________________
૪૧૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી લાલજીભાઈ રાયશીભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં જામનગર પાસે ખંભાળિયા તાલુકાના દાંતા ગામના વતની. ચેથી અંગ્રેજી સુધીને જ અભ્યાસ પણ જીવનમાં કાંઈક કરી છૂટવાની પ્રબળ તમન્ના હતી. સેવાભાવના અને ધર્મના સંસ્કારે તેમને વારસામાં મળ્યા હતા. પાંત્રીસ-ચાલીશ વર્ષ પહેલાં વતન છોડીને મુંબઈમાં ખાલી ગજવે પગ મૂક્યો. હૈયામાં અફાટ શ્રદ્ધા લઈને મુંબઈ આવ્યા હતા. નેકરીથી જીવન-કારકિદીનાં શ્રીગણેશ કર્યા. નિખાલસ ને મૃદુભાષી સ્વભાવને લઈને સૌના પ્રીતિપાત્ર બની રહ્યા.
વ્યાપારી ખંત, કુનેહ અને આવડતને કારણે સૌને વિશ્વાસ સંપાદન કર્યો. પછી તે કટલેરીના ધંધામાં ઝંપલાવ્યું. પ્રમાણિકતા અને નીતિથી ચાલવું એવા એમના સગુણોને કારણે કુદરતે પછી તે યારી આપી. સૌરાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાં આવનારા સાહસિકમાં તેમણે સૌ પ્રથમ ભીવંડીમાં કાપડ લાઈનમાં ઝંપલાવ્યું અને સ્વબળે ધંધાને વિકસાવ્યું અને વ્યાપારમાં ઉત્તરોત્તર યશ અને કીતિ મળતાં રહ્યાં. જેમ જેમ સંપત્તિ મળતી ગઈ તેમ તેમ માનવસેવાનાં કાર્યો તરફ મન વિશેષ વળ્યું. શૈક્ષણિક અને સામાજિક અનેક સંસ્થાઓના રાહબર બનીને સૌને ઉપયોગી થતા રહ્યા.
હાલાર વીસા ઓસવાળ સમાજના મોભી બનીને રાહતકાર્યોમાં ઉમદા સેવા બજાવી.
શ્રીમદ્ વિજ્યકુંદકુંદસૂરિ સ્મૃતિ ટ્રસ્ટને આગેવાન કાર્યકર તરીકે તેમની કામગીરી પ્રશંસનીય બની રહી. દાંતા મિત્રમંડળમુંબઈના પ્રમુખ તરીકે પણ વર્ષો સુધીની તેમની કામગીરી ખરેખર દાદ માંગી યે તેવી છે. ભીવંડીમાં જ્ઞાતિની અને ઈતર પ્રવૃત્તિઓમાં હિમેશાં મોકળા મને રસ લીધો. યથાશક્તિ નાનામોટા ફંડફાળામાં તેમનું યોગદાન હંમેશાં રહ્યું છે.
સેવાના સંસ્કારથી સભર શ્રી લાલજીભાઈ સંખ્યાબંધ સંસ્થાઓ સાથે તાણાવાણાની માફક વણાઈ ગયા છે. ધંધામાં અને સેવાના બન્ને ક્ષેત્રે તેમની જહેમત ખરેખર અવિસ્મરણીય બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org