________________
૩ર૬ ]
[ આપણ શ્રેણી છે. નવસારીમાં યુવાનોને હીરા ઉદ્યોગની તાલીમ આપવા માટે મહેન્દ્ર બ્રધર્સ તરફથી એક મેટી કાર્યશાળા સ્થાપવામાં આવનાર છે; જેમાં અપંગ-મૂકબધિર બાળકે પણ પગભર બની શકે એ રીતે એમને તાલીમ આપવાની મહત્ત્વાકાંક્ષી યોજના નવસારીમાં આકાર લઈ રહી છે. પાલનપુરના લોકોની ખાસિયત છે કે એ જ્યાં જાય તે શહેરને પિતાનું વતન સમજે છે અને એ શહેરના સુખદુઃખમાં મદદરૂપ થાય છે. વેદનાની ચીસ જ્યાં સંભળાય ત્યાં મમતાને નેહલેપ લગાવવા પાલનપુરી સમાજ સદા તત્પર હોય છે. નવસારીની રોનક વધારવામાં એમને હિસ્સો છે.
ગુજરાતને રળિયામણ પ્રદેશ અને આ પ્રદેશના પરદેશ વસતા શાણું ગુજરાતી શ્રેષ્ઠીઓની ઉચ્ચ જીવનની મહેકતી સુવાસને કારણે આ વિસ્તાર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઉત્તર ગુજરાતના પાલન પુરના વતનીઓ જેઓ વતન છોડીને વ્યવસાય અર્થે બહાર ગયા, ત્યાં અન્ય બજારમાં પિતાની દીર્ઘદ્રષ્ટિ અને આગવી સૂઝને કારણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
શ્રી બાગમલભાઈએ ધંધાકીય હેતુસર યુરોપ અને અમેરિકાને વિશાળ પ્રવાસ ખેડ્યો છે. ડાયમન્ડ ઉદ્યોગમાં બે પૈસા કમાય તેને સદુપયેગ સાર્વજનિક કામમાં કર્યો છે. મિતભાષી સ્વભાવ અને મૃદુ વ્યક્તિત્વ ધરાવતા શ્રી બાગમલભાઈ મૂળમાં માનવતાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે. ઘણું સામાજિક સંસ્થાઓમાં ગુપ્તદાન આપીને કુળ અને કુટુંબનું ખરેખર ગૌરવ વધાર્યું છે. શ્રી બાગમલભાઈના ખાનદાની, ખેલદિલી, નમ્રતા, ધર્મપરાયણતા વગેરે સદ્ગણોને કારણે તેઓ વિશાળ સમૂહના સન્માનના અધિકારી બની શક્યા છે. પાલનપુરની ઘણી સંસ્થાઓને તેમણે યથાશક્તિ મદદ કરી છે. સમર્પણ અને સેવાભાવના એ એમના જીવનની એક આગવી વિશિષ્ટતા રહી છે.
શ્રી બાગમલભાઈના અંગત પરિચયમાં આવ્યો છું. પિતે જાણે આ યુગને માનવી જ નહીં. બહુ જ ભેળા અને નિખાલસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org