________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૦૧ સર્વાગી સેવા બજાવી હતી. તેઓ સરળ, સાલસ અને દયાવાન હતા. એમણે લઘુબંધુ શ્રી વિશનજીભાઈને સમાજસેવામાં સમર્પિત કરી દીધા છે, અને તમામ સાંસારિક બે એમણે તથા ભાઈ એ ધનજીભાઈ તથા મૂલચંદભાઈએ પિતાને શિરે લઈ લીધો હતો. એમના અવસાનથી સમાજે એક સારે મિત્ર, હિતચિંતક અને દાનવીર ગુમાવ્યો છે.
બધુઓ આ દિવસ પહેલાં શ્રી ર
શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી આજથી પંદર વર્ષ પહેલાં શ્રી રાજેન્દ્રભાઈએ પિતાના લઘુબંધુઓ શ્રી દિલીપભાઈ તથા શ્રી શિરીષભાઈના સહયોગથી–સહકારથી વ્યવસાય શરૂ કર્યો અને “એટેકલીન ફિલ્ટર્સ ઓફ ઇન્ડિયા” નામક ઔદ્યોગિક એકમની સ્થાપના કરી. ઔદ્યોગિક એકમની શરૂઆતમાં હેતી માટી મૂડી, પણ ટેકનિકલ કાર્યદક્ષતા અને સાહસપૂર્ણતાની જ મૂડી હતી. કોઈ મશીનરી કે ફેકટરીનું નામનિશાન હતું જ નહિ, પરંતુ જુદા જુદા ભાગના સબ-કોન્ટ્રાકટ કરી તેઓ એમના ઘરમાં એસેમ્બલ કરી આપતા. એમ છતાં પ્રથમ વર્ષે સારું ટન ઓવર કરવા તેઓશ્રી સફળ થયા. પ્રથમ વર્ષના અંતે તેઓશ્રી ૨૫૦ ચો. ફીટની જગ્યામાં શેડાં લેગ્સ, ગ્રાઈડર્સ, ડ્રિલ્સ અને સ્પે. પેઈન્ટિગ યુનિટની જરૂરી મશીનરી ભેગી કરી શક્યા. ૧૯૭૨માં બીજી ૨૫૦ ચો. ફીટ જગ્યા અને ૧૯૭૩ના મે માસ સુધીમાં પાંચ હજાર ફીટની જગ્યા પર સાચા અર્થમાં “એટેકલીન” એકમને કાર્યારંભ થયે અને શ્રી રાજેન્દ્રભાઈની આગેવાની નીચે ચાલતા આ એકમે કમશઃ ધરી સફળતા મેળવી.
- શ્રી રાજેન્દ્રભાઈ એ “ઓટોકલીન' દ્વારા સેલ્ફ-કલીનિંગ ફિલ્ટરનું ઉત્પાદન શરૂ કરેલું. આ સેલ્ફ કલીનિંગ-ફિલ્ટર” ભારતમાં વિદેશથી આયાત કરાતાં હતાં, તેની શુભ શરૂઆત કરી. રાજેન્દ્રભાઈ સાહસપૂર્ણ વ્યાપારીની નામના અને પ્રગતિ સાધતાં સફળ છે. ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org