.
તેઓ મહાવીર હેલ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટી અને ખજાનચી છે. આ સંસ્થા દ્વારા હૃદયરોગ અને કીડનીના રંગેની અદ્યતન સારવાર માટે દશ કરોડની હોસ્પિટલ ઊભી કરવા છે.
તેઓ કચ્છી સમાજની પ્રથમ કેલેજ શાહ એન્ડ એંકર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org