SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩ર૧ અભિવાદનગ્રંથ ] શ્રી બચુભાઈ જે. ટોલિયા અમરેલીના વતની, અન્ડર ગ્રેજ્યુએટ, ૧૯૪૫માં મુંબઈમાં તેમનું આગમન થયું. ગવર્નમેન્ટમાં અને ખાનગી પેઢીમાં શરૂઆતની નેકરી કરી. ૧૯૬૧માં ચશ્માંની લાઈનને જથ્થાબંધ સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. જથ્થાબંધ બિઝનેસ. ૧૯૭૧માં એક પોર્ટનું કામ શરૂ કર્યું. ૧૯૫૯ થી ”૬૩ સુધીને એક સંક્રાન્તિકાળ પણ આવી ગયો, જેમાં ઘણી મુશ્કેલીઓ વેડી. ૧૯૪૨ની ભૂગર્ભ પ્રવૃત્તિમાં અને સ્વરાજ્ય-આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો હતો. બોમ્બે ઓપ્ટીકલ એસોસિયેશનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ કામ કર્યું. મુંબઈ અને વતનની ઘણી સંસ્થાઓ સાથે પિતે સંકળાયેલા છે. શ્રી બાબુભાઈ ન્યાલચંદ મહેતા ગુજરાત-મહારાષ્ટ્રમાં યશકીતિને પામેલા આગેવાન જૈન શ્રેષ્ઠીઓની સમાજને જે ભેટ મળી છે તેમાં શ્રી બાબુભાઈ ન્યાલચંદ મહેતાને પ્રથમ હરોળમાં મૂકી શકાય. મૂળ સૌરાષ્ટ્રમાં જામનગર પાસે જામવણથલીના વતની. ૧૯૩૦ના મે મહિનાની છવ્વીશમી તારીખે સંસ્કારી અને ધર્મપરાયણ પરિવારમાં તેમનો જન્મ થયો. બી. કેમ, એલએલ.બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવવાને સદ્ભાગી બન્યા. ૧૯૪૬માં મુંબઈમાં તેમનું શુભ આગમન થયું. ઘણા જ પ્રતિભાશાળી અને ધર્મનિષ્ઠ આ શ્રેણીના વિશિષ્ઠ સદ્ગુણને કારણે જૈન-જૈનેતરમાં તેઓશ્રી સૌના પ્રીતિપાત્ર બની રહ્યા. બચપણથી જ તેમનામાં ધર્મસંસ્કારોનાં બીજ રોપાયેલાંસમય જતાં એમનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠયું. તેમની કુશાગ્ર બુદ્ધિ, ઉચ્ચતમ મહત્ત્વાકાંક્ષા અને જીવનમાં કાંઈક કરી છૂટવાને યૌવનને થનગનાટ–આવા ત્રિવેણી સંગમને લઈને તેમનું જીવન-ઘડતર આબાદ રીતે વિકસ્યું. ઉત્કટ શાસન પ્રેમ અને જિનછે. ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy