________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૩૩ પરમ પૂજ્ય ભાનુબહેન ધૂપસળીની જેમ સદાયે સમાજસેવાની સુગંધ ફેલાવનાર, દીન-દુઃખી સ્ત્રીઓ, બાળકોના જીવનમાં સુખ, શાંતિ અને સંતોષની સુરખી રેલાવનાર અને દરિયા જેવું વિશાળ દિલ તેમ જ સૌને માટે “મા”ની મમતાને શીતળ છાંયે આપનાર પાંચ દાયકાઓથી સમાજસેવાનું મૂંગાં મૂગાં કાર્ય કરનાર પૂ. ભાનુમા—આપને ગુજરાત સરકારે ૧૯૮૫ના વર્ષના બાળકલ્યાણ ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડથી સન્માનિત કર્યા તેથી ખરેખર આપના સેવાકાર્યમાં પારિતોષિક–સન્માનની સુવાસ ભળે છે જેને સૌને આનંદ છે, ગૌરવ છે.
છેલ્લા પાંચ દાયકાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની અનેકવિધ પ્રકારે સમાજ સેવા કરી છે. ખાસ કરીને મહિલા અને બાળકને માટે જે નિઃસ્વાર્થભાવે સેવાકાર્ય અને તે પણ મૌન રહીને, પિતાની જાતને કેન્દ્રમાં રાખ્યા વિના તેમ જ પિતાના સેવાકાર્યની જરાયે જાહેરાત કર્યા વિના કર્યું છે તે તેમના જીવનકાર્યની સુવાસ સદાયે ફેલાતી રહેશે.
નાની ઉંમરે વૈધવ્યની પ્રાપ્તિ—જીવનની કઠિન કન્સેપ્ટેએ ધીરજ ધરીને આપે સમાજસેવાને ભેખ ધારણ કરીને ચંદનની જેમ તન-મનથી ઘસાઈને સમાજસેવાનું કામ કર્યું. આપને જીવનઇતિહાસ અને તેના યાદગાર પ્રસંગોને અલગ પુસ્તક આકારે પ્રકાશિત કરવાની જરૂર છે જેથી સૌને માટે પ્રેરણાદાયી બને !
મહિલા મંડળ, વિકાસગૃહ તેમ જ સમાજ-સેવા કેન્દ્ર દ્વારા આપે આ જિલ્લામાં જે સેવાકાર્ય કર્યું છે તે ખરેખર અવિસ્મરણીય છે. ભાવનગર શહેર અને જિલ્લે તેમનો સદાયે ત્રણ રહેશે.
તેમનું કાર્યક્ષેત્ર સમાજસેવા હોવા છતાં રાજકીય ક્ષેત્રે અનન્ય ફાળે પણ આપે છે. જિલ્લા પંચાયતથી ધારાસભા સુધીની વિવિધ કક્ષાએ કુનેહભરી રાજકીય કામગીરીને સમાજસેવાનું ઉમદા માધ્યમ બનાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org